એમ પર્યાયને તો જાણે, પણ રાગપર્યાય તે જ હું છું–એમ અજ્ઞાની માને છે, રાગરહિત જ્ઞાનસ્વભાવી તત્ત્વ શું છે
તેને અજ્ઞાની જાણતો નથી, અને તે સ્વભાવના જ્ઞાન વિના કદી ધર્મ થતો નથી. તેથી તે અભેદસ્વભાવની દ્રષ્ટિ
અને જ્ઞાન કરાવવા માટે અધ્યાત્મ કથનીમાં તેને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. લોકો કહે છે કે મોટાનો છેડો
પકડવો, તેમ જેણે ધર્મ કરવો હોય તેણે મોટાને છેડો પકડવો; મોટું કોણ? કે પરનો તો પોતામાં અભાવ છે, ને
પર્યાય ક્ષણ પૂરતી જ છે, ત્રિકાળ એકરૂપ રહેનારો ચૈતન્યશક્તિનો પિંડ અભેદ સ્વભાવ છે તે જ મોટો છે, તેનું
અવલંબન કરવાથી ધર્મ થાય છે; માટે ધર્મીની દ્રષ્ટિમાં તે અભેદસ્વભાવની જ મુખ્યતા સદાય છે. અજીવ
પદાર્થોથી જીવને જુદો ઓળખાવ્યા પછી હવે તો જીવમાં અભેદસ્વભાવની દ્રષ્ટિ કરાવવાની વાત છે, તેથી મુખ્ય–
ગૌણની વાત સમજાવી છે.
ટકનાર જીવતત્ત્વ શુદ્ધ ચૈતન્યમય છે, –આવા જીવતત્ત્વને લોકો નથી જાણતા. જુઓ, અગિયાર અંગ સુધી ભણી
ભણતર કદાચ વિશેષ ન હોય પણ અંતરમાં પરિપૂર્ણ સામર્થ્યના પિંડરૂપ અભેદસ્વભાવને જ્ઞાનમાં પકડીને
એકાગ્ર થાય તો તે જીવ આરાધક ધર્મી છે.
માટે જ અભેદવસ્તુનાં ગાણાં ગવાય છે, ને તેને જ પ્રધાન કરીને નિશ્ચય કહ્યો છે, તથા ભેદરૂપ પર્યાયને ગૌણ
કરીને વ્યવહાર કહ્યો છે.
માટે જ અંશને અભૂતાર્થ કહ્યો છે; પણ વિકાર થાય છે તે પરને લીધે થાય છે–એમ કહેવાનો આશય નથી. અહીં
તો, નિત્ય–અનિત્ય, દ્રવ્ય–પર્યાય, એક–અનેક, શુદ્ધ–અશુદ્ધ ઈત્યાદિ રૂપે અનેકાંતવસ્તુ છે, તેમાં કોના આશ્રયે ધર્મ
થાય છે તે સમજાવ્યું છે. આત્માને સાધક બનાવવા માટે અનેકાન્તવસ્તુમાં પણ મુખ્ય–ગૌણ થાય છે. ધર્મીની
દ્રષ્ટિમાં સદાય અભેદ શુદ્ધસ્વરૂપની જ મુખ્યતા રહે છે, ને તેની મુખ્યતાના આશ્રયે જ ધર્મ થાય છે ભેદરૂપ
વ્યવહાર છે તે જ્ઞાન કરવા માટે બરાબર છે, પણ ધર્મીની દ્રષ્ટિમાં તેનો આશ્રય નથી. જો ભેદને જાણે પણ નહિ
તો આખી વસ્તુનું યથાર્થજ્ઞાન થતું નથી એટલે મિથ્યાત્વ ટળતું નથી, અને જો ભેદના આશ્રયે લાભ માને તો
પણ અભેદવસ્તુના આશ્રય વગર મિથ્યાત્વ ટળતું નથી. ભેદ તેમ જ અભેદ એ બંને સ્વરૂપે વસ્તુને જાણીને જો
અભેદનો આશ્રય કરે તો જ સમ્યગ્દર્શન અને અનેકાન્તજ્ઞાન થાય છે. જો દ્રવ્ય અને પર્યાય બંનેને યથાર્થપણે
ઉત્તર :– શુભ–અશુભ ભાવો પુણ્ય–પાપને ઉત્પન્ન કરનારા છે, પણ આત્માની
લાગણી પાપબંધનનો ભાવ છે એ રીતે તે બંને બંધન ભાવો છે, વિકાર છે, આત્માના
ગુણમાં તે મદદગાર નથી એટલે શુભ–અશુભ ભાવો તે મોક્ષનું કારણ નથી; મોક્ષનું
કારણ તો શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ વીતરાગભાવ છે, તે જ ધર્મ છે.