
જીવ શું કાર્ય કરી શકે? અને શું ન કરી શકે?
આત્મા શું કામ કરે તો તેને ધર્મ થાય અને શું કામ કરે તો તેને અધર્મ થાય? તે વાત કહેવાય છે. પ્રથમ
બધાંય તત્ત્વો અનાદિઅનંત સ્વયંસિદ્ધ પોતપોતાની અવસ્થામાં પલટી રહ્યાં છે. જગતમાં દરેકેદરેક રજકણની
ક્રિયા સ્વતંત્ર એની મેળે થઈ રહી છે. કોઈ આત્મા શરીરને ચલાવી શકે નહિ તેમ જ સ્થિર પણ રાખી શકે નહિ,
ભાષા બોલી શકે નહિ, કર્મ બાંધી શકે નહિ, પર જીવને મારી કે બચાવી શકે નહિ, સુખી–દુઃખી કરી શકે નહિ,
અશુભ કે શુદ્ધભાવ કરી શકે. ‘જીવો એકબીજાને સુખી–દુઃખી કરે, શરીર વગેરેની ક્રિયા હું કરું’ એમ અજ્ઞાનીએ
અનાદિનું માન્યું છે, પરંતુ તેમ થઈ શકતું નથી. પરને સુખી–દુઃખી કરવાની તાકાત કોઈમાં છે જ નહિ.
આ જગતમાં દરેક આત્મા તેમ જ દરેક રજકણ સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે; કોઈ તત્ત્વો એકબીજા ઉપર
પદાર્થોના અભાવપણે ટકેલો છે. એ પ્રમાણે દરેક તત્ત્વ બીજા અનંત પદાર્થોના અભાવથી ટકી રહ્યું છે. એક
દ્રવ્યના સ્વરૂપની બાહ્ય જ બીજા દ્રવ્યો લોટે છે, કોઈ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય પ્રવેશી જતું નથી, એટલે એક પદાર્થમાં
બીજા અનંત તત્ત્વો કાંઈ પણ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. કોઈ એમ કહે કે, દ્રવ્ય–ગુણને તો બીજો ન કરે
પણ પર્યાયને બીજો કરે, તો તેની વાત જૂઠી છે. આ દ્રવ્ય–ગુણની વાત નથી પણ પર્યાયની જ વાત છે. જેમ
ત્રિકાળ એકરૂપ છે, એટલે તેમાં કાંઈ કરવાનું નથી; પર્યાયો નવી નવી થાય છે, તે પર્યાયો ત્રિકાળદ્રવ્ય–ગુણના
આધારે જ થાય છે, –એટલે તેનો પણ કોઈ બીજો કર્તા નથી. નિમિત્તોને લીધે નવી નવી પર્યાય થાય છે–એવો
અજ્ઞાનીનો ભ્રમ છે. એક દ્રવ્યની વર્તમાન હાલત બીજા દ્રવ્યની વર્તમાન હાલતમાં કાંઈ કરે એ વાત
અજ્ઞાનીઓએ માનેલી છે, વસ્તુસ્વરૂપ તેમ નથી.