પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૨૭ઃ
જાય છે. ચારે બાજુ મંગલનાદ થાય છે; સૌધર્મેન્દ્ર તથા શચી ઇન્દ્રાણી ઐરાવત હાથી ઉપર આવીને નગરને ત્રણ
પ્રદક્ષિણા કરે છે, પછી શચી ઇન્દ્રાણી ભગવાનને તથા માતાને નીરખતાં ભક્તિપૂર્વક સ્તુતિ કરે છે–
धन्य धन्य नाथ परम सुखकारी, तीनलोक जननी हितकारी,
मंगलकारी पुन्यवती तूं, पुत्रवती शुचि ज्ञानमती तूं।
तव दर्शनसे हम सुख पाये, हर्ष हृदयमें नाहिं समाये,
धन्य धन्य माता हम जाना, देख तुझे अरू श्री भगवाना।।
–એ પ્રમાણે સ્તુતિ બાદ, ઈંદ્રાણી બાલ ભગવાનને હાથમાં તેડીને ઈંદ્રના હાથમાં સોંપે છે. અહો! તીર્થંકર
ભગવાનને પોતાના હાથમાં તેડવાનું પરમ સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું તે શચી ઈંદ્રાણી એકાવતારી જ હોય–એમાં
શું આશ્ચર્ય! ભગવાનને નિહાળીને ઈંદ્ર ઈંદ્રાણી અતિશય પ્રસન્ન થાય છે, ને હાથી ઉપર બિરાજમાન કરીને
જન્માભિષેક માટે મેરુપર્વત ઉપર લઈ જાય છે. પ્રતિષ્ઠા–મહોત્સવમાં હાથી પણ આવેલો હોવાથી આ બધા પ્રસંગો
બહુ શોભતા હતા. તેમાંય ગામના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલા જન્માભિષેકના વરઘોડાનો દેખાવ તો
ખૂબ જ ભવ્ય અને મહિમાવંત હતો....તે વખતે સોનગઢ ગામ બહુ નાનું પડતું હતું. જે રસ્તેથી ભગવાનનો હાથી
પસાર થતો હોય તે રસ્તાની ચારે તરફની અટારીઓ પણ માણસોથી ઉભરાઈ જતી હતી. હાથી પર બિરાજમાન
ભગવાનને નીરખી–નીરખીને ભક્તજનો નાચતા હતા અને અદ્ભુત ભક્તિ કરતા હતા. હાથી પણ જાણે કે
ખુશીમાં આવીને એ ભક્તિમાં સાથ પુરાવવા માટે ભગવાનને ચામર ઢાળવા માંગતો હોય–તેમ સૂંઢમાં ચામર
પકડીને ઇન્દ્રને આપતો હતો. આમ ભગવાનની ભક્તિ કરતાં કરતાં રથયાત્રા મેરુ પાસે આવી. નદી કિનારે એક
ઊંચા સુંદર સ્થાન પર મેરુની રચના કરવામાં આવી હતી. હાથીએ તે મેરુને ત્રણ પ્રદક્ષિણા કરી અને પછી
જયજયકારપૂર્વક ખૂબ જ ઉલ્લાસમય ભક્તિથી તીર્થંકર ભગવાનનો જન્માભિષેક થયો. એ જન્માભિષેકનું અતિ
ભવ્ય દ્રશ્ય તીર્થંકર ભગવંતનો અપરંપાર મહિમા દર્શાવતું હતું કે.....અહો! ધન્ય એનો અવતાર! આ ભગવાનના
આત્માએ જન્મ પૂરાં કરી લીધા, હવે ફરીથી આ સંસારમાં એનો અવતાર નહિ થાય. એક છેલ્લો જન્મ હતો તે
પૂરો કરીને ભગવાનના આત્માએ જન્મ પૂરાં કરી લીધા, હવે ફરીથી આ સંસારમાં એનો અવતાર નહિ થાય.
એક છેલ્લો જન્મ હતો તે પૂરો કરીને ભગવાન ભવરહિત થઈ ગયા....અપુર્વ આત્મદર્શનના પ્રતાપે ભગવાનને
ભવનો અંત આવી ગયો. અહો! અનેકાનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર આવા ભગવાનનો જન્મોત્સવ ઈંદ્રાદિક
ઊજવે એમાં શું આશ્ચર્ય! ખરું કહ્યું છે કે–
‘ઘટે દ્રવ્ય જગદીશ અવતાર એસો
કહો ભાવ જગદીશ અવતાર કૈસો?’
–એ ઊર્ધ્વગામી આત્માનો જન્માભિષેક મેરુ જેવા ઊર્ધ્વસ્થાન પર જ કેમ ન થાય? મનુષ્યલોકનું સૌથી
ઊર્ધ્વસ્થાન એટલે મેરુ પર્વત....અને સૌથી ઉત્તમ મનુષ્ય એટલે તીર્થંકર. એ ઉત્તમ પુરુષનો અભિષેક ઉત્તમ સ્થાન
ઉપર ઊર્ધ્વ લોકના ઉત્તમ આત્મા (ઈંદ્ર) દ્વારા થયો. અહો, ધન્ય ધન્ય તે પ્રસંગ! તીર્થંકર પ્રભુના સાક્ષાત્
જન્માભિષેકની તો વાત જ શું! પણ અહીં ભગવાનના જન્માભિષેકનો પાવન દેખાવ જોવો તે પણ મહાભાગ્ય
હતું....જાણે અહીં પણ તીર્થંકર હાજર હોય–એવું તે વખતનું વાતાવરણ હતું. અને વળી ‘જયજયકાર’ ની ધૂન
તથા ભક્તિ–નૃત્ય–દ્વારા તે પ્રસંગના ઉલ્લાસમાં ખૂબજ વૃદ્ધિ થતી હતી. જ્યાં જન્માભિષેક થયો તે સ્થળની
કુદરતી શોભા ઘણી સુંદર હતી. એક ઊંચા ટેકરા ઉપર મેરુ પર્વત શોભતો હતો અને બાજુમાં જ ઊંડાણમાં
આવેલી નદીને લીધે અસલ ક્ષીર સમુદ્ર જેવો દેખાવ લાગતો હતો. આથી જન્માભિષેક વખતનો કુદરતી દેખાવ
ઘણો જ શોભતો હતો.
જન્માભિષેક બાદ ઈંદ્રાણીએ અતિશય ભક્તિ અને પ્રમોદ પૂર્વક બાલભગવાન નેમિકુંવરને દિવ્ય
વસ્ત્રાભૂષણ પહેરાવ્યાં, અને પછી એ નાનકડા પ્રભુજીને મોટા હાથી ઉપર બિરાજમાન કરીને નગરીમાં પાછા
આવ્યા. પછી પ્રભુજીનું પૂજન કરીને ઇન્દ્રોએ બહુ જ ભક્તિપૂર્વક વિસ્મયકારી તાંડવનૃત્ય કરીને પોતાનો આનંદ
વ્યક્ત કર્યો. એ વખતનાં ઉલ્લાસ અને આનંદમય વાતાવરણમાં તાંડવનૃત્યના તાલની સાથે સાથે ભક્તજનોનાં
હૈયાં પણ ભક્તિથી નાચતા હતા.
જન્મકલ્યાણક વગેરે પ્રસંગે આકાશમાંથી દેવવિમાન ઉતરતા હોય–એવો દેખાવ થયો હતો.
પારણા–ઝૂલન
બપોરે બાલ ભગવાન શ્રી નેમિકુંવરના પારણા–ઝૂલનનું દ્રશ્ય થયું, ભક્તો ભક્તિપૂર્વક ભગવાનનું પારણું
ઝુલાવી રહ્યા હતા. ચારે તરફ દીપકોના પ્રકાશથી શોભી રહેલા