તીર્થંકરો ભવિષ્યમાં થશે; ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ સમજીને જે પોતામાં આનંદ પ્રગટ કરે તેને ભગવાન
આનંદનું નિમિત્ત છે અને નિમિત્ત તરીકે ભગવાન આનંદના દાતાર છે. પણ જે પોતે ન સમજે તેને કાંઈ
ભગવાન સમજાવી દેતા નથી અને તેને માટે ભગવાન આનંદનું નિમિત્ત પણ નથી. ભગવાનનો પરમ આનંદ
ભગવાન પાસે રહ્યો, આ જીવ પોતે શુદ્ધનયનું અવલંબન લઈને સ્વભાવનો આશ્રય કરે તો તેને કલ્યાણ અને
આનંદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધનયના આશ્રય વગર કદી કલ્યાણ કે આનંદની પ્રાપ્તિ થતી નથી. ત્રણેકાળના
જીવોને માટે સાચો આનંદ પ્રાપ્ત કરવાની આ એક જ રીત છે. અરિહંત ભગવંતોએ આ જ ઉપાયથી પોતાના
આત્મામાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર્યો અને બીજા જીવોને આ જ ઉપાય ઉપદેશ્યો.
ઉત્તરઃ– જુઓ ભાઈ! પહેલી વાત તો એ છે કે પોતાને પોતાનું જોવાનું છે. સમાજનું ગમે તે થાય–તેની
રોકાતો પણ હું દરિયામાં ડૂબતો કેમ બચું?–તે માટે જ ઉપાય કરે છે, તેમ સંસારસમુદ્રમાં રખડતાં માંડ માંડ
મનુષ્યભવ મલ્યો છે ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર–ભ્રમણથી કેમ છૂટે–એ જ જોવાનું
છે, પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચૂકાઈ જાય છે. આ વાત તો પોતે પોતાનું હિત કરવાની છે. દરેક જીવ
સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે એવું કાંઈ પરાધીનપણું નથી.
માટે હે જીવ! તું તારા હિતનો ઉપાય કર.
જીવોનું કલ્યાણ થશે. કલ્યાણનો પંથ બધા જીવોને માટે ત્રણકાળે એક જ પ્રકારનો છે. ત્રણેકાળના સર્વે જીવોને
સત્યથી જ લાભ થાય, અસત્યથી કદી કોઈને લાભ થાય જ નહિ.
ભલે શુભરાગ કરે પણ તે ધર્મ નથી, તેમ જ તે શુભરાગના ફળમાં સાચી શાંતિ મલતી નથી.
જગતમાં બહુ વિરલ છે, તો તે સમજનારા તો વિરલ જ હોય–એમાં શું આશ્ચર્ય છે! યોગસારમાં કહે છે કે–
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।।२७९।।
ધારણા તો વિરલાને જ થાય છે.
કરે છે. ‘અહો! આ તો હું અનંતકાળથી જે નથી સમજ્યો એવી મારા સ્વભાવની અપૂર્વ વાત છે’– એમ
અંતરથી આદર લાવીને સાંભળનારા જીવો વિરલા હોય છે. મૂઢ જીવોને વ્યવહારની એટલે કે રાગની