Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૭૧ઃ
* નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન અને દિવ્યધ્વનિ તરીકેનો ઉપદેશ *
–માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન ચૈત્ર સુદ નોમના દિવસે ઉપરનું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં
તો ભગવાન શ્રી નેમિનાથપ્રભુને કેવળજ્ઞાન પ્રગટયું અને અચાનક એ કેવળજ્ઞાન–કલ્યાણકનો આશ્ચર્યકારી
ખળભળાટ ફેલાઈ ગયો. ભગવાનનું દિવ્ય સમવસરણ રચાયું...એ સમવસરણમાં બિરાજમાન ભગવાનનું
ભક્તિપૂર્વક પૂજન કરીને હજારો ભક્તજનો દિવ્યધ્વનિ સાંભળવા ઉત્સુક બન્યા. આ પ્રસંગે ભગવાનના
દિવ્યધ્વનિ તરીકે અપૂર્વ પ્રવચન કરતાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું કેઃ “ભગવાનનો ઉપદેશ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત
છે....ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ લાભ થવાનું ભગવાને કહ્યું છે.....જે જીવ શુદ્ધનયથી ભૂતાર્થસ્વભાવનો આશ્રય
કરીને પોતાના આત્મામાં ધર્મની વૃદ્ધિ કરે તે જ ભગવાનની દિવ્યવાણીનો ખરો શ્રોતા છે....”
કેવળજ્ઞાન–કલ્યાણક પ્રસંગનું આ પ્રવચન આ અંકમાં જુદું આપવામાં આવ્યું છે.
*
કેવળજ્ઞાનનો સ્વીકાર કરનાર જીવને
અનંત ભવની શંકા રહેતી નથી
[માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ચૈત્ર સુદ એકમના દિવસે બપોરના પ્રવચનમાંથી (૨) ]
* અહો! કેવળજ્ઞાન શું છે તેના મહિમાની જગતને ખબર
નથી, અને તે કેવળજ્ઞાનની પ્રતીત કરવામાં કેવો અપૂર્વ પુરુષાર્થ
આવી જાય છે તેની પણ અજ્ઞાનીને ખબર નથી.....જેના જ્ઞાનમાં
કેવળજ્ઞાનનો સ્વીકાર છે તેને અનંતભવની શંકા નથી અને જેને
અનંતભવની શંકા છે તેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર થયો
નથી, જેમ કેવળી ભગવાનને ભવ નથી તેમ કેવળજ્ઞાનની પ્રતીત
કરનારને ભવની શંકા રહેતી નથી. કેવળજ્ઞાનની પ્રતીત અને
અનંત ભવની શંકા–એ બંને સાથે રહી શકતા નથી...જ્ઞાની
બેધડકપણે કહે છે કે ભવરહિત એવા કેવળજ્ઞાનનો જેણે નિર્ણય
કર્યો તેને અનંત ભવ હોતા જ નથી, કેવળી ભગવાને તેના અનંત
ભવ દેખ્યા જ નથી. *
શ્રી સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમાં કેવળજ્ઞાનસહિત અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં બીજા પણ અનેક
કેવળી ભગવંતો વિચરે છે. કેવળી ભગવાનનો આત્મા રાગ–દ્વેષરહિત એકલો જ્ઞાયકબિંબ થઈ ગયો છે. આવા
કેવળી ભગવાનને જેણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર્યા તેને જ્ઞાયકભાવ પ્રતીતમાં આવી ગયો; હવે ‘મારે અનંતભવ
હશે’–એવી શંકા તેને હોય જ નહિ કેમ કે જ્ઞાનસ્વભાવમાં ભવ નથી. કેવળી ભગવાનનો પોતાના જ્ઞાનમાં
સ્વીકાર કરે અને અનંત ભવની શંકા પણ રહે–એમ કદી બને નહિ. જેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર છે તેને
અનંત ભવની શંકા નથી, અને જેને અનંત ભવની શંકા છે તેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર થયો નથી. જેમ
કેવળજ્ઞાની ભગવાનને ભવ નથી તેમ તે કેવળજ્ઞાનની પ્રતીત કરનારને ભવની શંકા રહેતી નથી.
અહો! કેવળજ્ઞાન શું છે તેના મહિમાની જગતને ખબર નથી અને તે કેવળજ્ઞાનની પ્રતીત કરવામાં કેવો
અપૂર્વ પુરુષાર્થ આવી જાય છે તેની પણ અજ્ઞાનીને ખબર નથી. જૈનસંપ્રદાયમાં જન્મ્યા એટલે સાધારણપણે તો
‘કેવળી ભગવાન છે’ એમ કહે, પણ કેવળજ્ઞાની કેવા હોય તે