
ખળભળાટ ફેલાઈ ગયો. ભગવાનનું દિવ્ય સમવસરણ રચાયું...એ સમવસરણમાં બિરાજમાન ભગવાનનું
ભક્તિપૂર્વક પૂજન કરીને હજારો ભક્તજનો દિવ્યધ્વનિ સાંભળવા ઉત્સુક બન્યા. આ પ્રસંગે ભગવાનના
દિવ્યધ્વનિ તરીકે અપૂર્વ પ્રવચન કરતાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું કેઃ “ભગવાનનો ઉપદેશ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત
છે....ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ લાભ થવાનું ભગવાને કહ્યું છે.....જે જીવ શુદ્ધનયથી ભૂતાર્થસ્વભાવનો આશ્રય
કરીને પોતાના આત્મામાં ધર્મની વૃદ્ધિ કરે તે જ ભગવાનની દિવ્યવાણીનો ખરો શ્રોતા છે....”
આવી જાય છે તેની પણ અજ્ઞાનીને ખબર નથી.....જેના જ્ઞાનમાં
કેવળજ્ઞાનનો સ્વીકાર છે તેને અનંતભવની શંકા નથી અને જેને
અનંતભવની શંકા છે તેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર થયો
નથી, જેમ કેવળી ભગવાનને ભવ નથી તેમ કેવળજ્ઞાનની પ્રતીત
કરનારને ભવની શંકા રહેતી નથી. કેવળજ્ઞાનની પ્રતીત અને
અનંત ભવની શંકા–એ બંને સાથે રહી શકતા નથી...જ્ઞાની
બેધડકપણે કહે છે કે ભવરહિત એવા કેવળજ્ઞાનનો જેણે નિર્ણય
કર્યો તેને અનંત ભવ હોતા જ નથી, કેવળી ભગવાને તેના અનંત
ભવ દેખ્યા જ નથી. *
કેવળી ભગવાનને જેણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર્યા તેને જ્ઞાયકભાવ પ્રતીતમાં આવી ગયો; હવે ‘મારે અનંતભવ
હશે’–એવી શંકા તેને હોય જ નહિ કેમ કે જ્ઞાનસ્વભાવમાં ભવ નથી. કેવળી ભગવાનનો પોતાના જ્ઞાનમાં
સ્વીકાર કરે અને અનંત ભવની શંકા પણ રહે–એમ કદી બને નહિ. જેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર છે તેને
અનંત ભવની શંકા નથી, અને જેને અનંત ભવની શંકા છે તેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનો સ્વીકાર થયો નથી. જેમ
કેવળજ્ઞાની ભગવાનને ભવ નથી તેમ તે કેવળજ્ઞાનની પ્રતીત કરનારને ભવની શંકા રહેતી નથી.
‘કેવળી ભગવાન છે’ એમ કહે, પણ કેવળજ્ઞાની કેવા હોય તે