Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ભગવાન જેવી અનંત ચૈતન્યશક્તિસંપન્ન રાગરહિત હોવી જોઈએ’–એમ નિર્ણય થાય છે. અને એવો
નિર્ણય થતાં રાગ સાથેની એકત્વબુદ્ધિ છૂટીને સ્વભાવ સાથે એકત્વબુદ્ધિ થાય છે, એટલે મોહ ટળીને
સમ્યગ્દર્શન થાય છે.
* * *
*જે જ્ઞાનપર્યાયે અરિહંત ભગવાનના આત્માનો નિર્ણય કર્યો તેનામાં પોતાના ત્રિકાળી સ્વરૂપનો નિર્ણય
કરવાની પણ તાકાત છે. ત્રિકાળી વસ્તુનો નિર્ણય કરવામાં ત્રિકાળ જેટલો વખત નથી લાગતો પણ વર્તમાન
એક પર્યાય દ્વારા ત્રિકાળી વસ્તુનો નિર્ણય થાય છે.
* * *
*જીવને સુખ જોઈએ છે; આ જગતમાં સંપૂર્ણ સુખી શ્રી અરિહંત પ્રભુજી છે; એટલે ‘સુખ જોઈએ છે’ તેનો
અર્થ એ થયો કે અરિહંત ભગવાન જેવી દશારૂપે પોતાને થવું છે. જેણે અરિહંત ભગવાનને ઓળખ્યા હોય
તેમ જ પોતાના આત્માને અરિહંત ભગવાન જેવો જાણ્યો હોય, તે જ અરિહંત ભગવાન જેવી દશારૂપે
થવાની ભાવના કરે. આ રીતે, અરિહંત ભગવાનને ઓળખ્યા વિના સુખનો સાચો ઉપાય બની શકતો નથી.
* * *
*મારે અરિહંત ભગવાન જેવું પૂર્ણ સુખ પ્રગટ કરવું છે એટલે અરિહંત ભગવાન જેવું સામર્થ્ય મારા આત્મામાં
છે–આમ જેણે કબૂલ્યું. તેણે અરિહંત ભગવાન જેવા દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાય બધું પોતામાંથી કાઢી નાંખ્યું–
એટલે કે તે મારું સ્વરૂપ નથી એમ પ્રતીત કરી. આત્મા પરનું કાંઈ કરે, નિમિત્તથી લાભ નુકશાન થાય કે
શુભરાગથી ધર્મ થાય–એ બધી માન્યતા ટળી ગઈ, કેમ કે અરિહંત ભગવાનના આત્મામાં તે કાંઈ નથી.
* * *
*અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણતાં પોતાના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ઓળખાય
છે; એ પ્રમાણે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને, બધી પર્યાયોને અને ગુણોને એક ચૈતન્યદ્રવ્યમાં જ
અંતર્ગત કરતાં એકાકાર ચૈતન્યદ્રવ્ય જ લક્ષમાં રહી જાય છે. તે ક્ષણે સર્વે વિકલ્પોની ક્રિયા અટકી જાય છે,
અને મોહનો નાશ થઈને અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે.
* * *
*અરિહંત ભગવાન સાથે સરખાવીને આત્માનાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જેણે નક્કી કર્યું હોય, તે
ગુણ–પર્યાયોને એક પરિણમતા દ્રવ્યમાં સમાવીને દ્રવ્યને અભેદપણે લક્ષમાં લઈ શકે. અરિહંત જેવા પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને, જેણે ગુણ–પર્યાયોને એક દ્રવ્યમાં સંકેલ્યા તેણે પર્યાયને અંતર્મુખ કરીને
આત્માને પોતાના સ્વભાવમાં જ ધારી રાખ્યો, ત્યાં મોહ કોના આધારે રહે?–એટલે નિરાશ્રય થયેલો મોહ
તે ક્ષણે જ ક્ષય પામે છે. જેટલી દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતા થઈ તેટલો ધર્મ છે.
* * *
*આવા
ઃ ૪૦ઃ આત્મધર્મઃ ૧૨૨