Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
જ્ઞાનતત્ત્વ
જ્ઞાનતત્ત્વથી વિપરીત એવા રાગ વડે
ધર્મ માનવો તે તો, મીંદડીને
બોલાવીને તેને દૂધ પાઈ દેવા જેવું છે.
*
ત્મા જ્ઞાનતત્ત્વ છે. તે જ્ઞાનતત્ત્વ રાગથી તેમ જ દેહથી ક્રિયાથી જુદું છે. જ્ઞાનતત્ત્વમાં
રાગ કે દેહની ક્રિયા નથી, અને રાગવડે કે દેહની ક્રિયાવડે જ્ઞાનતત્ત્વ પમાતું નથી. આવા
જ્ઞાનતત્ત્વને જાણ્યા વિના અજ્ઞાનીઓ શુભરાગને ધર્મ માને છે. રાગ તો આત્માના વીતરાગી
ધર્મમાં વિઘ્નરૂપ છે તેને બદલે અજ્ઞાની જીવો તે રાગને ધર્મનું કારણ માનીને તેનો આદર કરે છે.
જ્ઞાની તો પોતાના જ્ઞાનતત્ત્વને રાગથી જુદું જાણે છે એટલે તે રાગને ધર્મનું કારણ કદી માનતા
નથી. વચ્ચે શુભરાગ થઈ જાય તે જુદી વાત છે, પણ રાગને ધર્મનું કારણ માનીને તેનો આદર
કરવો તે તો મોટી ભૂલ છે. રાગનો આદર કરનારને આત્માના નિર્દોષ જ્ઞાનતત્ત્વની પ્રીતિ નથી.
જેમ દૂધનો કટોરો ભર્યો હોય ત્યાં મીંદડી આવીને દૂધ પી જાય–તે જુદી વાત છે ને મીંદડીને
બોલાવીને દૂધ પાઈ દેવું તે જુદી વાત છે; દૂધપાક કરવા માટે પાંચ શેર દૂધ લઈ રાખ્યું હોય, ને
મીંદડી આવે ત્યાં તેનો આદર કરીને તેને દૂધ પાઈ દ્યે, તો તેને દૂધપાક કરવાની હોંશ જ નથી, તે
દૂધપાક કરશે શેમાંથી?
તેમ જે જીવ ધર્મ કરવા માંગે છે તે જીવ, જો શુભરાગથી ધર્મ માનીને તેનો જ આદર કરશે
તો તેનું બધુંય જ્ઞાનતત્ત્વ શુભભાવના આદરરૂપી મીંદડી પી જશે, રાગથી જુદું જ્ઞાનતત્ત્વ તો તેની
દ્રષ્ટિમાં ન રહ્યું, તો તે જીવ રાગરહિત ધર્મ શેમાંથી કરશે? ખરેખર તેને ધર્મ કરવાની રુચિ જ
નથી. શુભભાવરૂપી મીંદડીનો આદર કરીને જ્ઞાનતત્ત્વને રાગથી જ ઢાંકી દીધું, તો હવે શેમાં રહીને
તે જીવ ધર્મ કરશે? વચ્ચે શુભરાગ આવી જાય તે જુદી વાત છે પણ તેને ધર્મ માનીને આદર ન
કરવો જોઈએ, કેમ કે રાગ તો જ્ઞાનતત્ત્વથી વિપરીતભાવ છે, રાગના આધારે કદી ધર્મ થતો નથી.
ધર્મ તો જ્ઞાનતત્ત્વના જ આધારે થાય છે. માટે ચૈતન્યમૂર્તિ જ્ઞાનતત્ત્વનો આદર, તેની રુચિ, તેનું
બહુમાન, તેના પ્રત્યે હોંશ અને તેનું અવલંબન કરવું તે જ ધર્મ કરવાની રીત છે.
(–રાત્રિચર્ચા ઉપરથી)
ઃ ૪૨ઃ આત્મધર્મઃ ૧૨૨