Atmadharma magazine - Ank 123
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
શકાતું નથી. ભેદના આશ્રયે સ્વભાવમાં એકતા થતી નથી પણ રાગની ઉત્પત્તિ થાય છે.
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં રાગાદિ અશુદ્ધભાવો અભુતાર્થરૂપ છે; તેથી ભુતાર્થસ્વભાવની
દ્રષ્ટિ કરતાં તે રાગાદિ ભાવોથી રહિત એવા શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે.
શિષ્યે પૂછયું હતું કે પર્યાયમાં વિકાર હોવા છતાં શુદ્ધઆત્માનો અનુભવ કઈ રીતે થાય?
તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવે આ વાત સમજાવી છે. હે ભાઈ! પર્યાયમાં વિકાર દેખીને તું મુંઝા
નહિ, કેમ કે તારો આત્મા તે વિકાર જેટલો નથી, તારો આખો સ્વભાવ વિકારરૂપ થઈ ગયો
નથી, તારો દ્રવ્યસ્વભાવ તો એકરૂપ શુદ્ધ છે, તે સ્વભાવ તરફ વળીને અનુભવ કરતાં વિકાર
રહિત શુદ્ધઆત્માનો અનુભવ થાય છે. આવા સ્વભાવની દ્રષ્ટિ કરે ત્યારથી જ ધર્મની શરૂઆત
થાય છે. આવી શુદ્ધસ્વભાવની અપૂર્વ દ્રષ્ટિ ગૃહસ્થાશ્રમમાં પણ થઈ શકે છે, અરે! આઠ વર્ષની
નાની બાલિકા હો, સિંહ હો કે દેડકું હો–તે પણ અંતર્મુખ થઈને આવી દ્રષ્ટિ પ્રગટ કરી શકે છે.
આવી દ્રષ્ટિ પ્રગટ કરીને શુદ્ધઆત્માનો અનુભવ કર્યા વગર કોઈ જીવને ધર્મની શરૂઆત થતી
નથી.
(–સમયસાર ગા. ૧૪ ઉપરના પ્રવચનમાંથી)
સમ્યક્ પુરુષાર્થ
‘બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે’
અથવા તો સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય
છે–એમ માનો તો પછી જીવનો કાંઈ પુરુષાર્થ
નથી રહેતો’–એમ અજ્ઞાનીઓ કહે છે; પણ –
ખરેખર તો ક્રમબદ્ધપર્યાયનો અને
સર્વજ્ઞનો નિર્ણય થયા વિના સમ્યક્ પુરુષાર્થ
થતો જ નથી. જેને સર્વજ્ઞનો નિર્ણય નથી–
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી, ને ફેરફાર
કરવાની બુદ્ધિ છે તેનો પુરુષાર્થ મિથ્યાત્વ અને
રાગદ્વેષમાં જ અટકેલો છે, તેને
જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો યથાર્થ પુરુષાર્થ
હોતો નથી. અને જેને ક્રમબદ્ધપર્યાયનો તથા
સર્વજ્ઞનો નિર્ણય છે તેનો પુરુષાર્થ પોતાના
જ્ઞાનસ્વભાવની સન્મુખ વળી ગયેલો છે–એ
જ મોક્ષનો સમ્યક્ પુરુષાર્થ છે.
(–ચર્ચા ઉપરથી)
*
આટલું સમજી લેવું.......કે.........
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગભાવ જ છે, અને તેના સેવનથી
જ ભવભ્રમણનો અંત આવે છે; એના
સિવાય બીજા જે કોઈ ભેદો કે બાહ્ય
સાધનોને ધર્મ કહ્યો હોય તેને વ્યવહારથી
જ ઉપચારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી પરંતુ
અંતરના વીતરાગભાવરૂપ ધર્મને તો જે
ન જાણે અને ઉપચારરૂપ બાહ્યસાધનોને
જ ધર્મ માનીને અંગીકાર કરે તો તે જીવ
વાસ્તવિક ધર્મને પામતો નથી પરંતુ
સંસારમાં જ ભ્રમણ કરે છે. આ રહસ્યને
જે જાણતો નથી તેને ધર્મની સાચી શ્રદ્ધા
નથી અને તેથી તે જીવ ધર્મ પામતો
નથી.
*
ઃ પ૮ઃ આત્મધર્મઃ ૧૨૩