Atmadharma magazine - Ank 123
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે? આ શરીર તો જુદી ચીજ છે, શરીરથી જુદો આત્મા છે, સગાંવહાલાં આ શરીરને
ઓળખે છે, પણ આત્માને ઓળખતા નથી. શરીરમાં રોગ થાય ત્યાં પૂછે કે ભાઈ! કેમ છે? પણ આત્મામાં
અનાદિનો અજ્ઞાનનો રોગ લાગુ પડયો છે, તેના ખબર કોઈ પૂછે છે? અહીંથી મરીને આત્મા ક્યાં જશે? અરે! આ
શરીર તો અલ્પકાળ રહેવાનું છે, આત્મા સાથે તે સદા રહેવાનું નથી. ને અંદર પુણ્ય–પાપ, ક્રોધ–માન–માયા વગેરેના
જે ભાવો થાય છે તે પણ ક્ષણિક લાગણીઓ છે, તે પણ ધર્મ નથી. અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા કાયમ રહેનારું
તત્ત્વ છે તે શું છે તેને ઓળખવું જોઈએ. આ મનુષ્યભવ પામીને હવે મારું હિત કેમ થાય? તેની જેને દરકાર નથી
અને એમ ને એમ સંસારની મજૂરીમાં જીવન વીતાવે છે તેનું જીવન તો પશુ જેવું છે. ભાઈ! જ્યાં આ શરીર પણ
તારું નથી, તો પછી બહારનાં પ્રત્યક્ષ જુદા આવા સ્ત્રી–પુત્ર–પૈસા વગેરે તો કયાંય રહ્યા! પૈસા રળવા તેમાં અજ્ઞાનીને
સુખ લાગે છે, પણ પૈસા રળવાનો ભાવ તે તો પાપભાવ છે, પણ અજ્ઞાનીને સન્નેપાતીઆની જેમ તેમાં સુખ લાગે
છે. પરનો ઓશિયાળો થઈને જીવે છે તે જ દુઃખ છે. હું જ્ઞાનમૂર્તિ ભગવાન છું–એમ તો ઓળખતો નથી ને મારે પર
ચીજ વિના ન ચાલે એમ માને છે તે જીવ મોટો દુઃખી છે. પર ચીજ વગર મારે ન ચાલે એ માન્યતા જ મોટું દુઃખ છે.
જેમ હરખ સન્નેપાતનો રોગ થયો હોય ત્યાં તે રોગી હસતો દેખાય, પણ તે દુઃખી છે, થોડાં વખતમાં તે મરી જશે.
તેમ અજ્ઞાની જીવને મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્રરૂપ ત્રિદોષ થયો છે તેથી તે હરખ સન્નેપાતીઆની માફક
સ્ત્રી–પુત્ર–પૈસા વગેરેમાં સુખ માનીને ત્યાં હોશ કરે છે, પણ તે સુખી નથી, તે આકુળતાથી દુઃખી જ છે.
જુઓ, નિર્ધનતા તે કાંઈ દોષ નથી, ને સધનતા તે કાંઈ ગુણ નથી. બહારની અનુકૂળતા–પ્રતિકૂળતાના
આધારે ગુણ કે દોષ નથી. એ જ પ્રમાણે શરીરમાં રોગ થવો તે દોષ નથી, ને શરીર રૂપાળું નિરોગ હોવું તે ગુણ નથી.
શરીર વગેરે સંયોગના આધારે આત્માના ગુણ–દોષ નથી, પણ શરીર તે હું, પૈસા મારા, પૈસામાં મને સુખ છે એવું
જેને મિથ્યાઅભિમાન છે તે જીવને મિથ્યાત્વનો મોટો દોષ છે ને શરીરાદિથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપનું જેને ભાન છે
તે જીવ ગુણવાન છે. ચોખા લેવા જાય ત્યાં પણ જાતે નમૂનો તપાસીને પરીક્ષા કરીને લ્યે છે, તો ધર્મ શું ચીજ છે તે
પણ પરીક્ષા કરીને ઓળખવું જોઈએ. પોતે ઓળખ્યા વગર એમ ને એમ માની લ્યે કે દેવ–ગુરુએ કહ્યું તે સાચું;–પણ
પોતે તેના ભાવને ન ઓળખે તો પોતાને લાભ થાય નહિ; સાચા–ખોટાની પરીક્ષા જાતે કરવી પડશે.
અત્યારે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે, તેમણે શું તત્ત્વ
કહ્યું તે પોતે ન ઓળખે અને ઓળખ્યા વગર ‘ભગવાને કહ્યું તે સાચું’–એમ માની લ્યે, તો તેથી પોતાને
સમ્યગ્જ્ઞાનનો લાભ થાય નહિ. માટે દેવ–ગુરુએ જે કહ્યું તેમાં હેય–જ્ઞેય ને ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરીને જાતે
ઓળખવું જોઈએ.
બહારના સંયોગ તો જીવને દુઃખદાયક નથી, શરીરમાં રોગ થાય, વીંછી કરડે તેનું જીવને કિંચિત્ દુઃખ નથી,
પણ અંદરમાં ‘શરીર તે હું, મને વીંછી કરડયો’ એવો જે મોહભાવ છે તેનું જ દુઃખ છે.–આમ પહેલાં નક્કી કરવું
જોઈએ. હવે અંદર જે રાગ–દ્વેષના ભાવ થાય છે તે પણ ક્ષણિક છે, તેમાંય જીવનું સુખ નથી. અંદરમાં જ્ઞાનસ્વરૂપ
આત્મા છે, તે જ્ઞાનમાં પાંચ વર્ષ પહેલાંની વાત
ઃ ૪૮ઃ આત્મધર્મઃ ૧૨૩