Atmadharma magazine - Ank 124
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
: મહા: ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૫ :
છૂટયું નથી.
અજ્ઞાની લોકો અંતરની દ્રષ્ટિને ઓળખ્યા વગર બહારથી વૈરાગ્યનું માપ કાઢે છે; બહારમાં
કાંઈક ત્યાગ કે મંદકષાય દેખે ત્યાં તેને વૈરાગી માની લ્યે છે; પણ તે વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી.
શુભરાગ કરીને ‘હું કંઈક ધર્મ કરું છું’ –એમ જે માને છે તેણે તો રાગને જ આત્મા માન્યો છે એટલે
તેને તો અનંત રાગનો અભિપ્રાય પડ્યો છે. હજી રાગ શું અને આત્મસ્વભાવ શું તેના ભેદની પણ
જેને ખબર નથી, ને રાગને જ પોતાનું સ્વરૂપ માને છે તેને સાચા વૈરાગ્યની ગંધ પણ નથી.
ચૈતન્યસ્વભાવનું અવલંબન થતાં પરનું અવલંબન છૂટી જાય તેનું નામ વૈરાગ્ય છે. જ્ઞાન અંતરમાં
વળીને સ્વભાવમાં રત થયું ત્યાં પરભાવોથી વિરક્ત થયું–એનું નામ વૈરાગ્ય છે. જ્ઞાન સ્વભાવ–
સન્મુખ થયું તે અસ્તિ, અને ત્યાં પરભાવોથી છૂટયું તે નાસ્તિ, –એ રીતે સમ્યગ્જ્ઞાનપૂર્વક જ સાચો
વૈરાગ્ય હોય છે. સમકીતિને વૈરાગ્યનું પરિણમન સદાય વર્ત્યા જ કરે છે.
હિંસા, જૂઠૂં, ચોરી, બ્રહ્મચર્ય ઈત્યાદિ પાપરાગ તો બંધનું કારણ છે, તેમજ દયા, સત્ય, દાન
વગેરેનો પુણ્યરાગ તે પણ બંધનું કારણ છે. કોઈ પણ રાગભાવ તે બંધનું જ કારણ છે, તેને બદલે
શુભરાગને જે મોક્ષનું સાધન માને છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તે જીવ શુભરાગ વખતે પણ નવા
કર્મોથી બંધાય જ છે પણ છૂટતો નથી. જુઓ, આમાં એ વાત પણ આવી જાય છે કે જીવને પોતાનો
શુભ–અશુભ રાગભાવ જ બંધનું કારણ છે, પરંતુ બહારની જડની ક્રિયાને લીધે જીવને બંધન થતું
નથી કેમકે તે તો પરવસ્તુ છે. જે જીવ પરવસ્તુને બંધનું કે મોક્ષનું કારણ માને તેને પરવસ્તુ ઉપર
રાગ–દ્વેષનો અભિપ્રાય છે, અને તે રાગ–દ્વેષના અભિપ્રાયને લીધે તે જીવ બંધાય જ છે. બહારની
જડની ક્રિયા મારી નથી તેમજ તે મને બંધનું કે મોક્ષનું કારણ નથી, અને શુભ કે અશુભ પરિણામ
થાય તે મારા જ્ઞાનસ્વભાવથી ભિન્ન છે; હું શરીરની ક્રિયાથી તેમજ શુભ–અશુભ પરિણામથી જુદો
એક જ્ઞાયક–સ્વભાવરૂપ છું, મારા અવલંબને જ મારી મુક્તિ છે–આમ જાણીને જે સ્વસન્મુખ
પરિણમ્યો તે જ સાચો વૈરાગી છે ને તે જીવ અવશ્ય કર્મથી છૂટીને મુક્તિ પામે છે.
જુઓ, આ જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ! તારા સ્વભાવના અવલંબનરૂપ વૈરાગ્યભાવ તે
મોક્ષનું કારણ છે, ને પરના અવલંબનરૂપ રાગભાવ તે બંધનું કારણ છે. આ સિવાય બહારની
ક્રિયાને લીધે આત્માને મુક્તિ કે બંધન થાય–એમ ભગવાનનો ઉપદેશ નથી. સંસારના વેપાર–ધંધાનો
કે હિંસા–જૂઠનો અશુભ ભાવ છોડીને અહિંસા, સત્ય વગેરે શુભભાવ કરે અને એમ માને કે ‘આ
મને મોક્ષનું સાધન છે’ –તો તે જીવ વૈરાગી નથી પણ રાગી જ છે. અને તે છૂટતો નથી પણ બંધાય
જ છે. સમ્યગ્દ્રષ્ટિને અમુક શુભ–અશુભ રાગ થતો હોવા છતાં અંતરની દ્રષ્ટિમાં તે વૈરાગી જ છે ને
અંતરના જ્ઞાન–વૈરાગ્યના બળને લીધે તે છૂટતો જ જાય છે. રાગી અને વૈરાગીનું માપ કરવાની રીત
લોકોએ માની છે તેના કરતાં જુદી છે. રાગ ઉપર જેની દ્રષ્ટિ પડી છે તે જીવ રાગી જ છે, ને
રાગરહિત ચૈતન્યસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ પડી છે તે જીવ વૈરાગી છે.
સર્વજ્ઞ વીતરાગદેવની આજ્ઞા છે કે હે જીવ! રાગથી ભિન્ન તારા ચૈતન્યસ્વભાવને ઓળખીને
તેની પ્રીતિ કર, ને રાગની પ્રીતિ છોડ. તારા ચૈતન્યસ્વભાવના અવલંબને જ તારી મુક્તિનો ઉપાય
છે. શરીર–મન–વાણીની ક્રિયા હું કરું છું ને તે ક્રિયા મને મોક્ષનું સાધન થાય છે–એમ માનનાર પ્રાણી
તો મહા મૂઢ છે, તેને સાચો વૈરાગ્ય કદી હોતો નથી. અને વ્યવહારરત્નત્રય વગેરેમાં શુભરાગના
પરિણામ થાય તેને મોક્ષનું