
હોય તે પરિપૂર્ણ જ હોય, અધૂરો ન હોય; લીંડીપીપરમાં થોડી તીખાશ પ્રગટ થઈ હોય, પણ ત્યાં નક્કી થાય છે કે
આ ચીજમાં તીખાશનો સ્વભાવ પરિપૂર્ણ ભર્યો છે તેમાંથી આ તીખાશ પ્રગટી છે. પણ ઊંદરની લીંડીને ગમે
તેટલી ઘસો તોપણ જરાય તીખાશ નથી પ્રગટતી, કેમકે તેનામાં તીખાશનો સ્વભાવ જ નથી. જેનામાં જે
સ્વભાવ ભર્યો હોય તેમાંથી તેની પ્રાપ્તિ થાય. ભાઈ! તારા આત્મામાં જ્ઞાનસ્વભાવ છે, તેમાંથી પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ
થઈ શકે છે માટે તેની પ્રતીત કર. એ સિવાય પરચીજ તારી નથી માટે તેમાંથી અહંપણું છોડ. મારા જ્ઞાનનો અલ્પ
વિકાસ વર્તમાનમાં છે પણ મારો સ્વભાવ પૂર્ણજ્ઞાનની તાકાત ધરાવે છે. અલ્પજ્ઞાન જેટલો જ હું નથી, પણ
પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવની તાકાતવાળો હું છું. પૂર્વે ક્રૂર વિકારભાવો કર્યા હોય તે અત્યારે જ્ઞાનમાં યાદ આવે છે,
પણ તેનું જ્ઞાન કરતા અત્યારે જ્ઞાન સાથે તે વિકાર આવી જતો નથી. માટે તે વિકાર પોતાનો સ્વભાવ નથી,
પણ વિકારને જાણવાનો પોતાનો સ્વભાવ છે. ત્રણ કાળને જાણવાનો પોતાનો સ્વભાવ છે. આવા
જ્ઞાનસ્વભાવને જાણીને તેની પ્રાપ્તિ કરવી તે સુગમ છે, કેમકે સમ્યક્ પ્રયત્નથી અલ્પકાળમાં તેની પ્રાપ્તિ થઈ શકે
છે. અને પર ચીજ તો પોતાની અનંતકાળમાં પણ થઈ શકતી નથી, તેને પોતાની કરવાનો ઉદ્યમ તો વ્યર્થ છે.
ચૈતન્યસ્વભાવની પ્રાપ્તિનો ઉદ્યમ કરે અને તેની પ્રાપ્તિ ન થાય એમ કદી બને નહિ. માટે સ્વરૂપની પ્રાપ્તિ સુગમ
છે. આવા સ્વરૂપની રુચિ થવી ને પરનો અહંકાર છૂટવો તથા પુણ્ય–પાપની રુચિ છૂટવી તે સમ્યગ્દર્શનનો ઉપાય
છે.
કરી શકતો નથી. તારું જ્ઞાનસ્વરૂપ છે તેની તું પ્રતીત કર. અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વરૂપને ભૂલીને ‘પર મારાં’
એમ મફતનો અભિમાન કરે છે. જેમ કોઈ ગાંડો માણસ નદી કિનારે બેઠો હતો, ત્યાં રાજાનું લશ્કર ત્યાં આવ્યું
અને નદી કિનારે પડાવ નાખ્યો. ગાંડો માણસ તેને જોઈને કહે કે ‘આ મારો હાથી, આ મારું લશ્કર.. ’ થોડીવાર
થઈ ત્યાં રાજાનું લશ્કર ત્યાંથી ચાલવા માંડ્યું. ત્યારે ગાંડો કહે છે કે “અરે, તમે મારી રજા વગર ક્યાં ચાલ્યા
જાવ છો? ” પણ ભાઈ! એ તો બધું એના કારણે આવ્યું હતું ને એના કારણે ચાલ્યું જાય છે. તારા કારણે તે કોઈ
આવ્યાં ન હતાં ને તારાથી તે રોકાય તેમ નથી, તું તો મફતનો તેનું અભિમાન કરે છે. તેમ અજ્ઞાની જીવ પરને
પોતાનું માનીને ગાંડા માણસની જેમ તેનું અભિમાન કરે છે, શરીર મારું, શરીરની ક્રિયા મારી એમ અજ્ઞાનથી
માને છે. શરીર વગેરે પર ચીજોનો સંયોગ–વિયોગ તો તેના કારણે થાય છે. તેને જાણતાં અજ્ઞાની જીવ મફતનો
અભિમાન કરે છે. પણ ભાઈ! તું તો જ્ઞાન છો, પદાર્થોને જાણવાનો તારો સ્વભાવ છે, પણ પર ચીજને મેળવે કે
દૂર કરી શકે એવી તાકાત તારામાં નથી. તારો વહાલો દીકરો મરતો હોય અને તેને બચાવવાની તારી ઈચ્છા
હોય, છતાં તું તેને બચાવી શકતો નથી, તો બીજાને તું બચાવી દે એવી તારી તાકાત નથી, જીવને ઈચ્છા થાય
પણ તે ઈચ્છાને લીધે પરનું કાર્ય થતું નથી. અને ઈચ્છા થઈ તે પણ ખરેખર જીવનો સ્વભાવ નથી. જીવનો
સ્વભાવ તો જાણવાનો છે. આવા જાણનાર સ્વભાવને ઓળખીને તેની પ્રાપ્તિ કરવા માગે તો તે થઈ શકે છે,
માટે ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ સુગમ છે.
જ્ઞાન એકસાથે થઈ શકે, પણ તે બંને દશાને જીવ ભેગી ન કરી શકે. નિર્ધનતા તે કાંઈ દોષ નથી પણ ‘હું નિર્ધન’
એવી દીનબુદ્ધિ થવી તે દોષ છે. ‘હું તો જ્ઞાન છું, સંયોગ મારો નથી, હું તો સંયોગનો જાણનાર જ્ઞાનાનંદસ્વભાવ
છું’ આવું અંર્તભાન કરવું તે પ્રથમ ધર્મ છે.