મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી.
વળી ત્રીજો કોઈ આવીને લૂંટી લ્યે! પણ એમ બનતું નથી. આમ છતાં, ––એટલે કે નિમિત્ત અકિંચિત્કર હોવા
છતાં, સમ્યગ્જ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે
નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સમ્યગ્જ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે ‘અંતરંગ નિમિત્ત’
છે અને તે જ્ઞાનીની વાણી બાહ્યનિમિત્ત છે. એ રીતે સમ્યગ્જ્ઞાન પામવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની
નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડવાણી પણ નિમિત્ત ન હોય. ––આ વાત નિયમસારની પ૩મી ગાથાના
વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહેવાઈ ગઈ છે. (જુઓ, આત્મધર્મ–ગુજરાતી અંક ૯૯) સતમાં કેવું નિમિત્ત હોય તે
ન ઓળખે તો અજ્ઞાની–મૂઢ છે, ને નિમિત્ત કાંઈ કરી દ્યે એમ માને તો તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાયકભાવપણે ઉપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજે કે રાગને રચે–એવું જીવતત્ત્વનું
ખરું સ્વરૂપ નથી, તે તો આસ્રવ અને બંધતત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની
આ વાત છે. નિમિત્ત કાંઈ કરે–એમ માનનારને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી–પરથી ભિન્નતાનું જ્ઞાન પણ
નથી, તો પછી ‘જ્ઞાયકભાવ તે રાગનો કર્તા નથી’ એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું) ભેદજ્ઞાન તો તેને
ક્યાંથી હોય? પણ જેને ધર્મ કરવો હોય–આત્માનું કંઈ પણ હિત કરવું હોય તેણે બીજું બધું એકકોર મૂકીને આ
સમજવું પડશે. ભાઈ! તારા ચૈતન્યનો પ્રકાશક સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો,
જ્ઞાયકસ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના
કર્તાપણે ઊપજતો નથી.
છે, દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો પરિણમાવનાર નથી.
માને છે? નિમિત્તને અને રાગને પૃથક રાખીને જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે, નિમિત્તને ઉપજાવનાર કે રાગપણે
ઊપજનાર હું નથી, હું તો જ્ઞાયકપણે જ ઊપજું છું એટલે હું જ્ઞાયક જ છું––એમ અનુભવ કર, તો તને સાત
તત્ત્વોમાંથી પહેલાં જીવતત્ત્વની સાચી પ્રતીત થઈ કહેવાય, અને તો જ તેં દેવ–ગુરુ–શાસ્ત્રને ખરેખર માન્યા
કહેવાય.