
છે, ભગવાને કહ્યું તેનાથી વિપરીત તો ધર્મનું સ્વરૂપ માની રહ્યો છે તો તેણે ભગવાનનું કહેલું પ્રમાણ કર્યું જ નથી.
માટે ધર્મના સ્વરૂપને ઓળખીને, ચિદાનંદસ્વરૂપ આત્માના ધ્યાનનો ઉદ્યમ કરવો–આચાર્યદેવનો ઉપદેશ છે; અને આ
કાળે તે થઈ શકે છે.
છે, તથા લૌકાન્તિકદેવ પણ થાય છે. આત્મધ્યાન વડે આરાધકપણે દેહ છોડીને સ્વર્ગમાં ઈંદ્રાદિ થઈને પછી ત્યાંથી
મનુષ્ય થઈને મોક્ષ પામે છે. આ રીતે એકભવતારી થઈ શકાય એવું ધર્મધ્યાન આ દુઃષમ કાળે પણ થઈ શકે છે.
અનંત ભવનો નાશ કરીને, એક ભવમાં મોક્ષ આપે–એવું ધર્મધ્યાન તો આ કાળે પણ થઈ શકે છે; માટે તેનો નિષેધ
કેમ કરે છે? અંતર્મુખ ચિદાનંદસ્વરૂપનું શ્રદ્ધાનજ્ઞાન કરીને તેમાં એકાગ્રતારૂપ ધર્મધ્યાન થઈ શકે છે ને એ રીતે
શુદ્ધરત્નત્રયધર્મની આરાધના કરીને આ કાળે પણ મુનિવરો એકભવમાં મુક્તિ પામે એવા એકાવતારી થઈ જાય છે.
તે અહીંથી સ્વર્ગમાં ઈંદ્ર કે લૌકાંતિકદેવ વગેરે થાય છે, લૌકાંતિકદેવોને દેવર્ષિ કહેવાય છે, દેવોમાં તે ઋષિ જેવા છે,
બ્રહ્મચારી છે, તીર્થંકરના વૈરાગ્ય પ્રસંગે આવે છે, ને બધાય એકાવતારી જ હોય છે. અહીંથી આત્મધ્યાન વડે
રત્નત્રયની આરાધના કરીને ગયા છે તેથી એકભવમાં મુક્તિ પામી જાય–એવી લાયકાત પ્રગટે છે. આ રીતે આ કાળે
પણ આત્મધ્યાન વડે શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મની આરાધના થઈ શકે છે. માટે આ કાળે આત્મધ્યાનનો નિષેધ કરીને,
વ્યવહારક્રિયાકાંડથી ધર્મ મનાવવો–તે યોગ્ય નથી. આ કાળે આત્મધ્યાન હોવાની જે ના પાડે છે ને રાગથી ધર્મ
મનાવે છે તે જીવ અભવ્ય જેવો મિથ્યાદ્રષ્ટિ છે. માટે હે ભવ્ય! તું રાગની ને વિષયકષાયોની પ્રીતિ છોડીને,
ચૈતન્યસ્વરૂપ આત્માના ધ્યાનનો (–શ્રદ્ધા, જ્ઞાન–રમણતાનો) અંતરમાં ઉદ્યમ કર, જેથી તારા ભવનો અંત આવી
જાય.–એવો સંતોનો ઉપદેશ છે.
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તે પુરુષ સુકૃતાર્થ એટલે કે કૃતકૃત્ય છે.
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નામાં પણ મલિન કર્યું નથી તે જ ખરેખર વીર છે.