ઃ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૦
(મોક્ષઅધિકાર ઉપરના પ્રવચનોમાંથીઃ વીર સં. ૨૪૮૩ શ્રાવણ વદ બીજ)
જિજ્ઞાસુઓને સમજવામાં સુગમતા પડે તે માટે આ વિષય
પ્રશ્નોત્તરરૂપે રજૂ કરવામાં આવ્યો છે.)
ગતાંકથી ચાલુ
(૧૦૧) પ્રશ્નઃ– મોક્ષ એટલે શું?
ઉત્તરઃ– મોક્ષ એટલે બંધનથી છૂટકારો; આત્મા પોતાના મિથ્યાત્વાદિ ભાવોથી બંધાયેલો છે, તેનાથી સમ્યગ્દર્શનાદિવડે
છૂટકારો થવો ને આત્માને પૂર્ણ જ્ઞાન–આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે.
(૧૦૨) પ્રશ્નઃ– તે મોક્ષનો ઉપાય શું છે?
ઉત્તરઃ– પ્રજ્ઞાછીણી વડે આત્માના સ્વભાવને અને વિભાવને ભિન્ન કરવા તે મોક્ષનો ઉપાય છે.
(૧૦૩) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણીને ક્યાં અને કેવી રીતે પટકવી?
ઉત્તરઃ– પ્રવીણ પુરુષોએ, મોક્ષાર્થી પુરુષોએ, આત્મા અને બંધની સૂક્ષ્મ સંધિની વચમાં, સાવધાન થઈને પુરુષાર્થપૂર્વક
પ્રજ્ઞાછીણીને પટકવી.
(૧૦૪) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણીને પટકવી એટલે શું?
ઉત્તરઃ– પ્રજ્ઞાછીણીને પટકવી એટલે જ્ઞાનને અંતરમાં વાળીને આત્માના સ્વભાવમાં એકાગ્ર કરવું, ને રાગાદિમાં એકાગ્ર
ન કરવું.
(૧૦પ) પ્રશ્નઃ– એ પ્રમાણે પ્રજ્ઞાછીણીને પટકવાથી શું થાય છે?
___________________________________________________________________________________
ઉત્તરઃ– જે ‘અભાવશક્તિ’ કીધી તેમાં તો વર્તમાન–પર્યાયમાં ભૂત–ભવિષ્યની પર્યાયની અભાવની વાત છે; ને
આ ‘અભાવ–અભાવશક્તિ’ માં તો ત્રિકાળ અભાવની વાત છે. જેમકે સાધકને ભવિષ્યની કેવળજ્ઞાનપર્યાયનો
વર્તમાનમાં જે અભાવ છે તે ‘અભાવ’ શક્તિમાં આવે, પણ ‘અભાવ–અભાવ’ શક્તિમાં તે ન આવે. કેમ કે જો તે
કેવળજ્ઞાન–પર્યાય અભાવઅભાવરૂપ હોય તો તો તે સદાય અભાવરૂપ જ રહે એટલે ભવિષ્યમાં પણ કદી કેવળજ્ઞાન
પ્રગટે જ નહીં–પણ એમ નથી. કેવળજ્ઞાનપર્યાયનો વર્તમાન અભાવ છે પણ ભવિષ્યમાં તે ભાવરૂપ થઈ શકે છે. અને
પરનો આત્મામાં અભાવ છે તે તો ત્રિકાળ અભાવરૂપ જ રહે છે, ભવિષ્યમાં પણ તે આત્મામાં ભાવરૂપ નહિ વર્તે, તેથી
તે અભાવઅભાવશક્તિમાં આવે છે.
પ્રશ્નઃ– ૩પ મી “ભાવ–અભાવ” શક્તિ કીધી અને ૩૬ મી “અભાવ–ભાવ” શક્તિ કીધી, તે બંનેમાં શું ફેર?
ઉત્તરઃ– ‘ભાવ–અભાવ’ માં વિદ્યમાન પર્યાયનો વ્યય થવાની વાત છે. અને ‘અભાવ–ભાવ’ માં અવિદ્યમાન
પર્યાયની ઉત્પત્તિ થવાની વાત છે.–એ રીતે એક જ સમયમાં બંને હોવા છતાં તેમાં વિવક્ષા ફેર છે.
એક સાથે અનંતી શક્તિવાળા ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને પ્રતીતમાં લઈને તેની સાથે જ્ઞાનની એકતા
કરવી તે મોક્ષનો ઉપાય છે.
–૩૭ મી ભાવભાવશક્તિનું તથા ૩૮ મી અભાવઅભાવશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.