જેમ કોઈ માણસ અનેક પ્રકારની આડીઅવળી વાતો કરતો હોય ત્યાં બીજો તેને કહે છે કે ભાઈ, એ બધું ઠીક પણ તારા
હૃદયમાં શું છે તે કહી દેને! તેમ શાસ્ત્રમાં નિશ્ચયની, વ્યવહારની, નિમિત્તની, કર્મની વગેરે અનેક પ્રકારની વાત ભરી છે
પણ તેનું હૃદય શું છે? સંતો, શાસ્ત્રનું હૃદય ખોલીને બોલે છે કે શાસ્ત્રનું હૃદય તો પરમ વીતરાગતા કરવી તે જ છે. “
પરમ વીતરાગતા” માં બધાય શાસ્ત્રોના હૃદયનું રહસ્ય આવી જાય છે, એ જ સર્વ શાસ્ત્રોનું ફરમાન છે, એ જ સંતોના
હૃદયની વાત છે, ને એ જ મોક્ષનો માર્ગ છે.
આપવામાં આવ્યો છે.
આચાર્ય ભગવાન સમજાવે છે કેઃ
આત્માનું સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર
તે ત્રણે સુખરૂપ છે; આત્માનો ધર્મ સુખરૂપ છે,
દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ
તને સુખ મળશે, બીજે ક્યાંયથી સુખ તને નહિ
મળે. કેમકે–
મારીને તારી સુખશક્તિને ઊછાળ,–ઊછાળ એટલે કે
પર્યાયમાં પરિણમાવ;–જેથી તારા સુખનો પ્રગટ
અનુભવ તને થશે.