
પરમાર્થે આ જીવનું સ્વરૂપ છે (–જિનસ્વરૂપ તે નિજસ્વરૂપ), એટલે ભગવાનના યથાર્થ સ્વરૂપને જે ઓળખે
તેને પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થયા વિના રહે નહિ. ભગવાનનો આત્મા જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ છે,
મારો સ્વભાવ પણ તેવો જ છે, ભગવાનને રાગ નથી, મારે રાગ છે તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી; ભગવાનને
નથી. આમ ભગવાન જેવા જ પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરવી તે પરમાત્મદશાનો પ્રથમ ઉપાય છે.
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦
વૃત્તિઓ સાથે મારું જ્ઞાન એકમેક નથી; જો એકમેક હોય તો ટળી કેમ શકે? તે રાગાદિ ટળીને પૂર્ણ વીતરાગતા
અને સર્વજ્ઞતા થઈ શકે છે.–આમ, રાગ હોવા છતાં તેનાથી ભિન્નતાનું ભાન કરવું તે પ્રથમ ધર્મ છે. અંતરની
રુચિ અને લગની વડે આત્મા સમજી શકાય છે. બહારમાં દેહાદિની ક્રિયા કરવાનું તો આત્માના હાથમાં છે જ
નહિ, તે તો આત્માથી ભિન્ન જડનું કાર્ય છે. આત્મા પોતાના અંતરમાં યથાર્થ જ્ઞાન કરી શકે છે, અને કાં તો
અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય છે. જ્ઞાની તો જ્ઞાન અને વિકારને ભિન્નભિન્ન જાણતો થકો, જ્ઞાયકભાવને જ કરે
છે, રાગાદિ વિકારને કરતો નથી, પણ તેને પોતાથી ભિન્ન જાણીને તેનાથી તે પાછો વળે છે.
કરી શકું છું,–પરંતુ તે કાંઈ દેહાદિની ક્રિયા કરી શકતો નથી. અહીં તો અંદરની સૂક્ષ્મ વાત છે કે જ્ઞાનાનંદ
સ્વભાવની સન્મુખ થયેલો ધર્મી જીવ રાગાદિ વિકારને જરા પણ કરતો નથી, તે જાણે છે કે આ રાગાદિ વિકારી
ભાવો જીવસ્વભાવ નથી, જીવસ્વભાવથી તેઓ ભિન્ન છે તેથી તેઓ મારું કાર્ય નથી; જ્ઞાનસ્વભાવ સન્મુખ વર્તતો
થકો જ્ઞાનસ્વભાવના કાર્યને જ હું કરું છું. –અંતર્મુખ થઈને આત્માના સ્વભાવનું અને વિકારનું આવું ભેદજ્ઞાન
કરવું તે અપૂર્વ ધર્મ છે.
અનાદિથી અજ્ઞાનભાવે ‘હું કર્તા ને વિકાર મારું કાર્ય’ એમ માનતો હતો, પણ જે ક્ષણે વિકાર અને સ્વભાવનું
ભેદજ્ઞાન થયું તે જ ક્ષણે વિકારના કર્તૃત્વથી આત્મા પાછો વળી ગયો. આ રીતે ભેદજ્ઞાનવડે આસ્રવો અટકી જાય
છે ને સંવરરૂપ ધર્મ થાય છે. ભેદજ્ઞાન થવાનો ને મિથ્યાત્વાદિના આસ્ત્રવો અટકવાનો એક જ કાળ છે.
જ ઉપાદેયબુદ્ધિ થઈ. વિભાવને વિપરીત જાણતાં તેમાં હેય–બુદ્ધિ થઈ એટલે તેનું કર્તૃત્વ છૂટી ગયું; અને જડને
પોતાથી તદ્ન જુદા જાણતાં દેહાદિની ક્રિયાથી લાભ–નુકસાન થવાની બુદ્ધિ ન રહી, તેમજ તે ક્રિયામાં કર્તૃત્વબુદ્ધિ
ન રહી. –આ બધું એક સાથે જ થાય છે. આવી દશા વગર કદી ધર્મની શરૂઆત થતી નથી.
આસ્રવો અટકી જાય છે?