Atmadharma magazine - Ank 190
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૯૦
હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.”
જુઓ, આ ઉપાદેયતત્ત્વનું વર્ણન! ઉપાદેય શું છે કે જેના આશ્રયે મુક્તિ થાય? તેની આ વાત છે.
જડ દેહાદિની ક્રિયા તો ઉપાદેય નથી, રાગ તો ઉપાદેય નથી ને જ્ઞાનાદિના ક્ષણિકભાવો પણ ઉપાદેય નથી
એટલે કે તે ભેદોનો આશ્રય કરવા યોગ્ય નથી, કેમકે તેનો આશ્રય કરવાથી રાગ થાય છે પણ મુક્તિ થતી
નથી. આત્માના પરમસ્વભાવરૂપ જે સહજજ્ઞાન છે તે જ ઉપાદેય છે, તેના આશ્રયે કેવળજ્ઞાન અને મોક્ષદશા
થઈ જાય છે, તેથી તે જ મોક્ષનું મૂળ છે; અને તે જ્ઞાન આત્માના પરમ તત્ત્વમાં સદાય વર્તી રહ્યું છે. અહીં
તો મહામુનિરાજ સ્પષ્ટ કહે છે કે અહો! આવા જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ સહજજ્ઞાનનો
આશ્રય કરવો તે જ સાક્ષાત્ મોક્ષનું મૂળ છે; આ સિવાય વ્યવહારનો–રાગનો–નિમિત્તનો આશ્રય કરવો તે
મોક્ષનું કારણ નથી પણ સંસારનું કારણ છે.
અહીં સહજજ્ઞાનને જ મોક્ષનું મૂળ કારણ કહ્યું, કેમકે તેમાં લીનતાથી જ મોક્ષ થાય છે. નીચેના
ચારજ્ઞાનોને મોક્ષનું કારણ ન કહ્યું કેમકે તેમનો તો અભાવ થઈને કેવળજ્ઞાન થાય છે, તેથી તેઓ પરમાર્થે મોક્ષનું
કારણ નથી. અને કેવળજ્ઞાન તો પોતે મોક્ષસ્વરૂપ છે; પરંતુ સાધકને તે કેવળજ્ઞાન હોતું નથી. સહજજ્ઞાન સદાય
પારિણામિકસ્વભાવે વર્તી રહ્યું છે, તે ત્રિકાળ મોક્ષસ્વરૂપ છે, ને તેમાં લીન થઈને ઉપાદેય કરતાં મોક્ષપર્યાય
પ્રગટી જાય છે. આ રીતે મોક્ષના મૂળરૂપ એવું આ સહજજ્ઞાન જ ઉપાદેય છે.
વીતરાગી મુનિરાજ ઉપદેશ આપે છે કે–હે ભવ્ય! આવું સહજજ્ઞાન તારો પરમસ્વભાવ છે; માટે
અંતર્મુખ થઈને તેને જ તું ઉપાદેય કર. આ સહજજ્ઞાન તારો પારિણામિકસ્વભાવ છે, તે ક્યારેય તારાથી જુદું
પડતું નથી. જેનો કદી વિરહ નથી એવું આ સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન જ સાક્ષાત્ મોક્ષનું મૂળ છે, તેનામાં જ
મુક્તિ આપવાનું સામર્થ્ય છે, માટે તારા શ્રદ્ધા–જ્ઞાનમાં તેને જ તું ઉપાદેય કર. કેવળજ્ઞાન તો વર્તમાનદશામાં
છે નહિ, તે તો પ્રગટ કરવાનું છે, સાધકને સમ્યગ્મતિ શ્રુતજ્ઞાન છે તે પરંપરા મોક્ષનું કારણ છે પણ તે
સાક્ષાત્ મોક્ષનું કારણ નથી. તો સાક્ષાત્ મોક્ષના કારણરૂપે કયું જ્ઞાન વિદ્યમાન છે–તે અહીં બતાવે છે.
પારિણામિકભાવે આત્માના નિજતત્ત્વમાં ત્રિકાળ લવલીન વર્તતું એવું સહજજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત્ કારણ
છે, માટે તે જ ઉપાદેય છે. જેમ નિશ્ચય વ્યવહારના અનેક પડખાં જાણીને તેમાં શુદ્ધ નિશ્ચય જ ઉપાદેય છે,
તેમ અહીં જ્ઞાનના અનેક પ્રકારો બતાવીને મુનિરાજ પ્રદ્મપ્રભ ભગવાન કહે છે કે જ્ઞાનના બધા પ્રકારોમાં આ
પરમસ્વભાવરૂપ સહજજ્ઞાન જ ઉપાદેય છે, એ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જ્ઞાનના ક્ષણિકભાવો ઉપાદેય
નથી, પણ તે સિવાય જ્ઞાનનો એક એવો સહજભાવ છે કે જે સદાય સદ્રશરૂપ વર્તે છે, ધુ્રવરૂપ છે,
પરમસ્વભાવરૂપ છે; આવો પરમસ્વભાવભાવ જ ઉપાદેય છે
અત્યારે અહીં જ્ઞાનનું વર્ણન ચાલે છે તેથી તેની વાત કરી છે; પણ તે જ્ઞાનની જેમ શ્રદ્ધા–આનંદ વગેરે
બધા ગુણોમાં પણ જે સહજસ્વભાવરૂપ ભાવ વર્તે છે તે જ પરમ ઉપાદેય છે–એમ સમજવું. આત્માના જ્ઞાન–
દર્શન–આનંદ–વીર્ય–સુખ–ચારિત્ર વગેરે બધા ગુણોમાં પોતપોતાનો સહજભાવ એકરૂપ સદ્રશ પરિણતિથી
અનાદિઅનંત વર્તે છે, અને તે ‘વર્તમાન વર્તતો સહજભાવ’ જ તે તે ગુણની પૂર્ણદશાનો દાતાર છે. ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જે સહજ આનંદનું વેદન થયું, તથા તેરમા ગુણસ્થાને તેવા પરિપૂર્ણ આનંદનું વેદન
થયું, તે આનંદનો દાતાર કોણ? ‘આનંદનો જે સદાય એકરૂપ સહજભાવ વર્તે છે તે જ પ્રગટ આનંદનો દાતાર
છે. આનંદનો જે આ સહજભાવ ત્રિકાળ વર્તે છે તે પોતે વેદનરૂપ નથી પણ તેના આશ્રયથી આનંદનું વેદન નવું
પ્રગટે છે, તેથી તે સહજભાવ આનંદનું મૂળ છે.
–આ પ્રમાણે આનંદની માફક શ્રદ્ધા વગેરે બધા ગુણોમાં પણ સમજી લેવું, આત્માનો આવો સહજસ્વભાવ
જ ઉપાદેય છે. અહો! આ કોઈ અદ્ભુત વાત છે. જેના અંતરમાં આ સહજ સ્વભાવનો મહિમા આવી ગયો
તેના આત્મામાં મોક્ષનાં બીજ રોપાઈ ગયાં.
આત્મામાં પારિણામિક ભાવે સ્થિત, સહજભાવે સદા વર્તતું એવું સ્વરૂપ પ્રત્યક્ષજ્ઞાન તે મોક્ષનું મૂળ છે; તે
પોતે મોક્ષમાર્ગરૂપ નથી પણ તેનો આશ્રય કરવાથી મોક્ષમાર્ગ તથા મોક્ષપર્યાય પ્રગટી જાય છે. મતિજ્ઞાન વખતે
કે કેવળજ્ઞાન વખતે તે સદા એકરૂપે વર્તે છે, તેનું પરિણમન સદ્રશરૂપ છે, તેનામાં હીનાધિકતા થતી