
એટલે કે તે ભેદોનો આશ્રય કરવા યોગ્ય નથી, કેમકે તેનો આશ્રય કરવાથી રાગ થાય છે પણ મુક્તિ થતી
નથી. આત્માના પરમસ્વભાવરૂપ જે સહજજ્ઞાન છે તે જ ઉપાદેય છે, તેના આશ્રયે કેવળજ્ઞાન અને મોક્ષદશા
થઈ જાય છે, તેથી તે જ મોક્ષનું મૂળ છે; અને તે જ્ઞાન આત્માના પરમ તત્ત્વમાં સદાય વર્તી રહ્યું છે. અહીં
તો મહામુનિરાજ સ્પષ્ટ કહે છે કે અહો! આવા જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ સહજજ્ઞાનનો
આશ્રય કરવો તે જ સાક્ષાત્ મોક્ષનું મૂળ છે; આ સિવાય વ્યવહારનો–રાગનો–નિમિત્તનો આશ્રય કરવો તે
મોક્ષનું કારણ નથી પણ સંસારનું કારણ છે.
કારણ નથી. અને કેવળજ્ઞાન તો પોતે મોક્ષસ્વરૂપ છે; પરંતુ સાધકને તે કેવળજ્ઞાન હોતું નથી. સહજજ્ઞાન સદાય
પારિણામિકસ્વભાવે વર્તી રહ્યું છે, તે ત્રિકાળ મોક્ષસ્વરૂપ છે, ને તેમાં લીન થઈને ઉપાદેય કરતાં મોક્ષપર્યાય
પ્રગટી જાય છે. આ રીતે મોક્ષના મૂળરૂપ એવું આ સહજજ્ઞાન જ ઉપાદેય છે.
પડતું નથી. જેનો કદી વિરહ નથી એવું આ સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન જ સાક્ષાત્ મોક્ષનું મૂળ છે, તેનામાં જ
મુક્તિ આપવાનું સામર્થ્ય છે, માટે તારા શ્રદ્ધા–જ્ઞાનમાં તેને જ તું ઉપાદેય કર. કેવળજ્ઞાન તો વર્તમાનદશામાં
છે નહિ, તે તો પ્રગટ કરવાનું છે, સાધકને સમ્યગ્મતિ શ્રુતજ્ઞાન છે તે પરંપરા મોક્ષનું કારણ છે પણ તે
સાક્ષાત્ મોક્ષનું કારણ નથી. તો સાક્ષાત્ મોક્ષના કારણરૂપે કયું જ્ઞાન વિદ્યમાન છે–તે અહીં બતાવે છે.
પારિણામિકભાવે આત્માના નિજતત્ત્વમાં ત્રિકાળ લવલીન વર્તતું એવું સહજજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત્ કારણ
છે, માટે તે જ ઉપાદેય છે. જેમ નિશ્ચય વ્યવહારના અનેક પડખાં જાણીને તેમાં શુદ્ધ નિશ્ચય જ ઉપાદેય છે,
તેમ અહીં જ્ઞાનના અનેક પ્રકારો બતાવીને મુનિરાજ પ્રદ્મપ્રભ ભગવાન કહે છે કે જ્ઞાનના બધા પ્રકારોમાં આ
પરમસ્વભાવરૂપ સહજજ્ઞાન જ ઉપાદેય છે, એ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જ્ઞાનના ક્ષણિકભાવો ઉપાદેય
નથી, પણ તે સિવાય જ્ઞાનનો એક એવો સહજભાવ છે કે જે સદાય સદ્રશરૂપ વર્તે છે, ધુ્રવરૂપ છે,
પરમસ્વભાવરૂપ છે; આવો પરમસ્વભાવભાવ જ ઉપાદેય છે
દર્શન–આનંદ–વીર્ય–સુખ–ચારિત્ર વગેરે બધા ગુણોમાં પોતપોતાનો સહજભાવ એકરૂપ સદ્રશ પરિણતિથી
અનાદિઅનંત વર્તે છે, અને તે ‘વર્તમાન વર્તતો સહજભાવ’ જ તે તે ગુણની પૂર્ણદશાનો દાતાર છે. ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જે સહજ આનંદનું વેદન થયું, તથા તેરમા ગુણસ્થાને તેવા પરિપૂર્ણ આનંદનું વેદન
થયું, તે આનંદનો દાતાર કોણ? ‘આનંદનો જે સદાય એકરૂપ સહજભાવ વર્તે છે તે જ પ્રગટ આનંદનો દાતાર
છે. આનંદનો જે આ સહજભાવ ત્રિકાળ વર્તે છે તે પોતે વેદનરૂપ નથી પણ તેના આશ્રયથી આનંદનું વેદન નવું
પ્રગટે છે, તેથી તે સહજભાવ આનંદનું મૂળ છે.
તેના આત્મામાં મોક્ષનાં બીજ રોપાઈ ગયાં.
કે કેવળજ્ઞાન વખતે તે સદા એકરૂપે વર્તે છે, તેનું પરિણમન સદ્રશરૂપ છે, તેનામાં હીનાધિકતા થતી