Atmadharma magazine - Ank 193
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 23

background image
: ૧૮ : આત્મધર્મ: ૧૯૩
અંતરીક્ષ પાર્શ્વનાથ ક્ષેત્રમાં
પૂ. ગુરુદેવનું પ્રવચન
શિરપુરમાં અંતરિક્ષ પાર્શ્વનાથ મંદિરમાં
પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન તા. ૧–૪–પ૯
દરેક આત્મા દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છે, અને તેનામાં સર્વજ્ઞ થવાની તાકાત છે.
આત્મા અને પરમાણુ એ જગતના સત્ તત્ત્વો છે; તે સત્નો કદી નાશ થતો નથી, તેમજ તેની
કદી નવી ઉત્પત્તિ થતી નથી, ત્રણે કાળે તે છે–છે ને છે; ત્રિકાળ સત્પણે ટકીને ક્ષણેક્ષણે તે પોતાની
અવસ્થાનું રૂપાંતર કરે છે. દરેક પદાર્થ સ્વતંત્રપણે પોતપોતાની અવસ્થાનું રૂપાંતર કરે છે, કોઈ બીજો
તેનો કર્તા નથી.
આત્મા અનાદિનો છે, તેણે અત્યારે સુધી શું કર્યું? –કે પોતાના સ્વભાવને ભૂલીને વિકારના
કર્તાપણે ચાર ગતિમાં તે રખડયો; અનેક જીવો પોતાના સ્વભાવને ઓળખીને પૂર્ણાનંદ પ્રગટ કરીને
પરમાત્મા પણ થયા. જેવા સર્વજ્ઞ પરમાત્મા થયા તેવી તાકાત આ આત્મામાં પણ છે. જેમ
લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાસની તાકાત ભરી છે તેમ આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ
પ્રગટવાની તાકાત ભરી છે. તે શક્તિ પોતાના સ્વભાવના અવલંબને જ ખીલે છે, બહારથી નથી
આવતી. આત્માનો નિરાલંબી સ્વભાવ છે. તીર્થંકર ભગવાન સમવસરણમાં અંતરીક્ષ–આકાશમાં–નીચે
બીજા કોઈ અવલંબન વગર બિરાજે છે, તેમ આત્માનો સ્વભાવ પણ નિરાલંબી છે, તે સ્વભાવ
પ્રગટવા માટે બહારનું કે રાગનું અવલંબન નથી.
આવા નિરાલંબી ચૈતન્ય સ્વભાવની સન્મુખ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે; જેમ
કાચા ચણાનો સ્વાદ તૂરો આવે છે, તેમ ચૈતન્ય સ્વભાવના ભાન વગર અજ્ઞાનરૂપી કચાસથી આત્માને
કષાયના તૂરા સ્વાદનું વેદન આવે છે; પણ જેમ કાચા ચણાને શેકી નાંખતા તેના મીઠા સ્વાદનું વેદન
થાય છે તેમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી તાપથી આત્માને શેકતાં તેના મીઠાસ્વાદનું એટલે કે
અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. જેમ કાચો ચણો વાવતાં ઊગે છે તેમ અજ્ઞાનરૂપી કચાસથી આત્મા
ચોરાસીના અવતારમાં ફરીફરી ભવ ધારણ કરે છે, અને જેમ ચણો શેકી નાંખતાં તે ફરીને ઊગતો નથી
તેમ સમ્યગ્દર્શન થતાં આત્મા અલ્પકાળે મુક્તિ પામે છે, પછી તે ભવ ધારણ કરતો નથી.
અહીં આઠમાં અધ્યાયના ચોથા શ્લોકમાં શ્રી જ્ઞાન–ભૂષણ મહારાજ કહે છે કે:
स्वात्मध्यानामृतं स्वच्छं विकल्पानपसार्य सत्।
पिबन्ति क्लेशनाशाय जलं शैवालवत् सुधी।।
જેમ તીવ્ર તાપના કલેશથી સંતપ્ત પ્રાણી તરસની શાંતિ માટે સેવાળ દૂર કરીને સ્વચ્છ મધુર જળ
પીએ છે, તેમ જે બુદ્ધિમાન જીવ સંસારના દુઃખથી છૂટીને આત્મશાંતિ ચાહે છે તે ભેદજ્ઞાનવડે સમસ્ત
સંસારના વિકલ્પ–