
આત્મા અને પરમાણુ એ જગતના સત્ તત્ત્વો છે; તે સત્નો કદી નાશ થતો નથી, તેમજ તેની
અવસ્થાનું રૂપાંતર કરે છે. દરેક પદાર્થ સ્વતંત્રપણે પોતપોતાની અવસ્થાનું રૂપાંતર કરે છે, કોઈ બીજો
તેનો કર્તા નથી.
પરમાત્મા પણ થયા. જેવા સર્વજ્ઞ પરમાત્મા થયા તેવી તાકાત આ આત્મામાં પણ છે. જેમ
લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાસની તાકાત ભરી છે તેમ આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ
પ્રગટવાની તાકાત ભરી છે. તે શક્તિ પોતાના સ્વભાવના અવલંબને જ ખીલે છે, બહારથી નથી
આવતી. આત્માનો નિરાલંબી સ્વભાવ છે. તીર્થંકર ભગવાન સમવસરણમાં અંતરીક્ષ–આકાશમાં–નીચે
બીજા કોઈ અવલંબન વગર બિરાજે છે, તેમ આત્માનો સ્વભાવ પણ નિરાલંબી છે, તે સ્વભાવ
પ્રગટવા માટે બહારનું કે રાગનું અવલંબન નથી.
કષાયના તૂરા સ્વાદનું વેદન આવે છે; પણ જેમ કાચા ચણાને શેકી નાંખતા તેના મીઠા સ્વાદનું વેદન
થાય છે તેમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી તાપથી આત્માને શેકતાં તેના મીઠાસ્વાદનું એટલે કે
અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. જેમ કાચો ચણો વાવતાં ઊગે છે તેમ અજ્ઞાનરૂપી કચાસથી આત્મા
ચોરાસીના અવતારમાં ફરીફરી ભવ ધારણ કરે છે, અને જેમ ચણો શેકી નાંખતાં તે ફરીને ઊગતો નથી
તેમ સમ્યગ્દર્શન થતાં આત્મા અલ્પકાળે મુક્તિ પામે છે, પછી તે ભવ ધારણ કરતો નથી.
पिबन्ति क्लेशनाशाय जलं शैवालवत् सुधी।।
સંસારના વિકલ્પ–