Atmadharma magazine - Ank 193
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 23

background image
કારતક: ૨૪૮૬ : ૭ :
વ્યવહારનો ઉપહાસ!

આત્માના ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને તેનું અવલોકન તે પરમાર્થઆલોચના છે. આવી
પરમાર્થઆલોચનાના વર્ણન બાદ વ્યવહારનો ઉપહાસ કરતાં ટીકાકાર મુનિરાજ ૧પપમા શ્લોકમાં કહે
છે કે:
‘आरातीये परमपुरुषे को विधिः को निषेधः’
અહા, ચિદાનંદસ્વભાવી પરમપુરુષ જ્યાં નિકટ છે, ત્યાં વિધિ શો અને નિષેધ શો? પરિણતિ
જ્યાં અંતર્મુખ થઈને પરમસ્વભાવમાં વળી ત્યાં વ્યવહારના વિકલ્પ કેવા? ‘આ વિધિ ને આ નિષેધ,
આ ગ્રહવું ને આ છોડવું’–આવા વિકલ્પોરૂપ જે વ્યવહાર, તેની મશ્કરી (–ઠેકડી, હાંસી, તિરસ્કાર,
ઉપહાસ) કરતાં મુનિરાજ કહે છે કે આ નિકટ પરમપુરુષમાં વ્યવહાર કેવો?–વિધિ–નિષેધના વિકલ્પો
કેવા? ચૈતન્યસ્વભાવ તરફ જ્યાં પરિણતિ વળી ત્યાં બધા વ્યવહારના વિકલ્પો ક્્યાંય ભાગી જાય છે.
તેથી મુનિરાજ કહે છે કે અરે વ્યવહાર! અમારા ચિદાનંદ સ્વભાવમાં તારું સ્થાન કેવું? અમારો
મોક્ષમાર્ગ તારાથી ઉપેક્ષિત છે, પરમનિરપેક્ષ રત્નત્રયમાં વ્યવહારની અપેક્ષા નથી, વ્યવહારનો આશ્રય
નથી. ‘નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’–એ જ વાત અહીં બીજી રીતે બતાવી છે.
“અમારા ઘરમાં તારો પ્રવેશ નથી”–એમ કહીને જેમ કોઈ સજ્જન પુરુષ દુષ્ટ માણસનો
તિરસ્કાર કરે તેમ અહીં” અમારા ચિદાનંદ સ્વભાવમાં તારો પ્રવેશ નથી” એમ કહીને સંત મુનિરાજે
વિભાવરૂપ વ્યવહારનો તિરસ્કાર કર્યો છે. જેમ વીરપુરુષની સામે નપુંસક માણસ ટકી શકતો નથી, તેમ
ચિદાનંદસ્વભાવનું અવલંબન કરતો ચેતન્યવીર જ્યાં જાગ્યો ત્યાં પરાશ્રિત વ્યવહાર ટકી શકતો નથી,
તેથી મુનિરાજ કહે છે કે અહા! આવો પરમ સ્વભાવ જ્યાં અમારા ચિત્તકમળમાં સ્પષ્ટ થયો....ને તેના
અનુભવમાં પરિણતિ એકાગ્ર થઈ, ત્યાં વિધિનિષેધ કેવા?–ત્યાં વ્યવહારના વિકલ્પો નથી, ત્યાં તો
આત્મપરિણતિ આનંદમાં જ મગ્ન છે.
આનંદમય નિજતત્ત્વમાં જેની પરિણતિ નિમગ્ન થઈ તે જીવને પરમપુરુષ પરમાત્મા નિકટ છે ને
વિધિ–નિષેધના વિકલ્પો દૂર–દૂર છે; તે જીવ સ્વભાવસુખરૂપી સુધાસાગરમાં ડૂબેલો છે,....દુઃખમય
હું સદા અતિઅપૂર્વ રીતે ભાવું છું.
“સંયમ સુધાસાગરને આત્મભાવનાથી ભાવું.”
(–નિયમસાર કળશ ૧પપ–૧પ૬–૧પ૭ ના પ્રવચનોમાંથી.).
ત્રણને ઓળખે તે ત્રણને પામે– આ ત્રણને જે જીવ બરાબર ઓળખે તે
(૧) સ્વભાવનું સામર્થ્ય (૧) જડથી જુદો થાય,
(૨) વિભાવની વિપરીતતા અને (૨) વિભાવથી વિમુખ થાય, અને
(૩) જડનું જુદાપણું (૩) સ્વભાવની સન્મુખ થાય.
–આવા ત્રણ પ્રકાર થતાં જીવ રત્નત્રયને પામે છે.