આમંત્રણ આપે છે: શેનું આમંત્રણ આપે છે? શાંતરસનો સ્વાદ લેવાનું.
પોતાના અંતરમાં શાંતરસનો સમુદ્ર ઉલ્લસી રહ્યો છે તેના અનુભવપૂર્વક
ધર્માત્મા–સંત જગતના બધા જીવોને આમંત્રણ આપે છે કે હે જગતના
જીવો! આવો...આવો...અહીં ભગવાન જ્ઞાનસમુદ્રમાં શાંતરસ ઊછળી રહ્યો
છે...તેમાં મગ્ન થઈને તેનો અનુભવ કરો. દૂધપાક–જાંબુ વગેરેનો રસ તે તો
જડ છે, તેના અનુભવમાં તો અશાંતિ છે, ને તે તો અનંતવાર ભોગવાઈ
ગયેલી એઠ છે...માટે એવા જડના સ્વાદની રુચિ છોડો...ને આ ચૈતન્યના
શાંતરસને આસ્વાદો. આ શાંતરસનો દરિયો એટલો બધો ઊછળ્યો છે કે
આખા લોકને પોતામાં ડુબાડી દ્યે...માટે જગતના બધાય જીવો એકસાથે
આવીને આ શાંતરસમાં નિમગ્ન થાઓ...બધાય જીવો આવો...કોઈ બાકી
રહેશો નહીં–આમ આખા જગતને આમંત્રણ આપીને ખરેખર તો ધર્માત્મા
પોતાની શાંતરસમાં લીન થવાની ભાવનાને મલાવે છે.
आलोकमुच्छलति शांतरसे समस्ताः।
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण
प्रोन्मग्न एष भगवान अवबोधसिंधुः ।।३२।।
આચાર્ય ભગવાને મોક્ષમાર્ગ ખુલ્લો કરીને સમજાવ્યો...શાંતરસનો સમુદ્ર દેખાડ્યો...તે સમજીને
જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી દૂર કરીને પોતે સર્વાંગ પ્રગટ થયો છે;
તેથી હવે સમસ્ત લોક તેના શાંતરસમાં એકીસાથે જ મગ્ન થાઓ. આ શાંતરસ આખા લોકપર્યંત
ઊછળી રહ્યો છે.