Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
શ્રાવણ: ૨૪૮૬ : પ :
બહિરાત્માની દ્રષ્ટિ જ બહારમાં છે; બાહ્ય પદાર્થો ઉપેક્ષાયોગ્ય (હેય) હોવા છતાં તેમાં તે
ઉપાદેયબુદ્ધિ કરે છે, પણ અંતરનાં જ્ઞાનાનંદસ્વરૂપને ઉપાદેય કરતો નથી–તે તરફ વળતો નથી; આ રીતે
હિતકારી સ્વતત્ત્વને તો હેય કરે છે, ને હેય એવા પરતત્ત્વોને ઉપાદેય કરે છે, તેથી તે જીવ રાગ–દ્વેષ
મોહથી બંધાય જ છે, અસમાધિપણે જ વર્તે છે ને અહિત જ પામે છે. જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ
સિવાય બીજા કોઈને ઉપાદેય માનતા નથી, એક શુદ્ધ સ્વતત્ત્વને જ ઉપાદેય માનીને તેને ઉપાસે છે–તેના
શ્રધ્ધા–જ્ઞાન–ચારિત્ર કરે છે ને તેથી તે કર્મબંધનથી છૂટીને મુક્તિ પામે છે.
રમતા રમતા ઊર્ધ્વતા જ્ઞાયકતા સુખભાસ
વેદકતા ચૈતન્યતા યે સબ જીવ વિલાસ.
અને
તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ
ગુરુતા લઘુતા ગમનતા એ અજીવકે ખેલ.
જ્ઞાની જાણે છે કે આ તન–મન–વચન વગેરે તો જડ અજીવના ખેલ છે, તે કોઈ મારાં કાર્ય નથી,
તેની સાથે મારે સંબંધ નથી. હું તો તન–મન–વચન રહિત, જ્ઞાન–દર્શન–સુખનો પિંડ છું; મારો વિલાસ તો
ચૈતન્યરૂપ છેે. ચૈતન્યવિલાસ જ મારું સ્વતત્ત્વ છે ને દેહાદિક જડનો વિલાસ તે પરતત્ત્વ છે. આમ સ્વ–
પરતત્ત્વોને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાની પોતાના સ્વતત્ત્વને જ ઉપાદેય કરીને તેમાં એકાગ્ર થાય છે, ને
પરતત્ત્વોને હેય જાણીને તેની ઉપેક્ષા કરે છે.–આવા જ્ઞાની તો સ્વતત્ત્વના આશ્રયે મુક્તિ પામે છે. ને મૂઢ
બહિરાત્મા તો દેહાદિક પરદ્રવ્યોને જ ઉપાદેય માનીને પોતાના સ્વરૂપથી ચ્યૂત થઈને બંધાય છે.
નિજસ્વરૂપમાં એકત્વથી જીવ મુક્તિ પામે છે; ને પર પદાર્થોમાં એકત્વથી જીવ બંધાય છે,–
भेदविज्ञानतः सिद्धाः ये किल केचन।
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
સ્વતત્ત્વ શું, પરતત્ત્વ શું,–એવા સ્વ–પરના ભેદવિજ્ઞાન વગર જીવની મતિ પરમાં જ રહ્યા કરે પણ
સ્વહિતને સાધે નહિ. મતિ એટલે બુદ્ધિ ક્્યાં વર્તે છે તેના ઉપર બંધ–મોક્ષનો આધાર છે. જેની મતિ અંતર્મુખ
થઈને શુધ્ધઆત્મામાં વર્તે છે તે મોક્ષ પામે છે, ને જેની મતિ બહિર્મુખ પરમાં જ વર્તે છે તે બંધાય છે.
જીવ, અજીવાદિ તત્ત્વોને જાણવાનું તાત્પર્ય પણ એ જ છે કે સ્વદ્રવ્યમાં સન્મુખ થવું ને
પરદ્રવ્યોથી પરાંગ્મુખ થવું; હિતકારી તત્ત્વોને ઉપાદેય માનવા, ને અહિતકારી તત્ત્વોને હેય જાણીને
જાણીને શુદ્ધાત્માનો તો આશ્રય કરવો; અને આસ્રવ–બંધ તે અહિતકારી તત્ત્વો છે, તે પરના આશ્રયે
થાય છે માટે સાતતત્ત્વોને જાણીને તે અજીવનો આશ્રય છોડવો. આમ સાતતત્ત્વો જાણીને તેમાં હેય–
ઉપાદેયરૂપ પ્રવૃત્તિથી જીવના હિત પ્રયોજનની સિધ્ધિ થાય છે.ાા ૪૩ાા
અજ્ઞાનીને બાહ્યદ્રષ્ટિ હોવાથી, બહારમાં દેખાતા આ ત્રણ લિંગરૂપ શરીરોને જ આત્મા તરીકે જાણે
છે; અને જ્ઞાની તો અંર્તદ્રષ્ટિવડે તે સ્ત્રી–પુરુષના શરીરથી જુદો આત્મા જાણે છે–એમ હવે કહે છે–
दश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते।
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम्।।४४।।
મૂઢ અજ્ઞાની બહિરાત્મા બાહ્યમાં દ્રશ્યમાન એવા સ્ત્રી–પુરુષ આદિ શરીરને જ દેખે છે, એટલે
તેને જ આત્મા માને છે, આત્મા જ ત્રણલિંગના ત્રણભેદરૂપ છે એમ તે માને છે; પણ જ્ઞાની તો
શરીરથી ભિન્ન અનાદિસ્વયંસિધ્ધ આત્માને એકરૂપ જાણે છે.
જે જીવ રાગને જ આત્મા માને છે, રાગથી લાભ માને છે, તે જીવ ખરેખર શરીરને જ આત્મા
માને છે, કેમ કે શરીર તે રાગનું ફળ છે. જ્ઞાની જાણે છે કે આ દેહ હું નથી, જેનાથી આ દેહ મળ્‌યો તે
ભાવ પણ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયકશરીરી અશરીરી છું. અતીન્દ્રિયજ્ઞાન જ હું છું. અજ્ઞાની
દ્રશ્યમાન દેહને જ દેખે છે, ચૈતન્ય તો તેને અદ્રશ્ય જ લાગે છે જ્ઞાની જાણે છે કે દ્રશ્યમાન