એવા દેહાદિ હું નથી, પણ તેનો જે દ્રષ્ટા છે તે જ હું છું. હું પુરુષ નથી, હું તો આત્મા છું, હું સ્ત્રી નથી, હું
તો આત્મા છું. ઈન્દ્રિયના કોઈ ચિહ્નો હું નથી, ને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી; હું તો શરીરના
ચિહ્નોથી પાર અલિંગ છું, મારો આત્મા ઈંદ્રિયાદિ લિંગોથી અગ્રાહ્ય છે એટલે અલિંગગ્રાહ્ય છે.
ખરેખર ઈંદ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો પણ ઈંદ્રિયોને જ આત્મા માને છે. પાંચ ઈંદ્રિયો કે તેના
કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઈંદ્રિયને અને શરીરને જ આત્મા માને છે. અતીન્દ્રિય
આત્મા જ્યાં સુધી લક્ષમાં–પ્રતીતમાં ને અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે શરીરમાં
આત્મબુદ્ધિ વેદાતી જ હોય. અંતરાત્મપણું થાય તો બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થાય તો
બહિરાત્મપણું ટળે, એટલે અંતર્મુખ થઈને દેહાદિથી પાર આત્માને ઓળખે તો તેમાં જ મમત્વબુદ્ધિ
થાય, ને દેહાદિમાં મમત્વબુદ્ધિ ટળે–પછી ગમે તેવા સુંદર દેહમાં પણ તેને સ્વપ્નેય સુખની કલ્પના ન
થાય.
પોતાને માનતો નથી.
હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે–અને બાહ્યવસ્તુમાં સુખ કેમ હોય? તેથી કહ્યું છે કે–
તે કહીએ જ્ઞાનીદશા બાકી વાચા–જ્ઞાન.
મુખમાં નાંખે? તેમાં કોણ સુખ માને? એ રીતે જ્ઞાનીને ચૈતન્યથી બાહ્ય આખા જગતમાં ક્્યાંય સુખની
કલ્પના નથી માટે તેને તો તે એઠ સમાન જ છે. અને, જગતના પદાર્થો જગતમાં છે, પરંતુ પોતે
અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્મામાં વળ્યો, ત્યાં તે સ્વતત્ત્વમાં જગત ભાસતું નથી માટે તેને સ્વપ્ન
સમાન કહ્યું.
પ્રસંગમાં પણ ચૈતન્યની સમાધિ તેને વર્ત્યા જ કરે છે. સમ્યગ્દર્શનમાં જ મહાન સમાધિની તાકાત છે.
સમ્યગ્દર્શન ગમે ત્યારે ગમે તેવા પ્રસંગમાં પણ સ્વવસ્તુને ભૂલતું નથી, સ્વવિષયમાં તેને ભ્રાંતિ થતી જ
નથી, એટલે તેને શાંતિ અને સમાધિ થાય છે. આ સિવાય જેને દેહાદિની ક્રિયામાં કર્તાપણું વર્તે છે એવા
અજ્ઞજીવોને કદી પણ સમાધિ કે શાંતિ થતી નથી.
શાંતિ હોય ત્યાં ભ્રાંતિ નહિ.