જ્ઞાનવિદ્યાનો સતત અભ્યાસ કરો
શ્રી સમયસાર ગાથા ૨૦૬ ઉપરનું પૂ. ગુરુદેવનું આ
પ્રવચન અષાડ વદ ૮ ના રોજ રેકોર્ડિંગદ્વારા ફરીને
સાંભળવા મળ્યું. આ પ્રવચનમાં આત્માના અનુભવની
સરસ પ્રેરણા મળે છે, તેથી રેકોર્ડિંગ–પ્રવચનનો સાર અહીં
આપવામાં આવ્યો છે. તે વાંચતાં ખ્યાલ આવશે કે
ગુરુદેવના રેકોર્ડિંગ–પ્રવચનમાં પણ કેટલી મીઠાસ છે!
નિજપદની પ્રાપ્તિ કેમ થાય? પૂર્ણપદ અર્થાત્ મોક્ષ કેમ પમાય? તે વાત આચાર્યદેવ સમજાવે છે.
આ જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે જ્ઞાનકળાથી જ પ્રાપ્ત થાય છે, ભેદજ્ઞાનરૂપ કળાના અભ્યાસથી જ
મોક્ષપદ પમાય છે. માટે હે જીવો! જ્ઞાનકળાવડે નિજપદને અનુભવવાનો તમે સતત અભ્યાસ કરો. આ
જ્ઞાનકળા સિવાય બીજી કોઈ રીતે મુક્તિ પમાતી નથી. હે મોક્ષાર્થી જીવો! રાગથી અને જડથી પાર
એવા સહજજ્ઞાનની કળાવડે ચિદાનંદ નિજપદના અનુભવનો તમે સતત્–નિરંતર પ્રયત્ન કરો. આ જ્ઞાન
કળાનો અભ્યાસ તે જ રાગના અને કર્મના નાશનો ઉપાય છે.
અંતર્મુખ થઈને ચિદાનંદ ભગવાનના દર્શન કરતાં જ કર્મરૂપી પહાડના કટકે કટકા થઈ જાય છે.
હે જીવ! તારે તારા જ્ઞાનાનંદસ્વરૂપને અનુભવવું હોય તો જ્ઞાનરૂપી વિદ્યાગૃહમાં પ્રવેશ કરીને
જ્ઞાનવિદ્યાનો અભ્યાસ કર.
એ જ ઉપદેશ આચાર્યદેવ હવેની ગાથામાં કહે છે–
આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે. (૨૦૬)
હે ભવ્ય! તારે સુખી થવું હોય, તારે નિજપદ પામવું હોય તો તું આ જ્ઞાનસ્વરૂપ આત્માની
પ્રીતિ કર.–કેટલી પ્રીતિ કર?–કે ઉત્તમ પ્રીતિ કર; ક્્યાં સુધી?–કે નિરંતર! ચૈતન્યની પ્રીતિ છોડીને
એક ક્ષણ પણ રાગની પ્રીતિ ન કર. નિરંતર–સતત તું જ્ઞાનસ્વભાવની જ પ્રીતિ કર....અને તેમાં જ
તું સંતુષ્ટ થા. અહો, મારું સુખ, મારો આનંદ મારા નિજપદમાં જ છે,–એમ તું તારામાં જ સંતુષ્ટ થા.
જેટલું જ્ઞાનપદ છે તેટલું જ સત્ય આત્મસ્વરૂપ છે, રાગ છે તે ખરેખર આત્માનું સાચું સ્વરૂપ
નથી. જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે ને તેટલું જ અનુભવીય છે. જ્ઞાનપણે તારા આત્માને
અનુભવ, પણ રાગપણે ન અનુભવ. રાગનો અનુભવ તો અનાદિથી કરી રહ્યો છે પણ તેમાં સંતોષ ન
મળ્યો–સુખ ન મળ્યું–ધર્મ ન થયો. પણ જો આ જ્ઞાનપણે આત્માને અનુભવ તો તે જ ક્ષણે તને સંતોષ
થશે–તૃપ્તિ થશે–સુખ થશે–ધર્મ થશે.
મૂઢ લોકો બહારમાં અનેક પ્રકારની દેવીઓને માતાજી તરીકે ભજે છે, ને તે કાંઈક કલ્યાણ
કરી દેશે–