Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૦૪
પ્રયોજન સાધવું હોય તે મનુષ્ય રાજાને રાજી કરવા માટે વચ્ચે બીજા પાસે અટકતો નથી. સીધો રાજાની
સમીપતા કરે છે, ને તેને સર્વ પ્રકારે રીઝવીને સમુદ્ધિ પામે છે...આમ રાજાની સમીપતા તે મનુષ્યને
સુખસમૃદ્ધિનું કારણ છે, પણ તે માટે રાજાને રાજી કરતાં આવડવું જોઈએ.–તેમ ચૈતન્યરાજા પાસેથી
જેને પોતાના હિતરૂપ પ્રયોજન સાધવું છે તે મોક્ષાર્થી જીવ, જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા સામે ન
જોતાં સીધો ચૈતન્યરાજાની સમીપતા કરે છે ને સર્વ પ્રકારે તેની સેવા–આરાધના કરે છે...બીજે ક્્યાંય
અટક્યા વગર સર્વ પ્રકારના પ્રયત્નથી ચૈતન્યરાજાને રીઝવીને તે જીવ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. આ
રીતે ચૈતન્યરાજાની સમીપતા તે જીવને મોક્ષ સુખનું કારણ છે. પણ તે માટે ચૈતન્યરાજાને રીઝવતાં
આવડવું જોઈએ.
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને ચૈતન્યના સાધક ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને
ઉમળકો આવે છે; અહા! આ ધર્માત્મા ચૈતન્યને સાધી રહ્યા છે–! એમ તેને પ્રમોદ આવે છે, અને હું
પણ આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને ઉત્સાહ જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંત–
ગુરુઓને પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ રીઝવે છે ને સંતગુરુઓ તેના ઉપર
પ્રસન્ન થઈને તેને આત્મપ્રાપ્તિ કરાવે છે. મોક્ષાર્થી જીવના અંતરમાં એક જ પુરુષાર્થ માટે ઘોલન છે કે
કઈ રીતે હું મારા આત્માને સાધું?–કઈ રીતે મારા આત્માના–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું?
આત્મામાં સતત આવી ધૂન વર્તતી હોવાથી જ્યાં સંતગુરુએ તેના શ્રદ્ધા–જ્ઞાનાદિનો ઉપાય બતાવ્યો કે
તરત જ તેના આત્મામાં તે પ્રણમી જાય છે. જેમ ધનનો અર્થી મનુષ્ય રાજાને દેખતાં જ પ્રસન્ન થાય છે
અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે ને મારી દરિદ્રતા ટળશે; તેમ આત્માનો અર્થી મુમુક્ષુ
જીવ આત્મપ્રાપ્તિનો ઉપાય દર્શાવનારા સંતોને દેખતાં જ પરમપ્રસન્ન થાય છે.....તેનો આત્મા ઉલ્લસી
જાય છે કે અહા, મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સંત મળ્‌યા...હવે મારા સંસારદુઃખ ટળશે.....ને
મને મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ અને વિશ્વાસ લાવીને, પછી સંતધર્માત્મા જે રીતે ચૈતન્યને
સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી ચૈતન્યને જરૂર સાધે છે.
જુઓ, આ કોની વાત છે?–આત્માર્થી હોય તેની વાત છે. દેવપદનો અર્થી નહિ, રાજપદનો અર્થી
નહિ, ઝવેરાતનો અર્થી નહિ, માનનો અર્થી નહિ, રાગનો અર્થી નહિ, પણ આત્માનો જ અર્થી,
આત્માની મુક્તિ કેમ થાય તેનો જ અર્થી–એવા જીવને માટે આ વાત છે. ભાઈ, પહેલાં તું સાચો
આત્માર્થી થા! દેહનું–રાગનું–માનનું કે જગતની બીજી કોઈ વસ્તુનું મારે પ્રયોજન નથી, મારે તો એક
મારા આત્માનું જ પ્રયોજન છે, કઈ રીતે હું મારા આત્માનો આનંદ અનુભવું–એ જ એક મારે જોઈએ
છે,–એમ ખરેખરી જિજ્ઞાસા પ્રગટ કરીને જે જીવ આત્માર્થી થયો તેને આત્માનો અનુભવ થાય જ....
તેનો ઉદ્યમ આત્મા તરફ વળે જ.–પરંતુ જેના હૃદયમાં આત્મા સિવાય બીજું કોઈ પણ શલ્ય હોય તે
જીવ ક્્યાંકને ક્્યાંક (–દેહમાં, રાગમાં, પુણ્યમાં, માનમાં કે છેવટ શાસ્ત્રના જાણપણામાં) અટકી જાય
છે, એટલે આત્માને સાધવા માટેનો ઉદ્યમ તે કરી શકતો નથી.. જે જીવ આત્માનો અર્થી થાય તે
આત્મજ્ઞપુરુષોનો સત્સમાગમ કરીને વારંવાર પરિચયપૂર્વક તેમની પાસેથી આત્માનું સ્વરૂપ જાણીને
તેનો નિર્ણય કરે,–અંર્તઅનુભવપૂર્વક તેની શ્રદ્ધા કરે.....આ જ આત્માર્થ સાધવાની એટલે કે
સમ્યગ્દર્શન પ્રગટ કરવાની રીત છે.
આત્માના આવા જ્ઞાન–શ્રદ્ધાન કોણ કરી શકે? આચાર્યભગવાન કહે છે કે બધાય કરી શકે;
આબાલગોપાળ સૌ કરી શકે; જે કોઈ આત્માર્થી થઈને કરવા માંગે તે સૌ કરી શકે. એક શર્ત કે
આત્માનો જ અર્થી હોવો જોઈએ, બીજા શેનોય નહીં. આત્માનો અર્થી થઈને તેને સાધવા માંગે તે જરૂર
સાધી શકે. પોતાના જ ઘરની વસ્તુને (અરે, પોતે જ) પોતે કેમ ન સાધી શકે? અંતરમાં રુચિ કરીને
પોતાના તરફ વળે તે જરૂર સાધી શકે. આત્માનું જ્ઞાન–શ્રધ્ધાન કરીને તેમાં