Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 29

background image
આસો: ૨૪૮૬ : ૧૭ :
ઠરવું –તે એક જ તેને સાધવાની રીત છે, બીજું કોઈ સાધન કે બીજી કોઈ રીત નથી.
આત્માને જાણીને તેનો નિર્ણય કરવો જોઈએ; આત્માના સ્વરૂપનો નિર્ણય ન કરે ને તેમાં શંકા
રહ્યા કરે તો આત્માને સાધવાનો પુરુષાર્થ ઉપડે જ નહી, ને નિઃશંકપણે સ્વરૂપમાં ઠરી શકે નહિ. જે જીવ
આત્મસ્વરૂપને બરાબર જાણે છે, ‘આ ચૈતન્યસ્વરૂપે અનુભવમાં આવે છે તે જ હું છું’–એમ જાણીને
બરાબર નિર્ણય (શ્રદ્ધા) કરે તે જીવ નિઃશંકપણે તેમાં ઠરીને આત્માને સાધે છે આ જ આત્માને
સાધવાની રીત છે, બીજી કોઈ રીતે આત્માને સધાતો નથી.
જેમ રાજાનું શરણ લ્યે અને દરિદ્રતા ન ટળે એમ બને નહિ, તેમ ચિદાનંદ રાજાને ઓળખીને
તેનું જેણે શરણ લીધું તે જીવ સંસારસમુદ્રને જરૂર તરી જાય છે, તેના દુઃખ દરિદ્રતા ટળી જાય છે ને તે
પરમ ચૈતન્યસુખને પામે છે. માટે આત્માર્થી જીવોએ સર્વ પ્રયત્નથી આ ચૈતન્યરાજાને ઓળખીને તેની
જ સેવા–આરાધના કરવા યોગ્ય છે.
અંતરમાં સ્વાદના ભેદથી ભેદજ્ઞાન કરવાનુ્રં છે; ‘આ જે ચૈતન્ય–સ્વાદ આવે છે તે તો મારા
આત્માનો છે, અને જે આકુળતારૂપ સ્વાદ હતો તે મારા આત્માનો સ્વાદ ન હતો પણ રાગનો સ્વાદ
હતો; જેટલો ચૈતન્યસ્વાદ આવે તેટલો હું છું’–આ પ્રમાણે અંતરના વેદનથી રાગને અને આત્માને જુદા
જાણવા. જ્યાં આ પ્રમાણે ભેદજ્ઞાન કર્યું ત્યાં જ જીવને એમ શ્રદ્ધાન્ પણ થાય છે કે આ જે ચૈતન્યપણે
અનુભવમાં આવ્યો તે હું છું, આ ચૈતન્યસ્વરૂપ જ મારે સેવવા યોગ્ય છે, તે જ મારે ઠરવાનું સ્થાન છે–
આમ જાણવું–શ્રદ્ધવું ને ઠરવું તે મોક્ષનો ઉપાય છે.
*
આ સૂચના જરા લક્ષમાં લીજિએ
આ અંકની સાથે “આત્મધર્મ” માસિકનું ૧૭મું વર્ષ
સમાપ્ત થાય છે.....આવતા અંકથી નવું વર્ષ શરૂ થશે.
આપનું નવા વર્ષનું લવાજમ રૂા. ૪–૦૦ વહેલાસર ભરી
આપવા વિનંતિ છે....જેથી આપનો અંક ટાઈમસર રવાના
થઈ શકે. વી. પી. કરવામાં ઘણી મુશ્કેલી પડે છે તેમજ
ખર્ચ પણ વધારે થાય છે. આ મુશ્કેલી અને ખર્ચ બંનેથી
બચવા આપનું લવાજમ જેમ બને તેમ વેલાસર મોકલીને
વ્યવસ્થામાં સહકાર આપશો.
આ ઉપરાંત દરેક ગામના મુમુક્ષુમંડળને પણ ખાસ
સૂચના આપવાની કે, આપના ગામના સર્વે ગ્રાહકોનું
લવાજમ ભેગું કરીને તેની સૂચના સોનગઢ જેમ બને તેમ
વેલાસર મોકલી આપશો.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી દિ
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ: સૌરાષ્ટ્ર