Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 29

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૦૪
તું સ્થાપ નિજને મોક્ષ પંથે.....
જે જીવ મોક્ષાર્થી છે, મોક્ષનો ઈચ્છુક છે એવા સુપાત્ર ભવ્ય જીવને
સંબોધીને આચાર્યદેવ આદેશ કરે છે કે હે ભવ્ય! તું તારા
આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગમાં સ્થાપ!
આસો સુદ પાંચમના રોજ આફ્રીકાવાળા શેઠશ્રી ભગવાનજીભાઈના
મકાનના વાસ્તુપ્રસંગે પૂ. ગુરુદેવના ભાવભીનાં પ્રવચનમાંથી.
(સમયસાર ગાથા: ૪૧૨)
તું સ્થાપ નિજને મોક્ષપંથે,
ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર,
નહિ વિહર પરદ્રવ્યો વિષે.
હે ભવ્ય! તું મોક્ષમાર્ગમાં તારા આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત–અનુભવ અને
તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં ન વિહર,
જુઓ, આચાર્યદેવ સુપાત્ર મોક્ષાર્થી જીવને આજ્ઞા કરીને મોક્ષમાર્ગમાં પ્રેરે છે. મોક્ષાર્થીજીવે શું
કરવું? કે દેહાદિનું અને રાગાદિનું મમત્વ છોડીને મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપવો. હે જીવ!
અનાદિથી બંધમાર્ગમાં આત્માને સ્થાપ્યો છે. ત્યાંથી પાછો વાળીને તારા આત્માને હવે મોક્ષમાર્ગમાં
સ્થાપ.
આચાર્ય ભગવાને પોતાના આત્માને તો મોક્ષમાર્ગમાં સ્થાપ્યો છે, પોતે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમીને તે મોક્ષમાર્ગમાં આત્માને સ્થાપ્યો છે, ને બીજા મોક્ષાર્થીને સંબોધીને કહે છે કે
ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપ. ‘અનાદિકાળથી પોતાના અજ્ઞાન–દોષને વિકારમાં જ
સ્થિત રહ્યો છે તો હવે મોક્ષમાર્ગમાં સ્થિત કેમ થાય?–એમ કોઈને સંદેહ થાય તો આચાર્યદેવ કહે છે કે
હે ભવ્ય! તું મુંઝા મા! પોતાની પ્રજ્ઞાના દોષને કારણે અનાદિથી વિકારમાં સ્થિર હોવા છતાં હવે
ભેદજ્ઞાનવડે તેનાથી આત્માને પાછો વાળીને મોક્ષમાર્ગમાં સ્થિર કરી શકાય છે. માટે અમે કહીએ છીએ
કે હે ભવ્ય! તારી પ્રજ્ઞાના ગુણવડે એટલે કે ભેદજ્ઞાનના બળવડે તારા આત્માને તું વિકારથી પાછો વાળ
ને મોક્ષમાર્ગમાં સ્થાપ.
આચાર્યદેવ ઘણા ઘણા પ્રકારે જીવ–અજીવનું ભેદજ્ઞાન સમજાવીને ૨૮મા કળશમાં કહે છે કે
અહા, આવું સ્પષ્ટ જીવ–અજીવનું ભિન્નપણું અમે બતાવ્યું, તો હવે ક્્યાં જીવને તત્ક્ષણ જ ભેદજ્ઞાન ન
થાય? હવે તો જરૂર ભેદજ્ઞાન થાય જ! માટે હે ભવ્ય! હવે