Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
श्री वीतरागाय नमः
પરમ આદરણીય, સદ્ધર્મ પ્રચારક, ભારતના સુપ્રસિદ્ધ આધ્યાત્મિક સંત.
શ્રીમત્ માનનીય પૂજ્ય શ્રી કાનજી સ્વામી
ના પુનિત કરકમલોમાં સાદરસમર્પિત
અભિનંદન પત્ર
પૂજ્યવર,
આજ મહાસૌભાગ્ય અને ગૌરવની વાત છે કે અમો આજની
ધન્યપળે આપને સંઘસહિત અમારા ગામમાં બિરાજીત નીરખીએ
છીએ, પણ ક્્યાં આપનું સોનગઢ, અને ક્્યાં નાનકડું રખીયાલ
સ્ટેશન! છતાં આનંદનું કારણ છે કે આપ બાહુબલીજી તીર્થધામોની
યાત્રા કરીને પાછા ફરતાં અમારા ગામે પધાર્યા છો અને અમોને
દિવ્યામૃતપાન કરાવ્યું છે. તે બદલે અમો આપના અત્યંત ઋણી છીએ.
અધ્યાત્મયોગી,
લોકોને અનાદિથી વ્યવહારનો પક્ષ છે, શાસ્ત્રોમાં પણ ઠામઠામ
વ્યવહારનો ઉપદેશ વિશેષ છે, અધ્યાત્મનો ઉપદેશ તો ક્્યાંય ક્્યાંય
અને કવચિત વિરલજ છે; તેથી અમારા જેવા મંદ બુદ્ધિ જીવો ઉપર
અસીમ કરુણા કરી અધ્યાત્મજ્ઞાન સુધા વહેવડાવી અમોને
અધ્યાત્મમાર્ગે લગાવ્યા છે.
આત્માર્થી,
આપે આપના આત્માને જગાડયો એટલું જ નહિ પણ
અનાદિની અવિદ્યામાં સૂતેલી દુનિયાને ભેદજ્ઞાનની ભેરીથી જગાડી
આત્માર્થ ભણી લગાવ્યા છે, અને ઘણા જીવોને નવજીવન અર્પ્યું છે.
વીરશાસન પ્રભાવક,
અંતમાં અમો અંતઃકરણપૂર્વક આપનું તથા આપના સંઘનું
સ્વાગત કરીએ છીએ; આપશ્રી પ્રતિ અમારાથી કાંઈ પણ અજાણે
ક્ષતિ થઈ હોઈ તો ક્ષમા યાચીએ છીએ; અને અંતરના ઊમળકાપૂર્વક
આ પુષ્પમાળ આપને અભિનંદનપત્રરૂપે સમર્પિત કરીએ છીએ, એટલું
જ નહિ પરંતુ શ્રીવીરપ્રભુ પ્રતિ પ્રાર્થના કરીએ છીએ કે આપ દીર્ધાયું
થઈ વીરશાસનનો ધર્મધ્વજ અણનમ ફરકાવો......જયવીર!
તા. ૧૨–પ–૧૯પ૯ લી. વિનયવંત
રખીયાલ સ્ટેશન, (જિલ્લો–અમદાવાદ) શ્રી રખીયાલ સ્ટેશન મુમુક્ષુ મંડળ