Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 29

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૦૪
વૈ રા ગ્ય સ મા ચા ર
(૧) અમરેલીવાળા પ્રેમચંદભાઈ ખારા વગેરેનાં બહેન મણિબેન ખારા ભાદરવા સુદ ૧૧ ના રોજ
આકસ્મિક સર્પદંશથી સોનગઢમાં સ્વર્ગવાસ પામી ગયા. તેમની ઉમર લગભગ ૭૩ વર્ષની હતી. લગભગ ૩૦
વર્ષથી તેઓ પૂ. ગુરુદેવના સત્સમાગમમાં આવેલા. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. લગભગ ૨પ
વર્ષ પહેલાં જ્યારે કેટલાક બહેનોને એક ખાસ ફાળો કર્યો ત્યારે તેમણે ઉદારતાથી રૂા. ૧પ૦૦) લખાવ્યા હતા.
ભાદરવા સુદ દસમની બપોરે તો ગુરુદેવના પ્રવચનમાં આવેલા....ને રાત્રે પથારીમાં જ તેમને સર્પદંશ થયો......
પૂ. ગુરુદેવનું અને બેનશ્રીબેનનું તેઓ રટણ કરતા હતા....પૂ. શ્રી શાંતાબેને રાત્રે ત્રણચાર કલાક તેમની પાસે
બેસીને ધાર્મિકવચનો સંભળાવ્યા હતા, ગુરુદેવનું નામ સાંભળીને તેઓ પ્રમોદ બતાવતા હતા, અને પોતાની
બધી મુડી શુભખાતામાં વપરાય એવી ઈચ્છા તેમણે કરી હતી.....આથી તેમના ભાઈઓએ તેમના લગભગ
રૂા. ૭૦૦) જિનમંદિરમાં તેમજ બીજા શુભખાતાઓમાં આપેલ છે. સંસારના ક્ષણ ભંગુરતાના આવા દાખલા
રોજ રોજ બન્યાં જ કરે છે...આવા અસાર અને ક્ષણભંગુર સંસારમાં દેવ–ગુરુ–ધર્મ જ શરણરૂપ છે. સ્વ.
મણિબેનનો આત્મા શ્રી દેવ–ગુરુ–ધર્મના શરણે સમ્યક્ત્વાદિની આરાધના વડે, અનાદિના મિથ્યાત્વાદિનું ઝેર
ઉતારીને અમૃતમયસિદ્ધપદને પામે.....એમ ભાવના ભાવીએ છીએ.
(૨) ધાંગ્રધાંના ભાઈશ્રી છોટાલાલ ડામરદાસના સૌથી નાના સુપુત્ર ધીરેન્દ્રકુમાર
(–બ્ર.કંચનબેન વગેરેના ભાઈ) ભાદરવા વદ બીજના રોજ જામનગર મુકામે આકસ્મિક સ્વર્ગવાસ
પામી ગયા છે. તેમની ઉમર માત્ર ૧૯ વર્ષની હતી અને ભાવનગર કોલેજમાં ઈન્ટર–કોમર્સનો અભ્યાસ
કરતા હતા ભાવનગરની વોલીબોલ ટીમમાં તેઓ જામનગર રમવા ગયેલા, ત્યાં રણજીતસાગર તળાવ
જોવા ગયેલ, તે વખતે અકસ્માતે પગ લપસી જતાં તેઓ તળાવમાં પડી ગયા ને તેમનો સ્વર્ગવાસ થઈ
ગયો. સોનગઢમાં આ સમાચાર આવતાં વૈરાગ્યનું ઘેરું વાતાવરણ છવાય ગયું......અને એમના
કુટુંબીજનો ઉપર તો જાણે કપરી પરીક્ષા આવી પડી. પરંતુ સંતજ્ઞાનીઓની સમીપતાના પ્રતાપે તેમના
બધા કુટુંબીઓએ ધૈર્ય રાખીને વૈરાગ્યના માર્ગે પોતાના પરિણામ વાળ્‌યા છે. ખરેખર, જ્ઞાનીઓની
અમૃત છાંયડી જગતના ગમે તેવા પ્રતિકૂળ–અનુકૂળ પ્રસંગમાં પણ આત્માર્થી જીવને કેવી શરણભૂત
થાય છે–તે આવા પ્રસંગે વિશેષ દેખાઈ આવે છે. જ્ઞાનીઓ ખરું જ કહે છે કે ભાઈ! આ તો તારી
પરીક્ષાના પ્રસંગો છે; આવા પ્રસંગ ઉપરથી તો આત્માર્થી જીવે આત્માને ચાનક ચડાવીને ઝટઝટ
આત્માર્થ સાધવા માટે તત્પર થવા જેવું છે. અરે આત્મા! સંસારની આવી ક્ષણભંગુર સ્થિતિ જાણીને તું
તેનાથી પાછો વળ....ને તારા પરિણામને આત્મહિતમાં જોડ.
ભાઈ ધીરેન્દ્રનો સ્વભાવ ઘણો સરલ, શાંત અને ભદ્રિક હતો. પૂ. ગુરુદેવ પ્રત્યે તેને ઘણો ભક્તિભાવ
હતો અને ગુરુદેવની ચરણસેવા માટે તેને એટલો પ્રેમ હતો કે તે માટે દર શનિ–રવિની રજામાં તે સોનગઢ
આવતો, ને ગુરુદેવની સેવાનો લાભ લેતો. કોલેજના અભ્યાસમાં તેમજ રમતગમતમાં પણ તે પ્રથમ કક્ષાનો
વિદ્યાર્થી હતો, એટલું જ નહિ, કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં તે ખૂબ પ્રિય હતો....તેના સ્વર્ગવાસની
વાત સાંભળતાં અનેક કોલેજો તરફથી શોક પ્રસ્તાવ થયા હતા. બે વર્ષ પહેલા સોનગઢમાં “બલીદાન અને
પ્રભાવના” નામનું અકલંક–નિકલંકનું એક સુંદર નાટક થયેલ તેમાં અકલંકનું મુખ્ય પાત્ર ધીરેન્દ્રકુમારે ઘણું
જ સુંદર ભજવ્યું હતું. તેમનું આખું કુટુંબ ધર્મપ્રેમી છે, તેમની ચારેય બહેનો બાલબ્રહ્મચારી છે અને
સોનગઢમાં જ રહીને સંતોની સેવામાં આત્મહિતની ભાવના પૂર્વક પોતાનું જીવન વીતાવે છે; ભાઈ ધીરેન્દ્રની
પણ પોતાની બહેનોને અનુસરવાની ભાવના હતી. જામનગર જતાં પહેલાંના પત્રમાં તો તે લખે છે કે મારી
જામનગર જવાની ઈચ્છા ન હતી મારી તો સોનગઢ ગુરુદેવ પાસે આવવાની ઈચ્છા હતી, પરંતુ ટીમની સાથે
જવું પડે છે: પાછા ફરતાં વદ ત્રીજે સોનગઢમાં ઉતરીશ–પરંતુ કુદરતમાં તેની આ ભાવના પૂરી થવાનું
લખાયું ન હતું....ત્રીજને દિવસે સોનગઢમાં હજી તો તેની આવવાની રાહ જોવાતી હતી–તેને બદલે બીજા જ–
ન સાંભળી શકાય એવા સમાચાર આવ્યા, ને માત્ર મંડળમાં જ નહિ પરંતુ આખા સોનગઢમાં શોકની
લાગણી પ્રસરી ગઈ...ગુરુદેવ તો ઘણા દિવસ સુધી વૈરાગ્યની ધૂનમાં રહ્યા; તેઓ ધીરેન્દ્રનો કરુણ વૈરાગ્ય
પ્રસંગ યાદ કરીને વારંવાર વૈરાગ્ય ભરેલા ઉદ્ગારો, સજ્ઝાયો, શ્રીકૃષ્ણ વગેરેનાં દ્રષ્ટાંતો કહેતા; ધીરેન્દ્રના
કુટુંબીજનોને ગુરુદેવે ઘણી વૈરાગ્ય ભરેલી શિખામણદ્વારા આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે