પુન્યના શુભભાવ પણ અનંતવાર કર્યા પણ સર્વ વિકારથી પાર હું જ્ઞાનાનંદ મૂર્તિ છું એવા આત્માનું ભાન
કર્યું નથી.
દેખાય તેમ પુન્યપાપ અને પરાશ્રયની આડમાં ચૈતન્ય જ્યોતિ ન દેખાય; આમ વ્યવહારની રૂચિ સંસારની
રૂચિના કારણે અવિકારી જ્ઞાનાનંદ મૂર્તિનો સાક્ષાત્કાર તેં કદી કર્યો નથી, તેમાં તારો દોષ છે, કોઈ કર્મ, ક્ષેત્ર
સંયોગનો દોષ નથી.
કહેવાય છે. સમ્યક્દર્શન ઉપરાન્ત નિશ્ચય બ્રહ્મચર્યાદિ વ્રત વિના વ્યવહાર વ્રત હોય શકે નહિ.
શુદ્ધદ્રષ્ટિ–જ્ઞાન–લીનતા વડે સ્થિરતા થાય અને રાગ ત્રુટતો જાય તેને સમ્યક્દર્શન પૂર્વક વ્રત કહેવામાં આવે
છે. આ વિના માત્ર પુરૂષને સ્ત્રીનો ત્યાગ અને સ્ત્રીને પુરૂષના ત્યાગરૂપે પ્રતિજ્ઞામાત્રથી જ્ઞાનાનંદ સ્વરૂપમાં
વિંટાવારૂપ વ્રત ન કહેવાય–હાં, સાધારણ નૈતિક જીવનની ભૂમિકામાં પણ કૂશીલ ન હોય, લોક નિંદ્ય
અનાચાર ન હોય, વ્યવહારમાં વિવેકી જીવો સ્વ પર સ્ત્રી, પુરુષમાં વિષયનો ત્યાગ કરે, તે ભાવને
શુભભાવરૂપી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે, તેને પ્રતિજ્ઞા કહેવાય. વ્રત જુદી ચીજ છે.–નિશ્ચયે વ્રત તો ચારિત્ર છે
તે તો જ્ઞાનાનંદ સ્વરૂપમાં શ્રદ્ધા દ્વારા અને સ્થિરતા દ્વારા વિંટાઈ જાય તેને હોય છે.
દાનાદિના ભાવ ધર્મ–જિજ્ઞાસુઓને આવે છે પણ તે શુભભાવ છે તેની ખતવણી–પુન્યબંધનમાં થવી જોઈએ.
પુણ્ય કરતાં કરતા ધર્મ થશે એમ માને તો મિથ્યાત્વની પૂષ્ટિ થાય છે. વળી ધર્મનું સ્વરૂપ તેનાથીય સમજી
શકાય નહિ.
વિકલ્પનો કોટ છે, તેનાથી ભિન્ન અંદરમાં જાગતી જ્યોતિ ચૈતન્યચમત્કાર, પ્રભુ, સચ્ચિદાનંદ આત્મા પોતે
શાશ્વત બિરાજમાન છે. તે રજકણમાં શરીરની ક્રિયામાં ગોતતાં મળશે નહિ,–પુન્યપાપ વિકારની આડમાં નહીં
મળે. બાહ્યમાં કોઈ તીર્થક્ષેત્રે, ડુંગરે, ખોજે નહીં મળે. સાક્ષાત્ અર્હંત પરમાત્મા પાસે ધર્મસભામાં જાય તો તે
પણ કાંઈ આપી દેતા નથી.
તપ,