Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 29

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૧૦
જામનગરમાં શ્રીપંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં દીક્ષા
કલ્યાણકપ્રસંગનું વૈરાગ્યપ્રેરક પ્રવચન
(મહા સુદી પ, તા. ૨૧–૧–૬૧)
૧. હમણાં ભગવાન શ્રી પાર્શ્વનાથનો દીક્ષાનો મહોત્સવ થયો. તેમને આત્મજ્ઞાન તો પૂર્વ ભવોમાં હતું જ.
તીર્થંકર ભગવાન થનાર આત્મા, આ ભવમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાન લઈને આવે છે, કોઈ નારક ક્ષેત્રથી
આવીને, કોઈ સ્વર્ગથી આવીને તીર્થંકર થાય છે. ગર્ભ, જન્મ, દીક્ષા (–તપ) કેવળજ્ઞાન અને મોક્ષ (–નિર્વાણ)
એ પાંચે કલ્યાણકવાળા તીર્થંકરોએ તો ત્રીજે ભવે (આગળથી) તીર્થંકર નામકર્મ બાંધેલું હોય છે સમ્યગ્દર્શનની
ભૂમિકામાં શુભરાગથી તે કર્મ બંધાય છે. અહો! આવો પૂર્ણસ્વતંત્રતાનો માર્ગ બધા પામે અને હું પૂર્ણ થાઉં, એવા
પ્રકારના રાગના નિમિત્તે કર્મ બંધાણું તે રાગ અને કર્મ બેઉ અનિત્ય છે, તીર્થંકરનો દેહ પણ અનિત્ય છે. તે
જીવોને તીર્થંકર પદ તો કેવળજ્ઞાન પ્રગટ થતાં થાય છે પણ ગૃહસ્થદશામાં વૈરાગ્ય થતાં તેમને જાતિસ્મરણજ્ઞાન
થાય છે અને વિશેષ વૈરાગ્યવંત થઈ નિર્ગ્રંથદશા ધારણ કરે છે. જગતથી સર્વ પ્રકારે ઉદાસ થઈ એવી ભાવના
તીર્થંકર પણ ભાવે છે કે હું દેહ નહિ, વાણી નહિ, મન નહિં તેમનું કારણ નથી કર્તા કરાવનાર પ્રેરક પણ નથી.
શરીર અનિત્ય છે, પુણ્યપાપ રાગદ્વેષ મોહ આસ્રવો અનિત્ય છે, મલિન છે, આત્મા નિત્ય નિર્મળ છે.
અનિત્યતા કેવી છે કે માતા જન્મ આપે તે પહેલાં જ આ શરીર અનિત્ય માતાની ગોદમાં પડે છે,
માતા તો ત્યાર પછી ગોદમાં લે છે. હું તો કોઈનો પુત્રાદિ નથી એવું ભેદજ્ઞાન તો પ્રથમથી જ હોય છે, તેની
વિશેષપણે વૈરાગ્ય અર્થે જ્ઞાનીજીવ ભાવના ભાવે છે. નક્કી તે જ ભવે મોક્ષ જાય છે છતાં સર્વ તીર્થંકરો
અનિત્યાદિ બાર પ્રકારની ભાવના ભાવે છે.
ર. શ્રીમદ્ રાજચંદ્રજી પણ ભાવના ભાવતા હતા કે :–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત પુરુષને પંથ જો.
અપૂર્વ.
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ.
દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.
અપૂર્વ.
જગત્ગુરુ તીર્થંકર દેવના વૈરાગ્યની શી વાત! મહાન ગંભીર સહજ વૈરાગ્યની તેઓ મૂર્તિ છે.
અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં એ સંત શિરોમણી તે જ ભવે મોક્ષ લેવાના હોય છે.
૪. ત્રણ કાળે મુનિ દશા (સાધુ પરમેષ્ટી) છે તે બાહ્ય અભ્યંતર નિર્ગ્રન્થ જ હોય છે, બાહ્યમાં વસ્ત્રનો
કટકો પણ નહીં, અંદરમાં ત્રણ કષાયના અભાવપૂર્વક વીતરાગી શાન્તદશારૂપ ચારિત્ર તેમને હોય છે.