
ને વારંવાર દ્રઢપણે તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કર. જ્યાં સુધી આત્માના આનંદનો સ્વાદ અનુભવમાં ન આવે
ત્યાંસુધી જ બાહ્ય ઈંદ્રિયવિષયોમાં પ્રીતિ હોંસ ઉલ્લાસ–સુખ લાગે છે, ને આત્માના અનુભવમાં કષ્ટ લાગે છે;
પણ જ્યાં ચૈતન્યના આનંદનું વેદન થ્યું ત્યાં આત્માના આનંદની જ પ્રીતિ–હોંસ–ઉલ્લાસ–ને ભાવના થાય છે,
પછી તેમાં કષ્ટ નથી લાગતું; અને વિષયો તેને સુખકર નથી લાગતા પણ કષ્ટરૂપ લાગે છે, જ્યાં આનંદ અને
શાંતિનો સ્વાદ આવે તેમાં કષ્ટ કેમ લાગે? જેણે તે સ્વાદ ચાખ્યો નથી તેને જ કષ્ટ લાગે છે;
સુધી જવું કષ્ટરૂપ લાગે છે. પણ જ્યાં એકવાર તે મીઠા કૂવાનું સ્વચ્છ પાણી ચાખ્યું ત્યાં ખારા પાણીનો સ્વાદ
ઊડી ગયો...ને હવે ઘર આંગણે મળતું ખારું પાણી છોડીને અડઘોગાઉ આઘે મીઠું પાણી લેવા જતાં તેને કષ્ટ
નથી લાગતું, વચ્ચે ટાઢ–તડકા તેને નથી નડતા; સ્વાદ ચાખ્યા પછી તેમાં કષ્ટ નથી લાગતું. તેમ અજ્ઞાની જીવે
અનાદિથી સદા બાહ્યઈંદ્રિયવિષયોના આકુળતારૂપ ખારા સ્વાદને જ ચાખ્યો છે, પણ આત્માના અતીન્દ્રિય
અનાકુળ મીઠા સ્વાદને–આનંદને ચાખ્યો નથી, તેથી તેના પ્રયત્નમાં તેને કષ્ટ લાગે છે. પણ જ્યાં અંતર્મુખ
ચૈતન્યકૂવામાં ઊંડે ઊતરીને વિષયાતીત આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં તેના વારંવાર પ્રયત્નમાં તેને કષ્ટ લાગતું
નથી, ઊલટું બાહ્ય વિષયો તેને ખારા લાગે છે–નીરસ લાગે છે. માટે આત્માની જ ભાવના કરવી.
येनाऽविद्यामयं रूपं त्वक्तवा विद्यामयं व्रजेत् ।। ५३।।
તેની જ અભિલાષા કરવી, અને આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઈષ્ટ બનાવવું, તેમાં જ તત્પર થવું, તે
આત્મસ્વરૂપની ભાવનામાં સાવધાન થવું ને તેનો આદર વધારવો.–આ પ્રકારે આત્મસ્વરૂપની ભાવના
કરવાથી અજ્ઞાનમય બહિરાત્મપણું છૂટીને જ્ઞાનમય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
ઉત્સાહિત થવું. જ્ઞાનમાં–શ્રદ્ધામાં–ઉત્સાહમાં–વિચારમાં બધાયમાં એક આત્માને જ વિષયરૂપ કરવો. તેને જ
આદરવો.–આમ કરવાથી પરિણતિ બીજેથી ખસીને આત્મા તરફ વળે છે.
पृच्छयं श्रव्यं भवति विदुषाभ्यस्यभावर्जनीयं ।
वेद्यं गद्यं किमपि तदिह प्रार्थनीयं विनेयं,
द्रश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वं।। ६–४९।।
અભ્યાસવાયોગ્ય છે–૬, ઉપાર્જન કરવાયોગ્ય છે–૭, જાણવાયોગ્ય છે–૮, કહેવાયોગ્ય છે–૯, પ્રાર્થવાયોગ્ય છે–
૧૦, શિક્ષા–ઉપદેશયોગ્ય છે–૧૧, દર્શનયોગ્ય છે–૧૨, અને સ્પર્શન (અનુભવન) યોગ્ય છે,–આમ તેર બોલથી
એટલે કે સર્વપ્રકારે આત્મ–