
આજના દિવસે ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની વાણી કાં ન છૂટે? તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે
ગણધરપદને લાયક જીવ હાજર નથી, ને તે લાયકાત ઈન્દ્રભૂતિ–ગૌતમમાં છે; એટલે ઈન્દ્ર પોતે બ્રાહ્મણનું
રૂપ ધારણ કરીને ઈન્દ્રભૂતિને વાદવિવાદના બહાને ભગવાનના સમવસરણમાં તેડી લાવે છે.
સમવસરણમાં દૈવી માનસ્તંભ અને દૈવી વૈભવ જોતાં જ ગૌતમનાં માન ગળી જાય છે; ભગવાન પાસે
નમી જાય છે, અને ત્યાં દિવ્યધ્વનિ છૂટતાં ગણધરદેવ તે ઝીલીને બાર અંગની રચના કરે છે, તે આજનો
દિવસ છે.
તેમજ પોતે મહાવિદેહમાં જઈને સાક્ષાત્ સીમંધર–પરમાત્માની વાણી સાંભળી હતી,–તેમણે સમયસારાદિ
મહાન શાસ્ત્રો રચ્યાં છે, તેમાં પણ ભગવાનનો ઉપદેશ ગુંથ્યો છે.
છે. ગણધર ભગવાને બાર અંગરૂપ શાસ્ત્રો પણ ત્યાં જ રચ્યા છે, એટલે શાસ્ત્રની ઉત્પત્તિનું પણ તે
તીર્થસ્થાન છે. અહા! ગણધરદેવની તાકાતની શી વાત? ચાર જ્ઞાનનાં ધારક, શ્રુતકેવળી અને ઉત્કૃષ્ટ
લબ્ધિઓના ધારક ગણધરદેવ એક અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે છે, અને મોઢેથી પણ અંતર્મુહૂર્તમાં
બાર અંગ ઉચારી શકે એવી તેમની વચનલબ્ધિ છે. તેઓ તદ્ભવમોક્ષગામી–ચરમશરીરી હોય છે. અહા, ક્્યાં
ક્ષણ પહેલાંનાં ગૌતમ–જેઓ મહાવીરપ્રભુ સાથે વાદવિવાદ કરવા આવતા હતા! અને ક્્યાં ક્ષણ પછીના
ગૌતમ–કે જેઓ ગણધરપદ પામ્યા, ને જેમણે બાર અંગની રચના કરી! ચૈતન્યની અચિંત્ય તાકાત છે. સવળો
પુરુષાર્થ કરતાં તે ક્ષણમાં પ્રગટે છે.
તીર્થંકર થશે.
છે, તેની ઉત્પત્તિ આજે થઈ, રાજગૃહીનગરમાં પંચશૈલપુર (પાંચ પહાડી) છે, ત્યાં વિપુલાચલ ઉપર સૌથી
પહેલવહેલો દિવ્યધ્વનિ આજના દિવસે છૂટયો હતો. એ રીતે આજનો દિવસ મંગલ છે, શાસનના મહોત્સવનો
મોટો દિવસ છે.
અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બાહ્યવિષયોનું કૌતુક છૂટી ગયું છે.–એ વાત આ ૬૦મી ગાથામાં
પૂજ્યપાદ સ્વામી બતાવે છે–