Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
માહ: ૨૪૮૮ : ૯ :
વાનના ચોપડા તપાસીને તત્ત્વોનું સરવૈયું કાઢે કે કયા તત્ત્વો હેય છે કયા તત્ત્વો ઉપાદેય છે ને કયા તત્ત્વો જ્ઞેય
છે? તથા પરિણામમાં લાભ–નુકશાન કઈ રીતે છે તે જાણીને, લાભ થાય તે પ્રકારે પ્રવર્તે. શંકા પડે તો વિશેષ
જાણકારને પૂછીને નિર્ણય કરે. ‘વાંચે પણ નહિ કરે વિચાર’–એટલે કે વાંચે પણ નિર્ણય ન કરે તો
શાસ્ત્રસ્વાધ્યાયનો ખરો લાભ થાય નહિ. આત્માના લક્ષે સ્વાધ્યાય કરવી. હંમેશા કલાક–બે કલાક કે એથી
પણ વધારે વખત નિવૃત્તિ લઈને શાંતપરિણામપૂર્વક આત્માની રુચિથી સ્વાધ્યાય કરવી–તે દરેક શ્રાવકનું
દરરોજનું કર્તવ્ય છે.
પ્રશ્ન:– તો પછી વેપારધંધા ને ઘરનાં કામ ક્્યારે કરવા?
ઉત્તર:– પુણ્ય અનુસાર બહારનાં કામ તો તેના કારણે થયા કરે છે, તેમાં તારો જેટલો ઉપયોગ
જોડ તેટલો અશુભભાવ છે. શું ચોવીસે કલાક અશુભમાં જ પડ્યા રહેવું છે? ધર્મની રુચિવાળાને
ચોવીસે કલાક વેપારધંધાની એવી તીવ્ર લોલુપતા ન હોય કે શાસ્ત્ર વાંચવાનો વખત જ ન મળે.–તે
હંમેશા સ્વાધ્યાય કરવા માટે અમુક નિવૃત્તિ લ્યે. અહો, આ પાપભાવોમાં તો જેટલો ઓછો વખત
અપાય તેટલું સારું છે ને શાસ્ત્ર સ્વાધ્યાય–ચિંતન–મનન વગેરેમાં જેટલો વધારે વખત અપાય તેટલું
ઉત્તમ છે,–એવી ભાવના હોય. શાસ્ત્ર–સ્વાધ્યાય વડે નવા નવા પડખાથી તત્ત્વનિર્ણય કરતાં જ્ઞાનાદિની
નિર્મળતા થતી જાય છે ને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. માટે શાસ્ત્રસ્વાધ્યાય તે હંમેશનું કર્તવ્ય છે.
ગણધરભગવાને સ્વાધ્યાયને પણ પરમ તપ કહ્યું છે. શાસ્ત્ર લઈને ઘરના કબાટમાં રાખી મુકે તો
સ્વાધ્યાયનો ખરો લાભ ન થાય; શાસ્ત્રો વાંચે તો નવા નવા પડખાંનું જ્ઞાન થાય,–શું જાણતા’ તા, શું
નહોતા જાણતા, અથવા સમજણમાં ક્્યાં ફેર હતો તેનો નિર્ણય સ્વાધ્યાયથી થાય છે. ધર્મની રુચિવાળા
શ્રાવકને જ્ઞાનનો રસ હોય એટલે વીતરાગીશાસ્ત્રોની સ્વાધ્યાયનો પણ તેને પ્રેમ આવે, તેથી તે તેનું
હંમેશનું કર્તવ્ય છે. તેમાં તેને બોજો ન લાગે પણ ઉત્સાહ આવે. શાસ્ત્રની અધ્યાત્મચર્ચામાં નવા નવા
સૂક્ષ્મ ન્યાયોનું સ્પષ્ટીકરણ થતાં તત્ત્વના જિજ્ઞાસુને જે આનંદ થાય તેવો આનંદ મોટા મોટા રાજાઓને
રાજપાટમાં પણ નથી. સર્વાર્થસિદ્ધિ વગેરે દેવલોકના દેવો સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે, આત્માનો અનુભવ
તેમણે કર્યો છે, તે દેવો પણ અસંખ્યાતા વર્ષો સુધી દેવલોકમાં ધર્મની ચર્ચા કરે છે. સાધર્મીઓ સાથે
મળીને જિજ્ઞાસુભાવે ધર્મની ચર્ચા કરવી તે પણ સ્વાધ્યાય છે, ગુરુ પાસે વિનયથી સાંભળવું કે પૂછવું તે
પણ સ્વાધ્યાય છે, ગુરુ પાસેથી સાંભળેલું અધ્યાત્મતત્ત્વ મનમાં ચિંતવવું તે પણ સ્વાધ્યાય છે.
આ રીતે શ્રાવકે હંમેશા કરવા યોગ્ય છ કર્તવ્યોમાંથી દેવપૂજા, ગુરુની ઉપાસના અને શાસ્ત્રની
સ્વાધ્યાયએ ત્રણની વાત કરી; તે ઉપરાંત પોતાની ભૂમિકા મુજબ અને શક્તિ પ્રમાણે સંયમ, તપ અને દાન–
એ પણ શ્રાવકે હંમેશા કર્તવ્ય છે.
(૪) સંયમ:– જે ચૈતન્યનો ઉપાસક છે, આત્માની સેવા–આરાધના કરનાર છે–એવો શ્રાવક કષાયોને
અને ઈન્દ્રિયવિષયોને ઘટાડીને રોજે રોજ સંયમનો અભ્યાસ કરે. વિષય કષાયોમાં સ્વચ્છંદપણે તેની પ્રવૃત્તિ ન
હોય; ચૈતન્યનો રસ જેણે ચાખ્યો છે, અથવા ચૈતન્યરસનો જેને પ્રેમ છે તેને આકુળતાજનક બાહ્યવિષયો પ્રત્યે
સહેજે વૈરાગ્ય હોય. તેથી કહ્યું છે કે:–
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી,
જ્ઞાની મગન વિષય સુખ માંહી, યહ વિપરીત સંભવે નાંહી.
જ્ઞાનીને ચૈતન્યના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે ઈન્દ્રિયવિષયો તૂચ્છ ભાસ્યા છે; જેને આત્માની
ઉપાસનાનો પ્રેમ હોય તેને જગતના બાહ્યવિષયો પ્રત્યે વૈરાગ્ય હોય. ‘બાહ્યવિષયોમાં શું વાંધો છે!’ એવી
વૃત્તિ તેને ન આવે. જ્યાં બાહ્યવિષયોનો પ્રેમ (રુચિ) હોય ત્યાં ચૈતન્યનો પ્રેમ હોઈ શકે નહિ. ચૈતન્યનો પ્રેમ
થાય ત્યાં બાહ્યવિષયોનો પ્રેમ ઉડી જાય. તેથી શ્રાવકને હંમેશા સંયમની ભાવના હોય છે ને શક્તિ અનુસાર
વ્રતાદિનું પાલન કરીને સંયમ પાળે છે.
(પ) તપ:– વળી સંયમ ઉપરાંત તપ પણ કરે. અષ્ટમી, ચતુર્દશીના ઉપવાસ કે એકાશન વગેરે
પ્રકારના તપ પોતાની શક્તિ અનુસાર શ્રાવક કરે. તપના બાર પ્રકાર