
નથી. એનાથી પુણ્ય બંધાય ને ધૂળ મળે.
ભાઈ, ખરેખર કુણો નથી. આ વાત જ જુદી છે.
એ વાત તો પહેલાં કરી કે ધર્માત્મા દેવ–ગુરુ–શાસ્ત્ર એનો બરાબર વિનય બહુમાન બધું હોય; કાંઈ
સમજાણું? પછી ગમે તેટલા ભણતર હો ને ગમે તેવો મોટો ત્યાગી મુનિ થઈને ૨૮ મૂળગુણ પાળતો હોય, તો
પણ મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થાશ્રમમાં હોય એનો પણ જો અનાદર અને અવિનય કરે તો મિથ્યાત્વને
બાંધે ને ૭૦ ક્રોડાક્રોડીની સ્થિતિ બાંધે. પણ એથી કરીને આ સ્વભાવની વસ્તુ છે તે તેટલામાં આવી જાય–
એમ નથી.
જગતનો છે, જગતમાં હું નથી ને હું માં જગત નથી–આવી નિર્લેપ–નિષ્તુષ દ્રષ્ટિ જેને કરવી છે,–મેલનો કણ
જેમાં નથી, ભગવાન જ્ઞાનનો ગાંગડો ચૈતન્યમૂર્તિ, ત્રણેકાળે રાગથી તદ્રન નીરાળું તત્ત્વ–એવું જેને દ્રષ્ટિમાં
બેસાડવું છે તેને આવી રાગની મંદતા કે દાનાદિનો ભાવ ન હોય એમ બને નહિ. તે હોય ખરું–પણ તે ધર્મ છે
કે કલ્યાણ છે કે તેનાથી હળવે હળવે સમ્યગ્દર્શન પામશું કે આત્મામાં જશું–એમ જો માને તો, બાપુ! ત્યાં મોટી
ભૂલ થાય છે.
ભય ટાળીને નાખ્યા બીજે! જેની ચીજમાં ભવ ન મળે એવો ભગવાન, આત્મા, તેને ડર નહીં, ભય નહીં,
દુનિયાની દરકાર નહીં; જગત જગતમાં રહ્યું ને આત્મા આત્મામાં. વિકલ્પ ઊઠે તે બધાય જગતમાં રહ્યા, તેની
સાથે આત્મા તન્મય નથી. આવો આત્માનો સ્વભાવ અંતરદ્રષ્ટિમાં લઈને જ્ઞાનની નિર્મળકણિકા–એટલે
સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળપર્યાય પ્રગટ થાય તે જ નિષ્તુષ પરમાર્થમાર્ગ છે, બીજો કોઈ માર્ગ
ત્રણકાળ ત્રણલોકમાં નથી.
ને પછી નિશ્ચય–એમ નથી; અને નિશ્ચયભાન થયા પછી જો વ્યવહાર બિલકુલ ન હોય તો તો કેવળજ્ઞાન થઈ
જાય. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હોય, કરવો એમ નહિ; બરાબર હોય, વિકલ્પના કાળે તેવો ભાવ હોય,
ભક્તિ આવે, ગુરુ પાસે જઈને આલોચના કરે, પ્રાયશ્ચિત લ્યે, જડની ક્રિયા પણ તેમ થવાની હોય, વિકલ્પ
ઊઠવાનો કાળ એવો જ હોય,–પણ તેથી વસ્તુનો સ્વભાવ જ્ઞાન છે–દ્રષ્ટા છે તે ભાન ચાલ્યું જાય છે–એમ
નથી. સ્વભાવનું ભાન રાખીને તેવા ભાવ હોય છે પણ તે ભાવને સ્વભાવની સાથે જો એકમેક માને તો
મિથ્યાદ્રષ્ટિ છે. દ્રષ્ટિના–સત્યના સ્વભાવનો આશ્રય શું છે, ક્્યાં ઢળવું છે, ને ઢળેલી દશા કેવી હોય–તેની એને
ખબર નથી.