Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
માહ : ૨૪૮૮ : ૧૧ :
પરમાર્થના અનુભવનો ઉપદેશ
(અનુસંધાન પૃષ્ઠ ૬ થી ચાલુ)
લોભરૂપી કુવાની ભેખડમાં પડેલા પ્રાણીઓ ઉપર કરુણા કરીને તેને ઉદ્ધારવા દાનનો ઉપદેશ દીધો છે.
–પણ એટલેથી એમ માની જાય કે આનાથી અમારું કલ્યાણ થશે, આ તરવાનો ઉપાય છે,–તો એમ પણ માર્ગ
નથી. એનાથી પુણ્ય બંધાય ને ધૂળ મળે.
(એક શ્રોતા:)–કુણો તો થાય?
ભાઈ, ખરેખર કુણો નથી. આ વાત જ જુદી છે.
એ વાત તો પહેલાં કરી કે ધર્માત્મા દેવ–ગુરુ–શાસ્ત્ર એનો બરાબર વિનય બહુમાન બધું હોય; કાંઈ
પણ એનો આક્ષેપ, એનો વિરોધ, એની નિંદા, એનો અવિનય–કાંઈ પણ હોય તો મિથ્યાત્વને બાંધે છે.–
સમજાણું? પછી ગમે તેટલા ભણતર હો ને ગમે તેવો મોટો ત્યાગી મુનિ થઈને ૨૮ મૂળગુણ પાળતો હોય, તો
પણ મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થાશ્રમમાં હોય એનો પણ જો અનાદર અને અવિનય કરે તો મિથ્યાત્વને
બાંધે ને ૭૦ ક્રોડાક્રોડીની સ્થિતિ બાંધે. પણ એથી કરીને આ સ્વભાવની વસ્તુ છે તે તેટલામાં આવી જાય–
એમ નથી.
મુંબઈમાં કોઈ કહેતા હતા કે મહારાજને અંતે દાન ઉપર તો આવવું પડ્યું!–પણ ભાઈ! આત્માનું
અકષાયસ્વરૂપ જેને પકડવું છે એને તૃષ્ણાની મંદતા તો કેટલી જોઈએ!–જેમાં કાંઈ છે જ નહિ, રાગનો કણ
જગતનો છે, જગતમાં હું નથી ને હું માં જગત નથી–આવી નિર્લેપ–નિષ્તુષ દ્રષ્ટિ જેને કરવી છે,–મેલનો કણ
જેમાં નથી, ભગવાન જ્ઞાનનો ગાંગડો ચૈતન્યમૂર્તિ, ત્રણેકાળે રાગથી તદ્રન નીરાળું તત્ત્વ–એવું જેને દ્રષ્ટિમાં
બેસાડવું છે તેને આવી રાગની મંદતા કે દાનાદિનો ભાવ ન હોય એમ બને નહિ. તે હોય ખરું–પણ તે ધર્મ છે
કે કલ્યાણ છે કે તેનાથી હળવે હળવે સમ્યગ્દર્શન પામશું કે આત્મામાં જશું–એમ જો માને તો, બાપુ! ત્યાં મોટી
ભૂલ થાય છે.
આત્મા ‘નિર્ભયરામ’ છે. આત્મામાં ભય કેવો! ભગવાન ચૈતન્યમૂર્તિ, તેમાં રાગ નથી, વિકલ્પ નથી
ખરેખર ભગવાન આત્મા નિર્ભયરામ ચૈતન્ય જ્યોત છે, એને ભય કેવો દુનિયામાં? ભવનો ભય ન મળે;
ભય ટાળીને નાખ્યા બીજે! જેની ચીજમાં ભવ ન મળે એવો ભગવાન, આત્મા, તેને ડર નહીં, ભય નહીં,
દુનિયાની દરકાર નહીં; જગત જગતમાં રહ્યું ને આત્મા આત્મામાં. વિકલ્પ ઊઠે તે બધાય જગતમાં રહ્યા, તેની
સાથે આત્મા તન્મય નથી. આવો આત્માનો સ્વભાવ અંતરદ્રષ્ટિમાં લઈને જ્ઞાનની નિર્મળકણિકા–એટલે
સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળપર્યાય પ્રગટ થાય તે જ નિષ્તુષ પરમાર્થમાર્ગ છે, બીજો કોઈ માર્ગ
ત્રણકાળ ત્રણલોકમાં નથી.
દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર શુદ્ધજ્ઞાન જ એક છે–એવું જે નિષ્તુષ–નિર્મળ અનુભવન તે પરમાર્થ
છે, કારણ કે તે અનુભવન પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. વ્યવહાર હોય ખરો પણ, પહેલો વ્યવહાર
ને પછી નિશ્ચય–એમ નથી; અને નિશ્ચયભાન થયા પછી જો વ્યવહાર બિલકુલ ન હોય તો તો કેવળજ્ઞાન થઈ
જાય. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હોય, કરવો એમ નહિ; બરાબર હોય, વિકલ્પના કાળે તેવો ભાવ હોય,
ભક્તિ આવે, ગુરુ પાસે જઈને આલોચના કરે, પ્રાયશ્ચિત લ્યે, જડની ક્રિયા પણ તેમ થવાની હોય, વિકલ્પ
ઊઠવાનો કાળ એવો જ હોય,–પણ તેથી વસ્તુનો સ્વભાવ જ્ઞાન છે–દ્રષ્ટા છે તે ભાન ચાલ્યું જાય છે–એમ
નથી. સ્વભાવનું ભાન રાખીને તેવા ભાવ હોય છે પણ તે ભાવને સ્વભાવની સાથે જો એકમેક માને તો
મિથ્યાદ્રષ્ટિ છે. દ્રષ્ટિના–સત્યના સ્વભાવનો આશ્રય શું છે, ક્્યાં ઢળવું છે, ને ઢળેલી દશા કેવી હોય–તેની એને
ખબર નથી.