
કર્યું, અનુભવ કર્યો,–આનંદની પ્રાપ્તિ વેદનમાં આવી,–એ દશાને મોક્ષમાર્ગ અને ધર્મ કહેવામાં આવે છે. પોતે
પોતાના સ્વભાવને અનુસરીને દશા થવી તે એક જ માર્ગ છે.
દ્રષ્ટિ અને અનુભવના કાળમાં પરથી નિર્લેપ રહી જેટલી નિર્લેપ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા થાય તેટલો જ શુદ્ધ
કેવળજ્ઞાન પ્રગટવાનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
ભણી જાય–એટલું ભણતર હોય (અત્યારે તો એટલું ભણતર ક્્યાં છે?)–છતાં એ ભણતર પરના લક્ષે
થયેલું છે, સ્વભાવના લક્ષે થનાર દશા વિના તે ભણતર પણ મિથ્યાજ્ઞાન છે જેઓ વ્યવહારને
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે–વ્યવહારને પરમાર્થ માને છે, તેઓ સમયસારને નથી અનુભવતા. સમયસાર
એટલે શુદ્ધઆત્મા કોણ વસ્તુ છે તેને તેઓ જાણતા નથી, અનુભવતા નથી. નવમી ગ્રૈવેયકે અનંતવાર
ગયો ત્યારે કેવો હશે!–બીજાને તો એમ લાગે કે અહા, જાણે તરણતારણનું તૂંબડુ!–પણ જ્ઞાનમાં તન્મયતા
તે કોઈ અંતરની બીજી ચીજ છે. એના ખ્યાલમાં પણ આવે કે અમે જાણીએ છીએ ને,–તે જ્ઞાન છે, ત્યાં
સુધી તો અનંતવાર ગયો છે; જ્ઞાતાનો સ્વભાવ અને જ્ઞાન એકમેક છે,–ત્રણેકાળે જ્ઞાયકસ્વરૂપથી એકરૂપ
રહ્યો છું, એવી અંતરના અનુભવની નિર્વિકલ્પ પ્રતીત થવી તેને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
ભગવાન આત્માને અનુભવે છે. પૂર્વકર્મના સંગે રાગાદિ હો,–દ્વેષાદિ હો છતાં જેને રાગ–દ્વેષથી
વ્યાપકપણું અંતરદ્રષ્ટિમાં નથી; એકલો આત્મા પરમાર્થસ્વભાવની દ્રષ્ટિથી અનુભવે છે તેઓ જ
સમયસારને વેદે છે–અનુભવે છે, આનંદમાં પડ્યા છે, ને એને મોક્ષ થવાનો છે. જેઓ પરમાર્થને
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે તેઓ જ સમયસારને અનુભવે છે, બીજા કોઈ અનુભવી શકતા નથી.
નિષ્તુષ અનુભવ તે જ પરમાર્થ છે. જેઓ વ્યવહારને નિશ્ચય માનીને પ્રવર્તે છે એટલે ઊંડે ઊંડે....ઊંડે
ઊંડે....રાગની મંદતા અને જ્ઞાનના પર તરફના ઉઘાડના ભાવ–તેને લક્ષમાં લઈને એમ માને છે કે
આમાંથી કાંઈક કણીયો આત્માનો નીકળશે, તેઓ વ્યવહારને પરમાર્થ માને છે, તેઓ પરમાર્થને જાણતા
નથી.