Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
માહ : ૨૪૮૮ : ૧૩ :
બાર અંગનું જ્ઞાન આવી ગયું. તે બાર અંગ ભણી ગયો.....જાઓ! શ્રુતકેવળી થઈ ગયો, શ્રુતકેવળી! અરે,
નવતત્ત્વના નામ ન આવડે છતાં શ્રુતકેવળી! ભગવાન આત્મા અંતર જ્ઞાયકના ગાણાં ગાઈને અંદરથી ઊભો
થયો.....ત્યાં બાપે બેટો જોયો એટલે નિર્મળ–પર્યાયરૂપ પુત્ર થયો....એણે વૈરાગ્ય બેટા જાયા....એણે ખોજ કુટુંબ
સબ ખાયા–અર્થાત્ રાગાદિ સમસ્ત પરભાવોને જુદા કર્યા, પુણ્ય–પાપ, દયા–દાન, વ્રત–ભક્તિ વગેરે બધા
નાશવાન છે, તે મારા સ્વભાવમાં નથી.
અહો, જગતને માટે આ વાત કઠણ છે.
નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારને ભૂલે અને વ્યવહાર કહેવા જાય ત્યાં તેને અવલંબીને કલ્યાણ થશે
–એમ માની બેસે. શું થાય?–કાંઈ એની પાત્રતા વગર કે એની યોગ્યતા વગર બેસે તેવું નથી. ભગવાને
અનંતા જીવો જોયા છે. જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે.–એમ અંતર્મુખ થઈને જીવે અનુભવ કર્યો નથી. એવો
અનુભવ કરવો તે એક જ મોક્ષમાર્ગ છે.
નિશ્ચયનયનો વિષય અભેદ છે, તે જ પરમાર્થ છે. જેઓ પરમાર્થને પરમાર્થ માનીને અનુભવે છે તેઓ
જ સમયસારને અનુભવે છે ને તેઓ જ મોક્ષને પામે છે, બીજા મોક્ષ પામતા નથી.
* * * * * *
અહો, આ તો હવે છેલ્લી ગાથાઓ છે. તેમાં સંથારો અને સમાધિના કાળના પ્રસંગ પણ ભેગા
બતાવતા જાય છે.
બહુ કથનથી બસ થાઓ. એક પરમાર્થનો જ અનુભવ કરો–એવા અર્થનું કાવ્ય હવે કહે છે:–
अलमलमति जल्पैदुर्विकल्पैरनल्पे–
रयमिय परमार्थ श्चेत्यतां नित्यमेकं।
स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्ति मात्रा–
न्न खलु समयसारादुत्तरं किंचिदस्ति्।।
બહુ કહેવાથી ને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ....જુઓ, છેલ્લું છે ને! શું કહીએ!–કથનનો વિકલ્પ
ઊઠે છે તેમાં પણ સ્વભાવને સ્પર્શવાની તાકાત નથી. તેથી તે પણ દુર્વિકલ્પ છે, તેનાથી પણ બસ
થાઓ.....બસ થાઓ.....अलम अलम्। અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એટલે કે અખંડ
જ્ઞાનમૂર્તિ ભગવાન અભેદ ચૈતન્યપદાર્થને એકને જ નિરંતર અનુભવો, આંતરા વિના અનુભવો; આ
એક જ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. બીજું સંભળાવનારા મળે ને ત્યાં ગોઠી જાય, ને બીજી રીતે
થશે એમ માને,–પણ એમ ન થાય, બાપુ! આ મારગડા કોઈ જુદા છે. અંતરમાં ગૂમ થઈને ચૈતન્યનો
પત્તો લેવો; તેના વિના તેની પ્રાપ્તિ કદી હોઈ શકે નહીં. રાગ–દ્વેષ, પુણ્ય–પાપના વિકલ્પની જાળ
લાખકરોડ ભલે હોય–તે તો અનંતકાળથી કરતો આવે છે,–નવમી ગ્રૈવેયકે ગયો ત્યારે કેવો હશે?
દિગંબર મુનિ થયો, હજારો રાણીઓ ત્યાગી, ૧૧ અંગ નવપૂર્વનાં ભણતર પણ ભણ્યો, મોક્ષમાર્ગ
પ્રકાશકમાં કહે છે કે–અરે, ત્યાંસુધી આવ્યો કે આનો જાણનાર છું, આને (પરને) જાણનાર જ્ઞાન હું છું,
કરનારો તો નહિ; આ બધી ચીજ હું નહિ, શરીર નહિ, વાણી નહિ, મન નહિ, રાગ નહિ, એને જાણનાર
તે હું છું–એવી વિકલ્પબુદ્ધિમાં અટક્યો તોપણ મિથ્યાદ્રષ્ટિ છે.–ભાઈ, એકલો પરનો જાણનાર તે જ્ઞાન?
કે સ્વજ્ઞાનમૂર્તિ ચૈતન્ય તે જ્ઞાન? ભગવાન જ્ઞાનમૂર્તિ નિર્વિકલ્પ ચૈતન્યજ્યોત પડી છે તેની અંતરદ્રષ્ટિ
કરીને સમ્યગ્જ્ઞાન કરવું તે જ્ઞાન છે, એના વિના લાખ શાસ્ત્રનાં ભણતર તે જ્ઞાન નથી; તેને જ્ઞાન કહે છે
કોણ? તીર્યંચને નવતત્ત્વનાં નામ પણ ન આવડતાં હોય છતાં તે શ્રુતકેવળી હોય. અહો! શ્રુતકેવળી! જે
શ્રુતજ્ઞાનમ ભગવાન આત્મા પ્રગટ્યો અને જે જ્ઞાનવડે કેવળજ્ઞાન લેવાશે, એમ નક્કી થઈ ગયું કે હવે
કેવળજ્ઞાન લીધે છુટકો.–આ દશાએ હળવે હળવે પૂર્ણાનંદની પ્રાપ્તિ, બીજી કોઈ વાત નહીં. આવું
અંતરાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપનું ભાન થાય તે જ પરમાર્થ છે. અહીં એટલું જ કહેવાનું છે કે આ
પરમાર્થને એકને નિરંતર અનુભવો, તે એક જ મોક્ષમાર્ગ છે. બાકી બીજા દુર્વિ–