Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૨૦
કલ્પોથી બસ થાઓ.....પુણ્ય–પાપ વિકલ્પોથી બસ થાઓ....કહેવાના કથનના–શુભવિકલ્પને પણ બંધ
કરો.....કથનમાં વિકલ્પનું ઉત્થાન છે, શુભરાગ છે, પુણ્ય છે, એનાથી પણ બસ થાઓ...બસ થાઓ. ચૈતન્ય
હવે અંદરમાં સમાય છે.
અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; કોઈ કાળે પણ રાગના
કણથી ચૈતન્યને લાભ થાય એવી દ્રષ્ટિ રહી તો ચૈતન્યનું તન્મયપણું લુંટાઈ જશે. આ પરમાર્થને એકને
જ નિરંતર અનુભવો, કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ એવું જે જ્ઞાન,–જેમાં નિજરસના પૂર્ણાનંદનો
વિસ્તાર પડ્યો છે એવું જે પૂર્ણજ્ઞાન–તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું ખરેખર
બીજું કાંઈ નથી. ચૈતન્યસ્વભાવ આનંદકંદ જ્ઞાનજ્યોત છે, જ્ઞાનસમુદ્ર સ્વભાવથી ભર્યો છે, તેમાં જ્ઞાન–
દર્શન–આનંદના રત્નો પડ્યા છે; તેમાં પુણ્ય–પાપના વિકલ્પના કાંકરા ભર્યા નથી. પુણ્ય–પાપના
પરિણામો તે પણ કાંકરા છે, તેના ફળ તો વળી બહારમાં રહ્યા.
એકવાર એક માણસે પૂછયું–આ પૈસાવાળાને ધર્મમાં કાંઈ સ્થાન ખરું? પૈસા વધારે મળ્‌યા માટે ધર્મમાં
કાંઈ મોટી પદવી કે અગ્રેસરપણું ખરું?
ભાઈ, પૈસા તો જડ છે, તે પૈસા મારા–એમ માનનારને અધર્મમાં સ્થાન છે. ભલે લાખો–હજારો
રૂપિયા ધર્માદામાં આપે, તે વસ્તુમાં કાંઈ ધર્મ નથી. રાગથી ને પરથી ભિન્ન એવા ચૈતન્ય પદાર્થના ભાન
વિના ત્રણકાળમાં ધર્મ નથી.
શું ગરીબ અને પૈસાવાળા બંનેની પદવી સરખી? એકને મહિને પાંચ લાખ મળે ને બીજાને પચીસનો
પગાર પણ ન મળે–છતાં બંને સરખા?
હા ભાઈ! આત્મામાં ક્્યાં પૈસા ગરી ગયા છે? ને આત્મા ક્્યાં ગરીબ છે? પૈસાની કિંમત આત્મામાં
ક્્યાંથી આવી? ભગવાન આત્મા તેનાથી પાર છે. એને અનુભવવો. કેમકે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન
તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર એનાથી ઊંચું ખરેખર જગતમાં બીજું કાંઈ પણ નથી. તીર્થં–
કરગોત્રનો ભાવ પણ ઊંચો નથી ને એનાથી તીર્થંકર પદવી મળે તે પણ ઊંચી નથી.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ ચૈતન્યજ્યોત આનંદથી પ્રકાશ્યો–આનંદથી પ્રકાશ્યો, એવા આત્માની
અંતદ્રષ્ટિ અને અંર્તરમણતા સિવાય બીજી ઊંચી કોઈ ચીજ જગતમાં ત્રણકાળ ત્રણલોકમાં કોઈ છે
નહિ. ચક્રવર્તીના રાજ કે ઈન્દ્રના ઈન્દ્રાસન પણ તેની પાસે સડેલા તરણાં સમાન છે. અત્યારે તો એવા
પુણ્ય પણ ક્્યાં છે? પુણ્યવંતને સામેથી પરાણે કર લેવા ન પડે, એને તો દુનિયા સામેથી દેવા આવે કે
આ લ્યો–આપના જન્મથી પથ્થરમાં પણ નીલમણિ પાકયા, રાજને અમે દોહીએ છીએ, રાજ અમને
દોહતું નથી.–આમ સામેથી પ્રજાજનો કહેતાં આવે. એવા પુણ્ય–છતાં તે પણ ધૂળ છે, બાપુ! તેમાં આત્મા
નથી હો! આત્મા ત્રણકાળમાં એને સ્પર્શ્યો નથી, ને તે ચીજ ત્રણકાળમાં આત્માને સ્પર્શી નથી,–થોડી હો
કે ઘણી હો એ જ રીતે શુભભાવ ઘણા હો કે થોડા હો, તે ભગવાન આત્માને સ્પર્શતા નથી. આવા
આત્માના અનુભવ સિવાય આ જગતમાં કોઈ ઊંચું ત્રણકાળમાં નથી.
વ્યવહાર બતાવવો હોય ત્યારે તેની વાત આવે.
એક ચક્રવર્તી રાજા હોય, ને મુનિ કાળાકૂબડા હોય, બોલતા આવડે નહીં, કંઠ હોય નહીં. બાવળના
જંગલમાં બે મોટા ખોપની વચ્ચે જઈને ધ્યાનમાં બેઠા હોય, ને ચક્રવર્તીને ખબર પડે કે અરે....એક મુનિ છે.
આત્મજ્ઞાની છે, જંગલમાં બિરાજે છે, ત્યાં લશ્કર લઈને વંદન કરવા જાય. અહા! પરમેશ્વર એ તો!
સિદ્ધભગવાન–પરમેશ્વર તો ઉપર છે, ને આ મુનિ પરમેશ્વર પાસે જવા માગે છે, પરમેશ્વરના પડખીયાં છે....
જય પ્રભો! ધન્ય અવતાર.....ધન્ય અવતાર!
જુઓ, આવો ભાવ આવે.–સમજાય છે?