
કલ્પોથી બસ થાઓ.....પુણ્ય–પાપ વિકલ્પોથી બસ થાઓ....કહેવાના કથનના–શુભવિકલ્પને પણ બંધ
કરો.....કથનમાં વિકલ્પનું ઉત્થાન છે, શુભરાગ છે, પુણ્ય છે, એનાથી પણ બસ થાઓ...બસ થાઓ. ચૈતન્ય
હવે અંદરમાં સમાય છે.
જ નિરંતર અનુભવો, કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ એવું જે જ્ઞાન,–જેમાં નિજરસના પૂર્ણાનંદનો
વિસ્તાર પડ્યો છે એવું જે પૂર્ણજ્ઞાન–તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું ખરેખર
બીજું કાંઈ નથી. ચૈતન્યસ્વભાવ આનંદકંદ જ્ઞાનજ્યોત છે, જ્ઞાનસમુદ્ર સ્વભાવથી ભર્યો છે, તેમાં જ્ઞાન–
દર્શન–આનંદના રત્નો પડ્યા છે; તેમાં પુણ્ય–પાપના વિકલ્પના કાંકરા ભર્યા નથી. પુણ્ય–પાપના
પરિણામો તે પણ કાંકરા છે, તેના ફળ તો વળી બહારમાં રહ્યા.
વિના ત્રણકાળમાં ધર્મ નથી.
તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર એનાથી ઊંચું ખરેખર જગતમાં બીજું કાંઈ પણ નથી. તીર્થં–
કરગોત્રનો ભાવ પણ ઊંચો નથી ને એનાથી તીર્થંકર પદવી મળે તે પણ ઊંચી નથી.
નહિ. ચક્રવર્તીના રાજ કે ઈન્દ્રના ઈન્દ્રાસન પણ તેની પાસે સડેલા તરણાં સમાન છે. અત્યારે તો એવા
પુણ્ય પણ ક્્યાં છે? પુણ્યવંતને સામેથી પરાણે કર લેવા ન પડે, એને તો દુનિયા સામેથી દેવા આવે કે
આ લ્યો–આપના જન્મથી પથ્થરમાં પણ નીલમણિ પાકયા, રાજને અમે દોહીએ છીએ, રાજ અમને
દોહતું નથી.–આમ સામેથી પ્રજાજનો કહેતાં આવે. એવા પુણ્ય–છતાં તે પણ ધૂળ છે, બાપુ! તેમાં આત્મા
નથી હો! આત્મા ત્રણકાળમાં એને સ્પર્શ્યો નથી, ને તે ચીજ ત્રણકાળમાં આત્માને સ્પર્શી નથી,–થોડી હો
કે ઘણી હો એ જ રીતે શુભભાવ ઘણા હો કે થોડા હો, તે ભગવાન આત્માને સ્પર્શતા નથી. આવા
આત્માના અનુભવ સિવાય આ જગતમાં કોઈ ઊંચું ત્રણકાળમાં નથી.
એક ચક્રવર્તી રાજા હોય, ને મુનિ કાળાકૂબડા હોય, બોલતા આવડે નહીં, કંઠ હોય નહીં. બાવળના
આત્મજ્ઞાની છે, જંગલમાં બિરાજે છે, ત્યાં લશ્કર લઈને વંદન કરવા જાય. અહા! પરમેશ્વર એ તો!
સિદ્ધભગવાન–પરમેશ્વર તો ઉપર છે, ને આ મુનિ પરમેશ્વર પાસે જવા માગે છે, પરમેશ્વરના પડખીયાં છે....
જય પ્રભો! ધન્ય અવતાર.....ધન્ય અવતાર!