
આહા! કોનું કરું? ક્્યાં કરું? કોણ કરે? હું જ્ઞાન છું, આનંદ છું. જ્ઞાતાના સ્વભાવમાં આવ્યો ત્યાં વિકારો મંદ
પડી ગયા; અનંતાનુબંધી કષાયો ગળી ગયા; અનંતી પરની કર્તાબુદ્ધિ હતી તે ટળી ગઈ. આનું નામ
ક્રમબદ્ધનો નિર્ણય, અને અકર્તાપણાના જ્ઞાનનું તન્મયપણું છે. એના વિના ક્રમબદ્ધનું નામ લીધા કરે ને
પાપભાવમાં વર્ત્યા કરે એ તો મોટો સ્વચ્છંદ છે.
નમ્રતા, વિનયતા, ભક્તિ એ ભાવ ખસે નહિ. શું થાય? એક વાત કહેવા જાય ત્યાં બીજી છોડી દે, ને આ
કહેવા જાય ત્યાં પહેલી ખોવે. નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારની મર્યાદા શું છે તે વાત ભૂલી જાય, ને જ્યાં
વ્યવહાર કહેવા જાય ત્યાં વ્યવહારથી લાભ થાય એમ માની બેસે. તીર્થંકરોના કાળમાં તીર્થંકરોથી પણ
સમજ્યો નથી એવો ભડનો દીકરો છે, તો અત્યારના કાળની શી વાત? ઘણી પાત્રતા અને ઘણી નરમાશ
હોય એને આ વાત કાને પડ્યા પછી અંતર્મુખ થઈને રુચિ થાય, અને પરિણમન તો કોઈ અનંત પુરુષાર્થે
હોય છે.... અનંત પુરુષાર્થે હોય છે....અનંતાનુબંધીનો નાશ અનંત પુરુષાર્થથી થાય છે...અનંત સંસારની કટ
થઈ ગઈ, અનંત સ્વભાવની સામગ્રીનો દરિયો ભાળ્યો–માન્યો–જાણ્યો ત્યાં સંસાર છૂટી ગયો.
છે.–એમ છે? ના; ટોડરમલ્લજીએ કહ્યું છે કે નિશ્ચયનો ઉપદેશ સાંભળીને વ્યવહારમાં સ્વચ્છંદી થશો તો તેમાં
ઉપદેશનો વાંક નથી, વક્તાનો વાંક નથી. નિશ્ચયની વાત સાંભળીને વ્યવહારનો રાગ ક્્યાં કેવો હોય તે ભૂલી
જાય, સ્વચ્છંદે પ્રવર્તે અને કહે કે એતો એ કાળે એવો રાગ આવવાનો હતો! પણ અરે બાપુ! એનો નિર્ણય
કરે એની દશા તો કેવી હોય? અરે ભાઈ, તું શું લઈને બેઠો આ! અરે પ્રભુ! એમ નથી કહેતા; સાંભળ તો
ખરો ભાઈ!
સામર્થ્ય પ્રગટ્યું તેમાં એવું સામર્થ્ય છે કે અનંતા વિરોધીઓ ઊભા થાય–સાતમી નરકમાં કેટલા વિરોધી છે?
મારફાડ કરે. શરીરના કટકા કરે, ભલેને લાખ પ્રતિકૂળતા હોય, વિરોધ છે ક્્યાં અમારામાં? અનંતા વિરોધી
હોય તોપણ આત્માનું ભાન ભૂલતો નથી અને સમવસરણની અનંતી અનુકૂળ સામગ્રી મળી છતાં ઊંધાઈમાં
અશુદ્ધતા ભૂલતો નથી. શું થાય? એની ચીજ અવળી કે સવળી એને કારણે જ ઊભી થાય છે. કાંઈ બીજાને
કારણે થતી નથી.
પરમેશ્વરને જોવા હોય તેની વાત છે. આત્માને પરમેશ્વરરૂપે જુએ તો પર્યાયમાં પરમેશ્વરતા થાય. માટે પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો, એનું વેદન–શ્રદ્ધા–જ્ઞાન–રમણતાથી કરવું તે એક જ મોક્ષમાર્ગ છે; આ
ઉપરાંત ખરેખર બીજું કાંઈપણ સારભૂત નથી, કાંઈ જ સારભૂત નથી.