માહ: ૨૪૮૮ : ૧૭ :
પર્યાયથી, તેમાં તે શું કર્યું? બીજા સમજે કે ન સમજે તેના ઉપરથી ધર્મનું પ્રમાણ ટાંકે તો તું ભૂલમાં પડીશ
હો! કોઈ જીવ ધર્મ પામ્યો ને કોઈ વખતે એમ બને કે તેનાથી કોઈ ન સમજે, તો શું તેનો મોક્ષ અટકે?
બહારના ઘેરા ઉપરથી એમ પ્રમાણ ટાંકે કે આ ધર્મ પામેલ છે માટે ઘણાને ધર્મ પમાડયો, અને આ જીવે
કોઈને ધર્મ ન પમાડયો માટે તે ધર્મ પામ્યો લાગતો નથી;–એમ ધર્મનું પ્રમાણ નથી,–એમ વસ્તુનું સ્વરૂપ
નથી. એકલો, તું.....તારામાં જો....કાલ કહ્યું હતું કે: તારી હાક સૂણીને કોઈ ન આવે તો તું એકલો જા....
એકલો જાને, એકલો જા ને. એકલો જા....ને રે.....
તું એકલો તારામાં શમા, બાપુ! ભગવાન આત્મા દેહથી પાર ચિદાનંદમૂર્તિ, તેને સમજવામાં, જ્ઞાનમાં,
ને તેમાં ઠરવામાં તારી હાકલને કોઈ ન સાંભળે તો તું એકલો તારામાં ઠર. અહીં આચાર્યદેવ કહે છે કે અમારા
વિકલ્પો અમે બંધ કરી દઈએ છીએ. શાસ્ત્રમાં ઘણું કહીને અમે છેલ્લે સુધી આવ્યા.....હવે બસ થાઓ....પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ પરમાર્થ છે. તે સિવાય બીજું કાંઈ પરમાર્થ નથી.
હવે છેલ્લી ગાથામાં આ સમયસારના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યદેવ આ ગ્રંથ પૂરો કરશે,
તેની સૂચનારૂપ શ્લોક કહે છે:–
इदमेकं जगत्चक्षुरक्षयं याति पूर्णताम्।
विज्ञानघनमानं दमयमध्यक्षतां नयत्।।
અહો, આત્માનો અંતરસ્વભાવ તો આનંદ અને વિજ્ઞાનઘન છે. શોધ્યો હાથ આવે નહિ એટલે જાણે
બહારમાં અહીંથી આનંદ આવશે,–પૈસામાં કે આબરૂમાં કીર્તિમાં, મોટી પદવીમાં, માનમાં આનંદ આવશે.
ઉપરથી બલુનમાં ઊતરે ને લાખો માણસોની સલામી મળે–ત્યાં આનંદ માને; પણ બાપુ! એમાં આનંદ નથી;
અરે ભગવાન! તું પોતે આનંદમય વિજ્ઞાનઘન છે; બીજે ક્્યાં જોવા જાશ! ક્્યાંય નથી તારો આનંદ.
આનંદમય વિજ્ઞાનઘન એવા સમયસારને એટલે શુદ્ધ આત્માને પ્રત્યક્ષ કરતું થકું આ શાસ્ત્ર પૂરું થાય છે.
કેવો છે આત્મા? આનંદમય....આનંદમય! અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય આનંદ જે
પરમાત્મદશામાં પૂર્ણ પ્રગટે છે, તે પૂર્ણ આનંદની દશા સાદિ અનંત એમને એમ વહે છે. એ આનંદનું
ધામ ભગવાન છે, આત્મા અંતરંગ આનંદનું ધામ છે, અતીન્દ્રિય આનંદના સ્વાદનું એ ઠેકાણું છે. એ
આનંદમય વિજ્ઞાનઘન છે. આનંદથી અભેદ અને વિજ્ઞાનનો ઘન છે. દેહમાં રહેલ તત્ત્વ, શરીર–વાણીથી
પાર, પુણ્ય–પાપના વિકલ્પથી પણ પાર, ને અલ્પજ્ઞ વર્તમાન દશાથી પણ પાર, પૂર્ણ જ્ઞાનઘન ને
આનંદમય છે.
વર્તમાન પરોક્ષજ્ઞાન દ્વારા આવા આત્માને કઈ રીતે પ્રતીતમાં લેવો?
બાપુ, પરોક્ષ તો જ્ઞાન અપેક્ષાએ છે, પણ એના વેદનમાં ને ભાનમાં તો આવી શકે છે ને?–આ અંશ
જે જ્ઞાનનો ને શાંતિનો છે એવું જ એનું આખું સ્વરૂપ છે; એકલો અકષાય સ્વભાવ છે.
સમ્યગ્જ્ઞાનમય એટલે વીતરાગસ્વભાવ આત્મા છે.
વીતરાગસ્વભાવમય એટલે આનંદમય.
આનંદમય એટલે વિજ્ઞાનઘન.
આવા શુદ્ધ પરમાત્માને પ્રત્યક્ષ કરતું આ સમયસાર (સમયપ્રાભૃત) પૂરું થાય છે. શુદ્ધ આત્માને
વાણીથી પૂર્ણ બતાવતું અને અંતરદશાથી પૂર્ણ સમજાવતું આ એક અદ્વિતીય અક્ષય જગતચક્ષુ–જગતની
અક્ષય આંખો પૂર્ણતાને પામે છે, સમયસાર પૂર્ણતાને પામે છે.
અહો! આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ કરતું, વેદનમાં પ્રત્યક્ષ બતાવતું અને ‘સમયસાર’
શબ્દોથી વાચ્ય બતાવતું, અંતરમાં પ્રત્યક્ષ આત્માને બતાવતું, જ્ઞાનદશાદ્વારા આ ભાવથી આખો આત્મા શુદ્ધ
પરમાનંદ છે–એમ રાગની અપેક્ષા વિના જ્ઞાનની પ્રત્યક્ષતાથી જ્ઞાનનું વેદન બતાવે છે–એવું આ અક્ષય
જગત્ચક્ષુ સમયપ્રાભૃત પૂર્ણતાને પામે છે.
આ સમય પ્રાભૃત પઠન કરીને, અર્થ તત્ત્વથી જાણીને;
ઠરશે અરથમાં આતમા, જે સૌખ્ય ઉત્તમ તે થશે.