Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
માહ: ૨૪૮૮ : ૧૯ :
સુશીલ
અને
કુશીલ
અજ્ઞાન તે કુશીલ છે........... જ્ઞાન તે સુશીલ છે
(અષ્ટપ્રાભૃત–શીલપ્રાભૃતના પ્રવચનોમાંથી)

સમ્યગ્જ્ઞાનને અને સુશીલને વિરોધ નથી. અંતરનો જે ચિદાનંદસ્વભાવ, તેને સ્વધ્યેય બનાવીને
નિર્મળપણે જે પરિણમ્યું તે જ્ઞાન જ સુશીલ છે, તે વિષયકષાયોથી રહિત છે, આ રીતે સમ્યગ્જ્ઞાનને અને
શીલને વિરોધ નથી. અને જે જ્ઞાન, રાગને જ ધ્યેય બનાવીને વિકારમાં જ વર્તે છે તે કુશીલ છે, અજ્ઞાન છે.
અજ્ઞાનને લીધે તે વિષયકષાયમાં જ પ્રવર્તે છે, તેથી અજ્ઞાન તે જ કુશીલ છે. સ્વભાવઘરનો સંગ છોડીને બાહ્ય
વિષયોમાં જે જ્ઞાન એકતાપણે વર્તે છે તે જ્ઞાનની પ્રકૃતિ કુશીલ છે, તે અજ્ઞાન છે. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન તો
પોતાના ચૈતન્યસ્વભાવને જ વિષય બનાવીને તેમાં જ વર્તે છે. રાગને તે પોતાથી જુદો જાણે છે, એટલે રાગ
સાથે એકતારૂપ મિથ્યાત્વનું કુશીલ તેને નથી.
મિથ્યાત્વ તે મોટું કુશીલ છે; અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે સુશીલ છે. જ્યાં સુધી
બાહ્યવિષયોથી ભિન્નતા ન જાણે ને રાગની રુચિ છોડીને જ્ઞાનભાવમાં ન પ્રવર્તે ત્યાં સુધી કુશીલનું સેવન
છૂટે નહિ. જેને શુભરાગની રુચિ છે તેને પણ અભિપ્રાયમાં વિષયોની રુચિ પડી જ છે, એટલે ખરેખર તે
કુશીલનું જ સેવન કરી રહ્યો છે. સમ્યગ્જ્ઞાન વગર બાહ્યવિષયોથી વિરક્ત થાય–તો પણ તેને સુશીલ કહેતા
નથી, કેમકે રાગથી તો તેના પરિણામ વિરક્ત થયા નથી. ભેદજ્ઞાન વગર રાગથી વિરક્તિ થાય નહિ, ને
રાગથી વિરક્તિ થયા વગર વિષયોથી પણ ખરી નિવૃત્તિ થાય નહિ, માટે સમ્યગ્દર્શન વગર કુશીલનું સેવન
છૂટે નહીં.
જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં જ્ઞાને પોતાથી ભિન્ન ભાવોને પોતાથી જુદા જાણ્યા, બાહ્યવિષયોને જુદા
જાણ્યા ને રાગાદિને જુદા જાણીને તેના ત્યાગની બુદ્ધિ થઈ, ને નિર્વિકાર ચૈતન્યસ્વભાવની જ ભાવના થઈ.
જેટલી સ્વભાવપરિણતિ થઈ તેટલું શીલ પ્રગટ્યું, ને તેટલું કુશીલ છૂટયું. અહો, નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના
સેવનનો પ્રસંગ આવ્યો, તેમાંય રાગની રુચિ અને રાગનું સેવન ન છોડે તો આવો અવસર એમને એમ
ચાલ્યો જશે. ભાઈ, સુશીલ એટલે ‘સમ્યક્પ્રકૃતિ’ તો સ્વભાવના સેવનમાં છે, ને કુશીલ એટલે ખરાબ
પરિણતિ–ખોટી પ્રકૃતિ તે તો વિભાવના સેવનમાં છે. રાગ કરતાં કરતાં લાભ થશે એમ જે માને છે તેને
રાગનું સેવન છે, અને રાગનું જેને સેવન છે તેને કુશીલનું જ સેવન છે. ધર્માત્મા તો રાગથી ભિન્ન
ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તેનું જ સેવન કરે છે, તેનું જ નામ સુશીલ
છે.
અશુભ પરિણામ તે જ કુશીલ છે, ને શુભ પરિણામ તે સુશીલ છે–એમ અજ્ઞાની લોકો માને છે, પણ
સમયસારમાં આચાર્યદેવે સ્પષ્ટ કહ્યું છે કે હે ભાઈ, જેનું ફળ સંસાર હોય તેને સુશીલ કેમ કહેવાય? શુભ
પરિણામનું