Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
માહ: ૨૪૮૮ : ૨૧ :
જ્ઞાન કલા જિસકે ઘટ જાગી....
તે જગમાંહી સહજ વૈરાગી...
જ્ઞાની મગન વિષયસુખમાંહી
–યહ વિપરીત, સંભવે નાંહી.
અહો, સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં જ્ઞાનકળા જાગી ત્યાં તે આખા જગતથી વૈરાગ્ય પામ્યો આખા જગતથી
પોતાના ચૈતન્યતત્ત્વને ભિન્ન જાણ્યું એટલે તેમાં ક્્યાંય સ્વપ્નેય સુખબુદ્ધિ ન રહી. જ્ઞાની બાહ્યવિષયોમાં સુખ
માનીને તેમાં મગ્ન થાય–એવી વિપરીતતા કદી સંભવતી નથી. સુખ તો પોતાના ચૈતન્યમાં જ ભાસ્યું છે, તેથી
તેનાથી બહાર બીજે ક્્યાંય ધર્મીને તન્મયતા થતી નથી. જ્ઞાનસહિત વૈરાગ્યમાં જ કર્મનો ક્ષય કરવાની તાકાત
છે.
અજ્ઞાની પરવિષયોને ઈષ્ટરૂપ કે અનીષ્ટરૂપ માનીને તેમાં જ ઉપયોગને ભમાવે છે. તે કુશીલ છે.
પરભાવમાં પ્રવૃત્તિ તે જ કુશીલ છે. અને ચિદાનંદસ્વભાવને ઓળખીને તેમાં ઉપયોગ પ્રવર્તે તે સુશીલ છે.
અજ્ઞાની કદાચિત શુભરાગથી બાહ્યવિષયો છોડે પણ તેનો ઉપયોગ તો રાગમાં જ લીનપણે વર્તે છે તેથી તેને
બર્હિર્મુખવૃત્તિરૂપ કુશીલનું જ સેવન છે, કર્મનો ક્ષય કરવાનું સામર્થ્ય તેનામાં નથી. સમ્યગ્જ્ઞાન થતાં
અંતર્મુખવૃત્તિ થઈ ત્યારે પરભાવ છૂટવા માંડયા ને કર્મો ખરવા માંડયા. આ કર્મનો ક્ષય કરવાનું જ્ઞાનનું જ
સામર્થ્ય છે, શુભરાગનું સામર્થ્ય નથી. સમ્યગ્જ્ઞાન જ સુશીલ છે, અજ્ઞાની શુભરાગ કરે તો પણ તેને સુશીલ
નથી કહેતા.
અહો, સમ્યક્શ્રદ્ધા ને સમ્યગ્જ્ઞાન વગર સંયમ કે તપ બધું નિરર્થક છે. અને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પછી
ચારિત્રદશા મહાપ્રયત્નથી થાય છે. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન સહિતનું ચારિત્ર ભલે થોડુંક હોય તો પણ તેનું ફળ
મહાન છે. અને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન વગર ગમે તેટલું આચરણ કરે તો પણ તે નિરર્થક છે.
શાસ્ત્ર દ્વારા એમ ખ્યાલમાં આવ્યું કે આત્માનો જ્ઞાનસ્વભાવ જ ઉપાદેય છે, ને રાગાદિ સમસ્ત
પરભાવો હેય છે,–આવું હેય–ઉપાદેયનું જાણપણું થવા છતાં જો અંતરમાં જ્ઞાનને સ્વસન્મુખ કરીને સ્વભાવનું
ગ્રહણ અને પરભાવનો ત્યાગ ન કરે તો તેનું જાણપણું નિરર્થક છે. પરિણતિમાં સ્વભાવનું વેદન ન થાય અને
રાગના વેદનથી જુદું ન પડે તો તે જ્ઞાન ખરેખર જ્ઞાન નથી; સ્વભાવના ગ્રહણરૂપ જ્ઞાન અને રાગના
ત્યાગરૂપ વૈરાગ્ય વગર બાહ્ય ભેખ કે જાણપણું તે વ્યર્થ છે.
પહેલાં સ્વભાવ શું અને વિભાવ શું તેનું સમ્યક્ ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદજ્ઞાન સહિત થોડુંક પણ
આચરણ થાય–એટલે કે થોડીક પણ સ્વરૂપસ્થિરતા થાય તોપણ તેનું ફળ મહાન છે. અને ભેદજ્ઞાન વગર ગમે
તેટલા શુભ આચરણ કરે તોપણ ધર્મને માટે તે નિષ્ફળ છે. માટે અજ્ઞાનપૂર્વકના જેટલાં આચરણ છે તે બધાંય
કુશીલ જ છે. શુભ આચરણ કરતાં કરતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થઈ જશે એમ માનીને જે રાગને સેવે છે તે
કુશીલને સેવે છે, તેનું ધ્યેય જ ખોટું છે, ને મિથ્યાત્વ સહિતનો અનંતાનુબંધી કષાય તો તેને વર્તી જ રહ્યો છે.
અંતરમાં સમ્યગ્જ્ઞાન વડે નિર્દોષ ચૈતન્યને ધ્યેય બનાવીને તેનું ગ્રહણ કર્યા વગર વિષયકષાયોનો ત્યાગ થાય
જ નહીં. અતીન્દ્રિય ચૈતન્યના આનંદનું વેદન થતાં ઈન્દ્રિયવિષયોનું અવલંબન છૂટી જાય છે, તેનું નામ
સમ્યક્શીલ છે. બહારમાં સ્ત્રી આદિનું અવલંબન છોડયું પણ અંદરમાં રાગનું અવલંબન ન છોડયું,
શુભરાગના અવલંબનથી લાભ થશે એવી બુદ્ધિ ન છોડી તો તે જીવે વિષયો છોડયા જ નથી, બાહ્ય વિષયોના
જ અવલંબનની બુદ્ધિ તેને પડી છે. જ્ઞાની તો પોતાના આત્માને સર્વ બાહ્ય પદાર્થોના અવલંબનથી રહિત,
રાગના પણ અવલંબનથી રહિત, જ્ઞાનમાત્ર ભાવમય જાણે છે સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ નિર્મળભાવ પ્રગટ્યો તે
અતીન્દ્રિયસ્વભાવના અવલંબને જ પ્રગટ્યો છે, તેમાં રાગનું કે બાહ્યવિષયોનું અવલંબન છૂટી ગયું છે, તેનું
નામ સમ્યક્ શીલ છે.
જ્યાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયું ત્યાં મહાપ્રયોજનરૂપ એવા સ્વજ્ઞેયને જાણ્યું, અનંતાનુબંધી