Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 38

background image
: ૧૪ : : બ્રહ્મચર્ય અંક :
ભગવાન સમાન છે. હજી સાક્ષાત્ ભગવાન થયા નથી. અસ્થિરતાનો રાગ છે. પણ રાગ રહિત પૂર્ણ
સ્વભાવનું ભાન છે. તેથી તે ભગવાન સમાન છે. રાગ છે તે ક્ષણિક દોષ છે. પણ ત્રિકાળી દ્રષ્ટિના જોરે તે
રાગ અલ્પકાળે ટળી જવાનો છે. રાગમાં જે સુખ માને છે. તેણે રાગને ટાળવા જેવો માન્યો નહીં.
જ્ઞાનીને સ્ત્રી દેખીને રાગ થતો નથી. તેમાં અલ્પરાગ હોય તેથી સુખી થતો નથી અને જગતના
જ્ઞેયોની જેમ નવયૌવના સ્ત્રીને કાષ્ટની પૂતળી જેવી ગણે છે એને અહિં ભગવાન સમાન કહ્યા છે.
હજી શુભરાગનો વિકલ્પ છે, તેથી કહ્યું કે “ગણે કાષ્ટની પૂતળી” હજી તદન વીતરાગતા થઈ નથી પણ
પર લક્ષે શુભરાગ છે. તેથી તે સાક્ષાત્ ભગવાન નથી. પણ ભગવાન સમાન છે–એમ કહ્યું છે. જો સાક્ષાત્
ભગવાન થઈ ગયા હોય તો કાષ્ટની પૂતળી ગણવાનો વિકલ્પ પણ ન હોય. આત્માના સ્વભાવનું ભાન
હોવાથી અસ્થિરતાના રાગવાળો હોવા છતાં તેને ભગવાન સમાન કહ્યો છે. જેની દ્રષ્ટિ પર ઉપર છે જે પરને
કારણે રાગ માને છે, જે વિષયોમાં સુખ માને છે. તે ભલે બ્રહ્મચર્ય પાળે પણ તેને ધર્મ થતો નથી ને એને
અહીં ભગવાન સમાન કહ્યો નથી.
મારું સ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા છે, રાગ થાય તે વિકાર છે પરને કારણે રાગ થતો નથી, અને રાગ થાય તેમાં
મારૂં સુખ નથી–એવું જેને ભાન છે. એને શ્રીમદ્રાજચંદ્રજીએ ૧૬ મા વર્ષે ભગવાન સમાન કહ્યા છે.
આ સઘળા સંસારની રમણી નાયક રૂપ
એ ત્યાગી ત્યાગ્યુ બધું કેવળ શોક સ્વરૂપ.
સ્ત્રી સાથે રમણ કરવામાં સુખ છે એવી બુદ્ધિ તે સંસારનું મૂળ કારણ છે. જગતમાં મૂળ રાગ સ્ત્રીના
વિષયનો હોય છે. એનામાં પણ સુખ બુદ્ધિ જેણે છોડી દીધી છે ને તે તરફના રાગમાં પણ જેને સુખ બુદ્ધિ નથી
તેણે જગતના પદાર્થોના કારણે રાગ થાય એવી માન્યતા છોડી દીધી છે અને તે કેવળ ઉદાસીન રૂપ જ્ઞાતાદ્રષ્ટા
છે. ખરેખર રમણી સંસારનું કારણ નથી. પણ રમણી સાથેના વિષયમાં સુખ છે, એવી માન્યતા જ સંસારનું
મૂળ છે. જ્ઞાનીને લક્ષ્મી વગેરે પર ચીજને કારણે તો રાગ થવાની માન્યતા નથી પણ અસ્થિરતાથી રાગ થાય
તેને પણ પોતાનું સ્વરૂપ જાણતા નથી. પર વસ્તુ મને હિતકાર નથી એવા ભાનપૂર્વક જેણે ઘણો રાગ છોડયો
છે. અને બાકી રહેલો અલ્પ રાગ છોડવાનો છે. તેણે બધું ત્યાગ્યું એમ કહ્યું છે.
એક વિષયને જીતતા જીત્યો સબ સંસાર
નૃપતિ જીતતાં જીતીએ દળ–પુર નેઅધિકાર
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે સિવાય બીજા બધા પદાર્થો તે મારું ધ્યેય નથી. ચૈતન્ય સ્વભાવને જ્ઞાનનો
વિષય કરીને જેણે પર સાથેનો વિષય છોડી દીધો છે. રાગ થાય તેને ધ્યેય માનતા નથી. પરવસ્તુને ધ્યેય
માનતા નથી–તેણે આખો સંસાર જીતી લીધો. એકલા અબ્રહ્મને જ જીતવાની વાત નથી પણ એક તરફ
ચૈતન્ય તે સ્વવિષય અને બીજી તરફ આખો સંસાર તે પરવિષય છે. જગતનો કોઈ પર વિષય મને સુખરૂપ
નથી. એવા ભાન પૂર્વક જેણે એક વિષય જીત્યો તેણે આખો સંસાર જીતી લીધો છે. જેમ રાજાને જીતતાં લશ્કર
વિ. જીતાય જાય છે, તેમઆત્મ સ્વભાવના ભાનપૂર્વક જેને વિષયોમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. તેનો સમસ્ત
સંસાર નાશ થઈ જાય છે.
વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન
લેશ મદિરા પાનથી છાકે જ્યમ અજ્ઞાન.
પરવિષયમાં સુખ છે એવી બુદ્ધિ તે અજ્ઞાન ભાવના અંકુરો છે. તેમાંથી અનંત સંસારનું ઝાડ ફેલાશે.
ચૈતન્યમાં શાંતિ છે તેને ચુકીને પરમાં જે સુખ માને છે, તેને ચૈતન્યનું જ્ઞાન ને ધ્યાન થતું નથી.
ચૈતન્યને ચુકીને પરવિષયમાં જેણે સુખ માન્યું છે તેને આત્માનું સાચું જ્ઞાન નથી. આત્માના
જ્ઞાનવગર આત્માનું ધ્યાન પણ નહિ. જ્ઞાની પરમાં સુખ માનતા નથી. જ્ઞાનસ્વભાવી આત્મામાં જ મારૂં સુખ
છે, એવું તેને ભાન છે. તે મોક્ષના અંકુર છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિ હોવાથી તેને વિષયનો અંકુર
વધારવાની ભાવના છે, જ્ઞાનીને સ્વભાવના ભાનમાં ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે કે રાગની ભાવના નથી
ને વિષયમાં સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને રાગની વૃદ્ધિ થશે એટલે રાગ રહિત સ્વભાવનું જ્ઞાન ટળશે ને
વિષયમાં અંકુરની વૃદ્ધિ થશે. પણ ચૈતન્યમાં એકાગ્રતા નહિ થાય. જેમ મદિરાપાનથી અજ્ઞાન થાય છે ને
માતાને પણ સ્ત્રી કહેવા માંડે છે તેમ અજ્ઞાની પરમાં સુખ માનીને વિષયોનો રાગ કરે છે. એટલે તેનો રાગ તે
વિષયનો અંકુર છે તેમાંથી સંસારનું ઝાડ થશે. જ્ઞાનીને રાગ થાય તે અસ્થિરતાનો છે. તે સંસારનું કારણ
નથી. તેને સમ્યક્જ્ઞાનનો અંકુર ફાલીને કેવળજ્ઞાન થાય છે.