Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
: : આત્મધર્મ: ૨૩૧
પણ કલ્યાણ ન થાય, માત્ર આત્માને ઓળખવાથી અને તેમાં એકાગ્રતાથી જ ધર્મ થાય. નીચલી
દશામાં દયા, દાન, પૂજા, પ્રભાવના આદિનો શુભરાગ આવ્યા વિના રહેતોનથી. આવે તેનો નિષેધ નથી
પણ તેનાથી ખરેખર ધર્મ થઈ જશે એમ નથી. શુભ ભાવ આવે તે પુણ્ય છે અને ધર્મ તો આત્માનો
વીતરાગી સ્વભાવ છે.
પદ્મનંદી પંચવિંશતિમાં આચાર્યદેવ દાન અધિકારમાં કહે છે કે સંસારી પ્રાણી તીવ્ર લોભરૂપી
ઊંડા કૂવાની ભેખડમાં ભરાઈ બેઠા છે, તેને તૃષ્ણા ઘટાડવા દાનનો ઉપદેશ દઈશું, પછી દાખલો આપ્યો
કે કાગડાનો સ્વભાવ છે કે તેને દાઝી ગએલા અનાજના ઊકડિયા મળે તો પોતે એકલો ન ખાય પણ
બીજા કાગડાઓને બોલાવીને ખાય તેમ પૂર્વે તે પુણ્ય કર્યાંહતાં, તેમાં તારી શાન્તિ સળગી હતી, તેમાં
પુણ્ય બંધાણું, તેના ફળમાં તને પૈસા મળ્‌યા છે, તેનેએકલો ભોગવીશ, તૃષ્ણા ઘટાડી દાનમાં નહિ દે, તો
કાગડામાંથી પણ જઈશ. પુણ્યનો નિષેધ નથી, અશુભથી બચવા શુભ ભાવહોય છે, તેમાં ખરેખર તો
ચારિત્રગુણની પર્યાય તેકાળે શુભરાગરૂપે થવા યોગ્ય હતી તે થાય છે. પણ વ્યવહારના ઉપદેશમાં એમ
કહેવામાં આવે છે કે વિષય કષાય વચનાર્થે શુભ કરો.
શુભ રાગ કરવો પડતો નથી અને અશુભ ટાળવો પડતો નથી, પણ સામાન્ય એકરૂપ દ્રવ્ય
સ્વભાવનું આલંબન લેતાં મંદ પ્રયત્ન હોવાથી અશુભ ટળી શુભ રાગ થઈ જાય છે, તેનો કર્ત્તા, ભોક્તા
કે સ્વામી જ્ઞાની થતો નથી.
અહીં પરિણામ શક્તિનું શુદ્ધ કાર્ય તે આત્માનું કાર્ય બતાવવું છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિથીકથન છે.
શક્તિવાન દ્રવ્યને ધ્યેય બનાવવાથી અનંતશક્તિનું ઉત્પાદ–વ્યય–ધ્રુવપણે પરિણમન થાય છે. તેમાં આ
શક્તિ મહાન છે. અનંતગુણ અને તેની અનંત પર્યાય સહિત દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપને આલિંગિત
થઈ નિરંતર વર્તે છે.
પરિણામ શક્તિ ગુણ છે તે અંશ છે, તે દ્વારા અશી એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર, સુખ, વીર્ય, કર્ત્તા, કર્મ, કરણ, સંપ્રદાન, સ્વચ્છત્વ આદિ ગુણોની સમ્યક્ દશાનો ઉત્પાદ
થાય છે. દરેક સમયે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ અસ્તિત્વ માત્ર પરિણામ છે. તે દ્રવ્ય સ્વભાવને અવલંબે છે,
તેનાથી નિર્મળ પર્યાયની પ્રાપ્તિરૂપ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવથી આલિંગિત આત્મદ્રવ્ય છે. એનો નિર્ણય પ્રથમ કરે તો આત્મા રાગ અને
નિમિત્તને ન સ્પર્શે એવી શ્રદ્ધા થાય એ તેનું ફળ છે.
જેમ લંબાઈવાળો લટકતો મોતીનો હાર છે તેમાં દરેક મોતી ક્રમસર–ક્રમબદ્ધ છે, કોઈ મોતી
આઘું પાછું હોતું નથી; પૂર્વનું પૂર્વમાં અને પછીનું પછી. એમ દરેક મોતી ક્રમનિશ્ચિતરૂપે વ્યવસ્થિત હોય
છે; તેમ આત્મદ્રવ્યમાં દરેક પરિણામ પોતપોતાના સ્થાનમાં નિશ્ચિતપણે પ્રકાશે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવને
સ્પર્શવાવાળી પરિણામશક્તિ છે, તે મહાનશક્તિ છે. અહો! ચૈતન્ય, તારી ઋદ્ધિ અને તારો મહિમા
અચિન્ત્ય છે.
જેમ હારમાં દોરો કાયમ રહે છે, તેમ દ્રવ્ય ગુણ કાયમ રહે છે. પરિણામશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં વ્યાપે છે. પ્રવચનસારમાં જ્ઞેય અધિકાર હોવાથી પ્રમાણજ્ઞાનદ્વારા છએ દ્રવ્યમાં પરિણામશક્તિ છે
એમ કહેલ છે. અહીં સમયસારમાં એક આત્મામાં કહી છે.
“પર્યાયો ક્રમસર નથી, હારનું દ્રષ્ટાંત બરાબર નથી, દોરો તોડી નાખી મોતીને આઘાં પાછાં કરી
શકાય છે;” તોએમ માનનારે સર્વજ્ઞ કથિત દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણ્યું જ નથી.
દ્રવ્ય અખંડ છે, ઊર્ધ્વતા સામાન્યરૂપે ત્રણે કાળની પર્યાયની અખંડતા તે દ્રવ્ય છે. પર્યાયનું
ઉત્પાદ–વ્યયરૂપે