Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 29

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૧
વસ્તુસ્વભાવની શ્રદ્ધા અને વીતરાગ વિજ્ઞાનતા
ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ પર્વ.
(બીજો દિવસ, તા. પ–૯–૬૨ ભાદરવા સુદી ૬.)
સર્વજ્ઞ ભગવાને નિશ્ચય સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ સહિત સ્વરૂપમાં લીનતાને ચારિત્ર કહેલ છે,
તેમાં મુખ્યપણે મુનિઓના વીતરાગભાવના ભેદરૂપે–ઉત્તમ ક્ષમદિ ૧૦ ધર્મ ગણવામાં આવે છે.
હું પરનું કાંઈ કરી શકું છું, શુભાશુભ ભાવનું સ્વામીત્વ, રાગાદિ પરભાવોમાં કર્તાપણાની રુચિ
અને જ્ઞાતાસ્વભાવની અરુચિ તેનું નામ અનંતાનુબંધી ક્રોધ છે. ભેદજ્ઞાનવડે સર્વ વિભાવથી ભિન્ન
સ્વસન્મુખ જ્ઞાતાપણામાં સાવધાન થતાં, મિથ્યાત્વ રાગાદિ તથા ક્રોધાદિની ઉત્પત્તિ ન થવી તેનું નામ
ઉત્તમ ક્ષમાધર્મ છે, તેની શરૂઆત મનુષ્ય, પશુ, દેવ હો કે નારકીનું શરીર હો–ચારે ગતિમાં થઈ શકે છે.
ભેદજ્ઞાનવડે વસ્તુસ્વરૂપને જાણે છે તે કોઈ જ્ઞેયને ઈષ્ટ–અનિષ્યરૂપે દેખે નહીં. ક્રોધનું નિમિત્ત
આવતાં એવું ચિંત્વન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે
છે? અને મારામાં દોષ નથી તોએ જાણ્યા વિના તેનું અજ્ઞાન પ્રગટ કરે છે; અજ્ઞાની ઉપર કોપ શો
કરવો? એમ વિચારી ક્ષમા કરવી. અજ્ઞાન અને કોપ તો માત્ર એક સમયની અવસ્થા છે, તેનો આત્મા
તો નિશ્ચયથી અત્યારે પણ સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ છે. વળી અજ્ઞાની કલેશ પ્રકૃતિવાન હોય તો તેના
બાળ સ્વભાવને જાણી લેવો કે બાળક તો પ્રત્યક્ષ પણ કહે અને આ તો પરોક્ષ જ નિંદા આદિ કરે છે;
કદી પ્રત્યક્ષ કુવચન કહે તો વિચારવું કે બાળક તો લાકડી પણ મારે, આ તો કુવચન જ કહે છે, વચનમાં
કાંઈ ખરાબ નથી. માર મારે તો વિચારવું કે અજ્ઞાની તો પ્રાણઘાત કરે છે, આ તો માત્ર માર મારવાનો
ભાવ કરે છે. પ્રાણઘાત પણ કોઈ કરી શકતો નથી. માત્ર પોતાના કલેશનું આ રીતે સમાધાન કરે છે.
મારા સ્વ–પર પ્રકાશક જ્ઞાનની યોગ્યતા આ કાળે આમ જ હોય, થાય છે જ્ઞાન અને માનવું દુઃખ!! !
જ્ઞાતાસ્વભાવનો તિરસ્કાર કોણ કરે?
પ્રાણઘાત થતાં જાણે તો ભેદજ્ઞાન દ્વારા એમ