Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 29

background image
સ. વ. ણ. પ. ર સ. મ. ચ. ર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાન્તિમાં બિરાજમાન છે. પ્રવચનમાં
સવારે મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૯ ચાલે છે. તેમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનનું રહસ્ય
અલૌકિક પ્રકારે સમજાવવામાં આવે છે. શ્રી સમયસારજી શાસ્ત્ર ગા. ૨૦–૨૧
ચાલે છે. આ ૧૪મી વારના સમયસાર પ્રવચનમાં તત્ત્વજ્ઞાનનો વિશાળ
અનુભવ પ્રત્યક્ષ સાંભળવા મળે છે–એ ધર્મ જિજ્ઞાસુઓ માટે મહાન વસ્તુ છે.
લાડનુંવાળા શેઠ શ્રી વચ્છરાજ્જી ગંગવાલ તા. ૩૦–૧૧–૬૨ના રોજ
અહીં કુટુંબસહિત પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો તથા સત્સમાગમનો લાભ લેવા
આવેલ છે.
વૈરાગ્ય સમાચાર
શ્રી મોહનલાલ ડોસાભાઈ રાજકોટવાળા [ઊ. વ. ૬૬] સં. ૨૦૧૮
આસો વદ ત્રીજ તા. ૧૦–૧૦–૬૨ના પરલોકવાસી થયા. સ્વર્ગસ્થ આત્માને પૂ.
ગુરુદેવશ્રી પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો તેઓ ઘણીવાર સોનગઢ આવતાહતા
અને રાજકોટ જિનમંદિરમાં ચાલતા ધાર્મિક વાંચનમાં નિયમિત હાજરીઆપતા
ભાવનામાં સાવધાન રહેતા હતા. શારિરીક તબીયત ઘણા વર્ષોથી નરમ હોવા
છતાં તેઓ તેના કારણે પોતાને દુઃખી ન માનતાં, ધર્મ પ્રસંગોમાં હાજર રહેતા
હતા. દક્ષિણ ભારતની પૂ. ગુરુદેવની તીર્થયાત્રા વખતે પણ તેઓસાથે હતા.
આયુપૂર્ણ થવા વખતે ધર્મજાગૃતિ ને યોગ્ય ભાવના રાખીને પૂજ્ય ગુરુદેવના
અપૂર્વ ઉપકારનું સ્મરણ કરતા હતા, તેમનો આત્મા શીઘ્ર આત્મકલ્યાણ સાધે
એમ ભાવીએ છીએ, તથા તેમનાં કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીએ છીએ.
હિંમતલાલ કેશવલાલ ડગલી વિંછિયાવાળા (ઉંમર વર્ષ ૬૩) પોષ
સુદી ૨ તા. ૨૮–૧૨–૬૨ની રાત્રે સ્મરણ સહિત સ્વર્ગવાસી થયા. તેઓ પરમ
ઉપકારી પૂ. ગુરુદેવના સત્ સમાગમ માટે સોનગઢ અનેક વર્ષોથી આવતા
હતા. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણી ભક્તિ હતી. દેહ–અવસાનના દિવસે
સવારથી તેઓ ખૂબ સ્ફુર્તિમાં હતા, આખો દિવસ અને રાત્રે ધર્મશ્રવણમાં મન
લગાવ્યું હતું, તેઓ પોતાના આત્મકલ્યાણની ભાવના પૂર્ણ કરે, શીઘ્ર
આત્મહિત સાધે એમ ભાવના ભાવીએ છીએ. તેમના કુટુંબીજનોને પ્રત્યે
સહાનુભૂતિ દર્શાવીએ છીએ.
જાહેરાત
એક મોટા ભોજનાલયનો કોન્ટ્રાક્ટ આપવાનો છે, લેવા ઈચ્છનારે
કોન્ટ્રાક્ટની શરત માટે લખવું
(૧) પાકું નામું જાણનાર કોઠારી અને (૨) સશક્ત પ્રામાણિક ચોકીદાર.
ઉપરના માટે પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો:–
શા. મલુકચંદ છોટાલાલ દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)