Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૯ :
વિશિષ્ટ સ્વસંવેદન શક્તિરૂપ સંપદા પ્રગટ કરીને, આનંદના ફૂવારા સહિત પ્રત્યક્ષાદિ પ્રમાણથી યથાર્થ
વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો ક્ષય થાય છે. અહો, મોહના નાશનો અમોઘ ઉપાય–કદી નિષ્ફળ ન જાય
એવો અફર ઉપાય સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે–તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે.
સગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે, ને તે ભાવશ્રુતમાં આનંદના ફૂવારા છે.
પ્રત્યક્ષ સહિતનું પરોક્ષ પ્રમાણ હોય તો તે પણ આત્માને યથાર્થ જાણે છે. પ્રત્યક્ષની અપેક્ષા વગરનું
એકલું પરોક્ષજ્ઞાન તો પરાલંબી છે, તે આત્માનું યથાર્થ સંવેદન કરી શકતું નથી. આત્મા તરફ ઝૂકીને
પ્રત્યક્ષ થયેલું જ્ઞાન, અને તેની સાથે અવિરુદ્ધ એવું પરોક્ષપ્રમાણ, તેનાથી આત્માને જાણતાં અંદરથી
આનંદના ઝરણાં વહે છે, –આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ને મોહનો નાશ કરવાનો અમોઘ ઉપાય છે.