Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨૩ :
(૨૧) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં
અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે કરવું
છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે.
(૨૨) वत्थुसहावो धम्मो– વસ્તુસ્વભાવ તે
ધર્મ.
(૨૩) णमो अरिहंताण णमो सिद्धाणं णमो
आइरियाणं णमो उवज्झायाणं णमो लोए
सव्वसाहूणं।
(૨૪)... આનંદમાં સુસ્થિત અચળ જેની
જ્યોત છેએવો આ આત્મા સદા ઉદયમાન હો.
(૨પ) उत्कृष्टानंतसारं परमसुखमतः तस्य
सिद्धस्य जातम्। (શ્રી સિદ્ધભક્તિ)
(૨૬) ભવાવર્ત્તમાં પૂર્વે કદી નહિ ભાવેલી
ભાવના હવે ભાવો.
(૨૭) ત્રણેકાળના જગદુદ્વારક
તીર્થંકરભગવંતોને પરમોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
(૨૮) પાત્ર થવા સેવો સદા બ બ્રહ્મચર્ય
મતિમાન.
(૨૯)... તત્કાળ બંને મુનિઓને કેવળજ્ઞાન
થાય છે; આનંદિત રામ–લક્ષ્મણ–સીતા, બંને
કેવળીભગવંતોની પૂજા કરી દિવ્યધ્વનિનું શ્રવણ
કરે છે...
(૩૦) સાતે મુનિવરો સગા ભાઈ છે, સાથે જ
દીક્ષિત થયેલા છે અને શ્રુતકેવળી છે.
(૩૧) दंसणमूलो धम्मो (૩૨)... ઉદાહરણ
તરીકે આઠ આચાર્યાદિક બતાવેલ છે.
(૩૩) વિચારદશાનું મુખ્યસાધન સત્પુરુષનાં
વચનોનું યથાર્થ ગ્રહણ છે.
(૩૪) નિજજ્ઞાનની કળાના બળથી આ પદને
અભ્યાસવાને જગત સતત પ્રયત્ન કરો.
(૩પ) દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ.
(૩૬) એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે
પ્રજ્ઞા વડે.
(૩૭) “... તે મુનિઓ ત્રણવાર કેમ આવ્યા?
વળી મને તેમના પ્રત્યે પુત્રના જેવો પ્રેમ કેમ
ઉભરાગ છે?”
(૩૮) શ્રી કુંદકુંદાચાર્યદેવે ભાવપ્રાભૃતમાં કહ્યું છે
કે શિવકુમાર નામના ભાવશ્રમણ કે જે યુવતીજન
વેષ્ટિત હોવા છતાં વિશુદ્ધમતિ અને ધીર હતા તે
સંસારથી મુક્ત થયા.
(૩૯) વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ,
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.
(૪૦) સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા.
(૪૧) સીમંધર ભગવાનના સમવસરણમાં..
ચક્રવર્તી આશ્ચર્યથી પૂછે છે.
(૪૨)
वंद्रित्त्तु सष्वसिध्धे धुमवचलमणो–
वमंमणोवमं गइं पत्त्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
(૪૩) સમયસારથી ઊંચું ખરેખર બીજું કાંઈ
પણ નથી.
(૪૪) ગુરુચરણોના સમર્થનથી ઉત્પન્ન થયેલા
નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય
મારું છે’ એમ કહે?
(૪પ) મુનિ ભગવંતોને શ્રી કાનજીસ્વામી
અત્યંત ભક્તિભાવે વંદના કરે છે અને તેમનાં
રચેલાં ચાર અનુયોગમય આગમોનો અત્યંત
અર્પણતાપૂર્વક સ્વાધ્યાય કરે છે.
(૪૬) હે માત...! જિસ સમય સમવસરમેં તું
ભગવાન અર્હંતકે મુખસે દિવ્યધ્વનિકે રૂપમેં પ્રકટ
હૂઈ થી ઉસ સમય તેરી ધ્વનિ સમુદ્રકે સમાન ધીર
તથા ગંભીર થી... ઔર તુઝકો સુનકર સમસ્ત
જીવ આશ્ચર્ય કરતે થે.
(૪૭) નિર્વિકલ્પધ્યાનની પ્રસિદ્ધિ માટે તારા
ચિત્તને સ્થિર કરવા ચાહતો હો તો હે ભવ્ય! ઈષ્ટ–
અનિષ્ટ પદાર્થોમાં મોહી ન થા, રાગી ન થા, દ્વેષી
ન થા.
(૪૮) મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ
ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ–આદિક ભાવરે! ભાવ્યા
નથી પૂર્વે જીવે.
(૪૯)
देवपूजा गुरोपास्तिः स्वाध्यायः
संयमस्तपः।
दानश्चेति गृहस्थानां षट्कर्माणि
दिनेदिने।।७।।
(પ૦) રત્નત્રયનાસાધક સન્તો મુજ આંગણીયે
આવો...