Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 61

background image
બ્ર હ્મ ચ ર્ય ની
દી ક્ષા
એક સાથે ૮ કુમારિકા બહેનોએ લીધેલી બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અમારા સાધર્મીઓને ત્રીજી વખત મહાન સમાચાર દેતાં અત્યંત હર્ષ થાય છે કે આ ભાદરવા
સુદ એકમ ને મંગળવારના શુભદિને એક સાથે આઠ કુમારિકા બહેનોએ પૂ. ગુરુદેવસમક્ષ
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ પ્રસંગ આનંદનો વૈરાગ્યનો અને શાસનની શોભાનો છે. આઠ
બહેનો નીચે મુજબ છે.

(૧) વીણા બહેન (ઉ. વ. ૨૧ સીતાબચંદજી હીરાલાલજીની સુપુત્રી... ... ખંડવા
(૨) સુબોધિની બહેન (
B. A. B. T.) ઉ. વ. ૨૩ હુકમીચંદજી ધન્નાલાલજીની સુપુત્રી ખંડવા
(૩) તારાબહેન (ઉ. વ. ૨૩ ભૂપતરાય જેચંદ દોશીના સુપુત્રી... ... અમરાપુર
(૪) કોકિલાબેન (
B. A. ઉ. વ. ૨૪ અનુપચંદ મૂળજીભાઈ ખારાના સુપુત્રી)... રાંચી
(પ) નિર્મળાબેન (ઉ. વ. ૨૧ પોપટલાલ છગનલાલની સુપુત્રી... ... જલગાંવ
(૭) રંજનબેન (ઉ. વ. ૨૪ ધીરજલાલ કસ્તુરચંદ ઝોબાળિઆના સુપુત્રી... નાગનેશ
(૮) શારદાબેન (
B. A ઉ. વ. ૨૭ જયસુખલાલ પોપટલાલ સંઘવીના સુપુત્રી રાજકોટ

આ આઠેય બહેનો અનેક વર્ષથી પૂ. ગુરુદેવના અધ્યાત્મરસઝરતા ઉપદેશનો લાભ લઈને
સત્સમાગમે તત્ત્વનો અભ્યાસ કરે છે, અને પૂ. બેનશ્રી–બેનની વાત્સલ્યભરી છાયામાં જ્ઞાન–વૈરાગ્યનું
પોષણ કરે છે; આત્મકલ્યાણની ભાવના પ્રબળ થતાં તેમને એમ થયું કે આપણું જીવન સંતોની છાયામાં
આત્મહિત સાધવાના પ્રયત્નમાં જ વીતે... આવી ઉત્તમ ભાવનાપૂર્વક પોતાનું સારૂંયે જીવન તેઓએ
સત્સમાગમે અર્પણ કર્યું ને નાની ઉંમરમાં આજીવન બ્રહ્મચર્યની દીક્ષા લીધી... તે પ્રશંસનીય કાર્ય બદલ
બધા બહેનોને ધન્યવાદ! આ કાર્યમાં અનુમતિ આપવા માટે બધા બહેનોના માતા–પિતા અને
વડીલોને પણ ધન્યવાદ. અમારા સાધર્મી બહેનો આજે જીવનના નુતનપંથે પ્રયાણ કરવા જે પગલું ભરી
રહ્યા છે... આત્મહિતના જે ઉત્તમધ્યેયપૂર્વક મંગલમાર્ગે