Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 61

background image
: ૩૨ : આત્મધર્મ: ૨૩૯
ઉપદેશક કેવા હોય?
હિતને માટે કોનો ઉપદેશ સાંભળવો?

જૈનધર્મના વક્તા પ્રથમ તો જૈનમાર્ગની શ્રદ્ધામાં દ્રઢ હોય. જેને જૈનમાર્ગનો નિર્ણય જ ન
હોય, જેને શ્રદ્ધા જ ન હોય તે જૈનમાર્ગનું રહસ્ય પ્રકાશી શકે નહિ. અહો, વીતરાગી
પ્રયોજનવાળો જૈનધર્મ, તેના વક્ત મોક્ષમાર્ગની રુચિવંત હોય, નવતત્ત્વ વગેરે જેમ સર્વજ્ઞે કહ્યાં
છે તેમ બરાબર શ્રદ્ધાવાળા હોય; જેને સર્વજ્ઞનો નિર્ણય ન હોય, સર્વજ્ઞે કહેલાં તત્ત્વોની શ્રદ્ધા ન
હોય–તે જીવ જૈનધર્મના રહસ્યનો વક્તા હોય નહિ. વીતરાગતા સિવાય બીજું તાત્પર્ય કે બીજું
પ્રયોજન જેના અંતરમાં હોય તે વીતરાગી જૈનધર્મનો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ. રાગથી
લાભ માનતો હોય–તો તે જીવ વીતરાગી જૈનધર્મનો ઉપદેશ ક્યાંથી આપી શકે?
અહા, સર્વજ્ઞ ભગવાનના વીતરાગમાર્ગના વક્તા પણ કેવા હોય, –તેની ઘણાને ખબર
નથી, ને ગમે તેવા વક્તા પાસેથી એમને એમ સાંભળી લ્યે છે. જૈનધર્મના વક્તા પ્રથમ તો
જૈનમાર્ગની શ્રદ્ધામાં દ્રઢ હોય; વળી વિદ્યાભ્યાસ વડે જેને શાસ્ત્રના અર્થ ઉકેલવાની બુદ્ધિ પ્રગટી
હોય; વળી શાસ્ત્રમાં–નિશ્ચય–વ્યવહાર વગેરેની વ્યાખ્યા છે તેના અભિપ્રાયને સમ્યગ્જ્ઞાન વડે
જાણતો હોય; વ્યવહારકથનને જ યથાર્થ માનીને તેના આશ્રયે લાભ મનાવે–તો તે શાસ્ત્રના
નયાર્થને (નયના અભિપ્રાયને) જાણતો નથી. શાસ્ત્રમાં અમુક પ્રયોજન માટે વ્યવહારથી કહયું
હોય ત્યાં બીજું જ પ્રયોજન માની લ્યે, રાગ ઘટાડવાનો ક્યાંક ઉપદેશ હોય ત્યાં તે મંદરાગને જ
મોક્ષમાર્ગરૂપ ધર્મ માની લ્યે–તો તેમાં વિપરીતપ્રવૃત્તિનું પોષણ થઈ જાય છે. માટે સમ્યગ્જ્ઞાનવડે
સર્વ પ્રકારના વ્યવહાર, નિશ્ચય, ઉપાદાન, નિમિત્ત વગેરેને બરાબર જાણતો હોય તે જ જૈનધર્મનો
વક્તા હોઈ શકે. વળી તેને જિનઆજ્ઞાના ભંગનો ઘણો ભવ હોય. ભગવાનના માર્ગમાં જે
આશય છે તેનાથી જરાય વિરુદ્ધ–અન્યથા કે હીનાધિક ન કહેવાઈ જાય–તેનો જેને ભય હોય.
પોતાની સ્વચ્છંદ કલ્પનાથી ઉપદેશ ન આપે પણ ભગવાનના માર્ગની આજ્ઞાઅનુસાર ઉપદેશ
આપે. જિનમાર્ગની આમ્નાય વગર સ્વછંદે ગમે તેમ ઉપદેશ આપે તો આગમવિરુદ્ધ ઉપદેશ
અપાઈ જાય–તેમાં મોટો દોષ આવે. વીતરાગી તાત્પર્યનું જેમાં પોષણ હોય તેવાં જ શાસ્ત્રો
વાંચવા–સાંભળવા–લખવા–યોગ્ય છે, પણ જેમાં વીતરાગી તાત્પર્યનું પોષણ ન હોય ને વિષય–
કષાયનું પોષણ હોય –તેવાં શાસ્ત્ર હિતબુદ્ધિથી વાંચવા–સાંભળવા–લખવા યોગ્ય નથી.
જે પુરુષ ભલે ક્ષમાવંત લાગતો હોય, સ્થૂળપણે નિર્માની અને સરળ દેખાતો હોય, ઘણી
વિદ્યા–વ્યાકરણ, ન્યાય, સંસ્કૃત વગેરે જાણતો હોય, વકતૃત્વકળાથી હજારોની સભાને ડોલાવતો
હોય, –પણ જો તે ઉત્સૂત્રભાસી હોય, જિનમાર્ગથી વિપરીત માર્ગને ઉપદેશતો હોય–તો તે છોડવા