Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 61

background image
: ૩૪ : આત્મધર્મ: ૨૩૯
વળી તે વક્તા જો ન્યાય–વ્યાકરણ વગેરે મોટા મોટા જૈનશાસ્ત્રોના વિશેષજ્ઞાન સહિત હોય તો
વિશેષ શોભે; જેને અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવ ન થયું ન હોય તે પુરુષ
જૈનધર્મના મર્મને જાણતો નથી. જૈનધર્મનું જે આધ્યાત્મિક રહસ્ય છે તેની તેને ખબર નથી,
એટલે
તે તો માત્ર પદ્ધતિદ્વારા જ વક્તા થાય છે; પણ જૈનધર્મ તો અધ્યાત્મરસમય છે તેનું રહસ્ય અનુભવ
વગર કઈ રીતે પ્રગટ કરી શકે? માટે આત્મજ્ઞાની હોય તેને જ સાચું વકતાપણું હોય છે. –આ મૂળ
વાત છે. દેશનાલબ્ધિ જ્ઞાનીના ઉપદેશથી જ થાય છે. અજ્ઞાનીના ઉપદેશથી દેશનાલબ્ધિ થતી નથી. જેને
આત્માનું ભાન નથી, મોક્ષમાર્ગની જેને ખબર નથી, મોક્ષમાર્ગ જેણે પોતે દેખ્યો નથી, તે બીજા જીવોને
મોક્ષમાર્ગ ક્યાંથી દેખાડી શકે? માટે અજ્ઞાની જીવ જૈનધર્મનો સાચો વક્તા હોઈ શકે નહિ. આત્મજ્ઞાન
સહિત જ વક્તાપણું હોય.
જુઓ, જૈનધર્મ કેવો છે? કે અધ્યાત્મરસમય છે; પુણ્ય થાય તે કાંઈ જૈનધર્મનું રહસ્ય નથી;
પુણ્યપરિણામ તો અન્યધર્મીને પણ હોય છે. જૈનધર્મમાં અધ્યાત્મરસનું–આત્માના સ્વભાવનું જેવું વર્ણન
છે તેવું બીજે ક્યાંય નથી. અધ્યાત્મરસ એટલે કે આત્માના સ્વભાવની સન્મુખ થઈને ચૈતન્યના પરમ
શાંતરસનું વેદન થાય–તે જૈનધર્મનું રહસ્ય છે. આવા રહસ્યને આત્મજ્ઞાની જ જાણે છે, અને તે જ
જૈનધર્મના વક્તા હોઈ શકે છે. આત્મજ્ઞાન વગર ભલે ઘણા શાસ્ત્રો જાણે, વિદ્વત્તાથી બોલતા આવડે ને
કાંઈક પુણ્યવંત પણ હોય, પણ તેને સાચું વક્તાપણું હોતું નથી, તે મૂળવસ્તુ છોડીને ફોતરા ખાંડે છે.
દોહાપાહુડમાં કહ્યું છે કે:–
पंडिय पंडिय पंडिय! कण छोडि वितुसं खंडिया।
पय अत्थंतुठ्ठोसि परमत्थ ण जाणइ मूढोसि।।
હે પંડિત! પંડિતોમાં પણ પંડિત એટલે કે ઘણા શાસ્ત્રોનો જાણનાર પંડિત, જો તું શુદ્ધાત્માને
નથી જાણતો, અધ્યાત્મરસને નથી અનુભવતો, તો તેં કણને છોડીને માત્ર ફોતરાંને જ ખાંડ્યા છે.
એકલા શબ્દોના અર્થમાં જ તું સંતુષ્ટ છે પણ અંતરંગમાં પરમાર્થને નથી જાણતો, પરમ ચૈતન્ય પદાર્થને
અનુભવતો નથી, તો તું ખરેખર પંડિત નથી પણ મૂઢ છે. અધ્યાત્મવિદ્યા વિના તારી બધી વિદ્યા
થોથેથોથાં છે. ચૌદવિદ્યામાં પણ અધ્યાત્મવિદ્યાને જ પ્રધાન કહી છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ
શાસ્ત્રોનું રહસ્ય જાણ્યું. અને ભલે ૧૧ અંગ જાણતો હોય પણ જો આત્માને ન જાણ્યો–તો તે અજ્ઞાની જ
છે. અને જેણે આત્માને જાણ્યો તેને માટે કોઈ શાસ્ત્રભણતરની ટેક નથી કે આટલા શાસ્ત્ર ભણવા જ
જોઈએ. શાસ્ત્રનાં ભણતર વગર પણ સર્વ વિદ્યામાં ઉત્કૃષ્ટ એવી અધ્યાત્મવિદ્યા તે ભણી ગયો છે.
આવા અધ્યાત્મરસના રસિક વકતા હોય તે જ જૈનધર્મના રહસ્યના વક્તા જાણવા. જુઓ, અત્યારે તો
જૈનધર્મના નામે જેને જેમ ફાવે તેમ ઉપદેશક થઈ બેઠા છે, પણ તેવા વક્તા પાસે જૈનધર્મનું સાચું
રહસ્ય હોય નહિ. પરીક્ષા કરીને વક્તાને ઓળખાણ જોઈએ. પાટ ઉપર બેસીને કે વેશ પહેરીને ગપ્પાં
મારે ને હાજીહા કર્યા કરે–તો તે શ્રોતા સત્–અસત્નો વિવેક કરી શકે નહિ. શ્રોતાએ પણ સત્–અસત્નો
વિવેક કરવો જોઈએ
કેવળી ભગવાન તો આ જગતમાં સર્વાત્કૃષ્ટ વકતા છે. વળી ગણધર ભગવંતો વગેરે બુદ્ધિ